ટ્વિટર પરથી હટી કોરોના ભ્રમિત નીતિ, આ નિર્ણયથી એલોન મસ્ક ફરી આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2022-11-30 13:48:53

કોરોના કેસ વધતા ટ્વિટરે કોવિડ અંગે ખોટી માહિતી ન જાય તે માટે નીતિ બનાવી હતી. જેમાં લોકો અનુભવ શેર કરતા હતા પરંતુ કોઈ વખત ખોટી માહિતી પણ શેર કરવામાં આવતી હતી જેને કારણે ટ્વિટરે કોવિડ ભ્રમિત નીતિ અમલમાં લાવી હતી. પરંતુ એલન મસ્કે આ નીતિને હટાવી દીધી છે. જેને કારણે હવે લોકો ટ્વિટર પર ભ્રમિત કરનારી અથવા તો ખોટી માહિતી આપતી પોસ્ટ પણ શેર થઈ શકશે.  


ટ્વિટરે હટાવી કોરોના ભ્રમિત નીતિ  

ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં અવારનવાર આવી રહ્યું છે. ટ્વિટરે કોરોના કેસ વધતા કોવિડ ભ્રામક નીતિ બનાવી હતી. જે મુજબ ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોરોના અંગે ખોટી માહિતી આપી શકે નહી. કોરોના અંગે પોતાનો અનુભવ લોકો શેર કરતા હતા જેમાં અનેક વખત ખોટી માહિતી અથવા તો ભ્રમિત કરી દે તેવી જાણકારી આપવામાં આવતી હતી. જેને કારણે ટ્વિટર આ નીતિને લઈને આવ્યું હતું. પરંતુ એલોન મસ્કે અચાનક આ નિયમને હટાવી દીધો છે. જેને કારણે ટ્વિટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.