ટ્વિટર પરથી હટી કોરોના ભ્રમિત નીતિ, આ નિર્ણયથી એલોન મસ્ક ફરી આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2022-11-30 13:48:53

કોરોના કેસ વધતા ટ્વિટરે કોવિડ અંગે ખોટી માહિતી ન જાય તે માટે નીતિ બનાવી હતી. જેમાં લોકો અનુભવ શેર કરતા હતા પરંતુ કોઈ વખત ખોટી માહિતી પણ શેર કરવામાં આવતી હતી જેને કારણે ટ્વિટરે કોવિડ ભ્રમિત નીતિ અમલમાં લાવી હતી. પરંતુ એલન મસ્કે આ નીતિને હટાવી દીધી છે. જેને કારણે હવે લોકો ટ્વિટર પર ભ્રમિત કરનારી અથવા તો ખોટી માહિતી આપતી પોસ્ટ પણ શેર થઈ શકશે.  


ટ્વિટરે હટાવી કોરોના ભ્રમિત નીતિ  

ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં અવારનવાર આવી રહ્યું છે. ટ્વિટરે કોરોના કેસ વધતા કોવિડ ભ્રામક નીતિ બનાવી હતી. જે મુજબ ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોરોના અંગે ખોટી માહિતી આપી શકે નહી. કોરોના અંગે પોતાનો અનુભવ લોકો શેર કરતા હતા જેમાં અનેક વખત ખોટી માહિતી અથવા તો ભ્રમિત કરી દે તેવી જાણકારી આપવામાં આવતી હતી. જેને કારણે ટ્વિટર આ નીતિને લઈને આવ્યું હતું. પરંતુ એલોન મસ્કે અચાનક આ નિયમને હટાવી દીધો છે. જેને કારણે ટ્વિટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .