ટ્વિટર પરથી હટી કોરોના ભ્રમિત નીતિ, આ નિર્ણયથી એલોન મસ્ક ફરી આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2022-11-30 13:48:53

કોરોના કેસ વધતા ટ્વિટરે કોવિડ અંગે ખોટી માહિતી ન જાય તે માટે નીતિ બનાવી હતી. જેમાં લોકો અનુભવ શેર કરતા હતા પરંતુ કોઈ વખત ખોટી માહિતી પણ શેર કરવામાં આવતી હતી જેને કારણે ટ્વિટરે કોવિડ ભ્રમિત નીતિ અમલમાં લાવી હતી. પરંતુ એલન મસ્કે આ નીતિને હટાવી દીધી છે. જેને કારણે હવે લોકો ટ્વિટર પર ભ્રમિત કરનારી અથવા તો ખોટી માહિતી આપતી પોસ્ટ પણ શેર થઈ શકશે.  


ટ્વિટરે હટાવી કોરોના ભ્રમિત નીતિ  

ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં અવારનવાર આવી રહ્યું છે. ટ્વિટરે કોરોના કેસ વધતા કોવિડ ભ્રામક નીતિ બનાવી હતી. જે મુજબ ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોરોના અંગે ખોટી માહિતી આપી શકે નહી. કોરોના અંગે પોતાનો અનુભવ લોકો શેર કરતા હતા જેમાં અનેક વખત ખોટી માહિતી અથવા તો ભ્રમિત કરી દે તેવી જાણકારી આપવામાં આવતી હતી. જેને કારણે ટ્વિટર આ નીતિને લઈને આવ્યું હતું. પરંતુ એલોન મસ્કે અચાનક આ નિયમને હટાવી દીધો છે. જેને કારણે ટ્વિટર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.