નવા સંસદ ભવનની ડિઝાઈન આ દેશના સંસદ ભવનના ડિઝાઈન સાથે મળતી આવે છે! કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે તસવીર કરી શેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:01:54

28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પહેલા સંસદ ભવનને લઈ વિવાદો સર્જાયા હતા. 21 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક રાજકીય પાર્ટી કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ઉદ્ધાટનને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું.

  

દિગ્વિજયસિંહે અને જવાહર સરકારે કર્યું ટ્વિટ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું છે. ત્યારે ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. 21 જેટલી રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આજે ફરી આ મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું છે. જવાહર સરકારે કહ્યું કે આફ્રિકી દેશ સોમાલિયાની જૂની સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિગ્વિજયસિંહે સંસદની ડિઝાઈનને કોપી કેટ કહ્યું છે. 

મમતા બેનર્જીએ પણ કર્યો હતો ફોટો શેર!

મહત્વનું છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું. બે તસવીરો શેર કરવામાં આવી હતી. એક ફોટામાં જવાહરલાલ નહેરૂ કેબિનેટ મંત્રીઓ સાથે દેખાય છે જ્યારે બીજા ફોટામાં પીએમ મોદી સંતો સાથે દેખાય છે. મહત્વનું છે સંસદ ભવનને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે. કોઈએ નવા સંસદ ભવનની ડિઝાઈનને કોફિન સાથે સરખાવી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.