નવા સંસદ ભવનની ડિઝાઈન આ દેશના સંસદ ભવનના ડિઝાઈન સાથે મળતી આવે છે! કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે તસવીર કરી શેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:01:54

28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પહેલા સંસદ ભવનને લઈ વિવાદો સર્જાયા હતા. 21 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક રાજકીય પાર્ટી કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ઉદ્ધાટનને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું.

  

દિગ્વિજયસિંહે અને જવાહર સરકારે કર્યું ટ્વિટ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું છે. ત્યારે ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. 21 જેટલી રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આજે ફરી આ મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું છે. જવાહર સરકારે કહ્યું કે આફ્રિકી દેશ સોમાલિયાની જૂની સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિગ્વિજયસિંહે સંસદની ડિઝાઈનને કોપી કેટ કહ્યું છે. 

મમતા બેનર્જીએ પણ કર્યો હતો ફોટો શેર!

મહત્વનું છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું. બે તસવીરો શેર કરવામાં આવી હતી. એક ફોટામાં જવાહરલાલ નહેરૂ કેબિનેટ મંત્રીઓ સાથે દેખાય છે જ્યારે બીજા ફોટામાં પીએમ મોદી સંતો સાથે દેખાય છે. મહત્વનું છે સંસદ ભવનને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે. કોઈએ નવા સંસદ ભવનની ડિઝાઈનને કોફિન સાથે સરખાવી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.