નવા સંસદ ભવનની ડિઝાઈન આ દેશના સંસદ ભવનના ડિઝાઈન સાથે મળતી આવે છે! કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે તસવીર કરી શેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:01:54

28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પહેલા સંસદ ભવનને લઈ વિવાદો સર્જાયા હતા. 21 જેટલી રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક રાજકીય પાર્ટી કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ઉદ્ધાટનને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું.

  

દિગ્વિજયસિંહે અને જવાહર સરકારે કર્યું ટ્વિટ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું છે. ત્યારે ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. 21 જેટલી રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આજે ફરી આ મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે નવા સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું છે. જવાહર સરકારે કહ્યું કે આફ્રિકી દેશ સોમાલિયાની જૂની સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે દિગ્વિજયસિંહે સંસદની ડિઝાઈનને કોપી કેટ કહ્યું છે. 

મમતા બેનર્જીએ પણ કર્યો હતો ફોટો શેર!

મહત્વનું છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંસદ ભવનને લઈ ટ્વિટ કર્યું હતું. બે તસવીરો શેર કરવામાં આવી હતી. એક ફોટામાં જવાહરલાલ નહેરૂ કેબિનેટ મંત્રીઓ સાથે દેખાય છે જ્યારે બીજા ફોટામાં પીએમ મોદી સંતો સાથે દેખાય છે. મહત્વનું છે સંસદ ભવનને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે. કોઈએ નવા સંસદ ભવનની ડિઝાઈનને કોફિન સાથે સરખાવી હતી.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.