દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:42:13

ઈરાનમાં રહેવાવાળા દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ મોત થઈ ગયું છે. 94 વર્ષના અમૌ હાજી લગભગ 60 વર્ષથી નહાયા નહોતા. અમૌ હાજીએ ઈરાનના હેજગાહ ગામમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અમૌ હાજી એટલે એ જ માણસ જેના ફોટો હમણાં થોડા સમય પહેલા વાયરલ થયા હતા. આ ફોટો એટલા માટે વાયરલ કરવામાં આવ્યા હતા કારણ કે અમૌ હાજીને તેમના પાડોશીઓએ બળજબરીથી સ્નાન કરાવ્યું હતું. 


નાનપણથી મગજમાં થઈ ગઈ હતી અસર 

પોતાના યુવાન અવસ્થામાં અમૌ હાજીએ બહું કપરો સમય જોયો હતો. આ સમયના કારણે તેના મગજ પર આડઅસર થઈ હતી. અમૌ હાજીને એવું હતું કે નહાશે તો તે બીમાર પડશે તેના કારણે તે 60 વર્ષ સુધી નહાયા વગર રહ્યા હતા. અમૌ હાજીના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સાફ-સફાઈ રાખશે તો તે બીમાર પડી જશે. 

અમૌ હાજી આટલા ગંદા હોવા છતાં બીમાર નહોતા પડ્યા

વર્ષ 2013ની અંદર ધ સ્ટ્રેંજ લાઈફ ઑફ અમૌ હાજી નામની એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી દુનિયાના સૌથી ગંદા માણસ એટલે કે અમૌ હાજીના જીવન પર હતી. દુનિયાના અનેક વિશ્લેષકો અમૌ હાજીની તાપસ કરી હતી. તેમને જાણવું હતું કે અમૌ હાજીના શરીર પર કોઈ બેક્ટેરિયા વાયરસ તો નથીને? પરંતુ પરીક્ષણ બાદ વિશેષજ્ઞો ચોંકી ગયા હતા કારણ કે તેમને અમૌ હાજીના શરીર પરથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ નહોતા મળ્યા. આ એક ચોંકાવનારી ઘટના છે કે એક માણસ આટલો ગંદો હોવા છતાં તે એક પણ વાર બીમાર નહોતો પડ્યો. 




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?