દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:42:13

ઈરાનમાં રહેવાવાળા દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ મોત થઈ ગયું છે. 94 વર્ષના અમૌ હાજી લગભગ 60 વર્ષથી નહાયા નહોતા. અમૌ હાજીએ ઈરાનના હેજગાહ ગામમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અમૌ હાજી એટલે એ જ માણસ જેના ફોટો હમણાં થોડા સમય પહેલા વાયરલ થયા હતા. આ ફોટો એટલા માટે વાયરલ કરવામાં આવ્યા હતા કારણ કે અમૌ હાજીને તેમના પાડોશીઓએ બળજબરીથી સ્નાન કરાવ્યું હતું. 


નાનપણથી મગજમાં થઈ ગઈ હતી અસર 

પોતાના યુવાન અવસ્થામાં અમૌ હાજીએ બહું કપરો સમય જોયો હતો. આ સમયના કારણે તેના મગજ પર આડઅસર થઈ હતી. અમૌ હાજીને એવું હતું કે નહાશે તો તે બીમાર પડશે તેના કારણે તે 60 વર્ષ સુધી નહાયા વગર રહ્યા હતા. અમૌ હાજીના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સાફ-સફાઈ રાખશે તો તે બીમાર પડી જશે. 

અમૌ હાજી આટલા ગંદા હોવા છતાં બીમાર નહોતા પડ્યા

વર્ષ 2013ની અંદર ધ સ્ટ્રેંજ લાઈફ ઑફ અમૌ હાજી નામની એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી દુનિયાના સૌથી ગંદા માણસ એટલે કે અમૌ હાજીના જીવન પર હતી. દુનિયાના અનેક વિશ્લેષકો અમૌ હાજીની તાપસ કરી હતી. તેમને જાણવું હતું કે અમૌ હાજીના શરીર પર કોઈ બેક્ટેરિયા વાયરસ તો નથીને? પરંતુ પરીક્ષણ બાદ વિશેષજ્ઞો ચોંકી ગયા હતા કારણ કે તેમને અમૌ હાજીના શરીર પરથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ નહોતા મળ્યા. આ એક ચોંકાવનારી ઘટના છે કે એક માણસ આટલો ગંદો હોવા છતાં તે એક પણ વાર બીમાર નહોતો પડ્યો. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.