દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:42:13

ઈરાનમાં રહેવાવાળા દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ મોત થઈ ગયું છે. 94 વર્ષના અમૌ હાજી લગભગ 60 વર્ષથી નહાયા નહોતા. અમૌ હાજીએ ઈરાનના હેજગાહ ગામમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અમૌ હાજી એટલે એ જ માણસ જેના ફોટો હમણાં થોડા સમય પહેલા વાયરલ થયા હતા. આ ફોટો એટલા માટે વાયરલ કરવામાં આવ્યા હતા કારણ કે અમૌ હાજીને તેમના પાડોશીઓએ બળજબરીથી સ્નાન કરાવ્યું હતું. 


નાનપણથી મગજમાં થઈ ગઈ હતી અસર 

પોતાના યુવાન અવસ્થામાં અમૌ હાજીએ બહું કપરો સમય જોયો હતો. આ સમયના કારણે તેના મગજ પર આડઅસર થઈ હતી. અમૌ હાજીને એવું હતું કે નહાશે તો તે બીમાર પડશે તેના કારણે તે 60 વર્ષ સુધી નહાયા વગર રહ્યા હતા. અમૌ હાજીના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સાફ-સફાઈ રાખશે તો તે બીમાર પડી જશે. 

અમૌ હાજી આટલા ગંદા હોવા છતાં બીમાર નહોતા પડ્યા

વર્ષ 2013ની અંદર ધ સ્ટ્રેંજ લાઈફ ઑફ અમૌ હાજી નામની એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી દુનિયાના સૌથી ગંદા માણસ એટલે કે અમૌ હાજીના જીવન પર હતી. દુનિયાના અનેક વિશ્લેષકો અમૌ હાજીની તાપસ કરી હતી. તેમને જાણવું હતું કે અમૌ હાજીના શરીર પર કોઈ બેક્ટેરિયા વાયરસ તો નથીને? પરંતુ પરીક્ષણ બાદ વિશેષજ્ઞો ચોંકી ગયા હતા કારણ કે તેમને અમૌ હાજીના શરીર પરથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ નહોતા મળ્યા. આ એક ચોંકાવનારી ઘટના છે કે એક માણસ આટલો ગંદો હોવા છતાં તે એક પણ વાર બીમાર નહોતો પડ્યો. 




પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..