દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:42:13

ઈરાનમાં રહેવાવાળા દુનિયાના સૌથી ગંદા માણસનું નહાયા બાદ મોત થઈ ગયું છે. 94 વર્ષના અમૌ હાજી લગભગ 60 વર્ષથી નહાયા નહોતા. અમૌ હાજીએ ઈરાનના હેજગાહ ગામમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અમૌ હાજી એટલે એ જ માણસ જેના ફોટો હમણાં થોડા સમય પહેલા વાયરલ થયા હતા. આ ફોટો એટલા માટે વાયરલ કરવામાં આવ્યા હતા કારણ કે અમૌ હાજીને તેમના પાડોશીઓએ બળજબરીથી સ્નાન કરાવ્યું હતું. 


નાનપણથી મગજમાં થઈ ગઈ હતી અસર 

પોતાના યુવાન અવસ્થામાં અમૌ હાજીએ બહું કપરો સમય જોયો હતો. આ સમયના કારણે તેના મગજ પર આડઅસર થઈ હતી. અમૌ હાજીને એવું હતું કે નહાશે તો તે બીમાર પડશે તેના કારણે તે 60 વર્ષ સુધી નહાયા વગર રહ્યા હતા. અમૌ હાજીના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સાફ-સફાઈ રાખશે તો તે બીમાર પડી જશે. 

અમૌ હાજી આટલા ગંદા હોવા છતાં બીમાર નહોતા પડ્યા

વર્ષ 2013ની અંદર ધ સ્ટ્રેંજ લાઈફ ઑફ અમૌ હાજી નામની એક નાની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી દુનિયાના સૌથી ગંદા માણસ એટલે કે અમૌ હાજીના જીવન પર હતી. દુનિયાના અનેક વિશ્લેષકો અમૌ હાજીની તાપસ કરી હતી. તેમને જાણવું હતું કે અમૌ હાજીના શરીર પર કોઈ બેક્ટેરિયા વાયરસ તો નથીને? પરંતુ પરીક્ષણ બાદ વિશેષજ્ઞો ચોંકી ગયા હતા કારણ કે તેમને અમૌ હાજીના શરીર પરથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ નહોતા મળ્યા. આ એક ચોંકાવનારી ઘટના છે કે એક માણસ આટલો ગંદો હોવા છતાં તે એક પણ વાર બીમાર નહોતો પડ્યો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.