રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે ચાલતો વિવાદ શાંત થયો! સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયા બાદ પાર્ટીએ કરી આ જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-05-30 10:48:29

રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બંને નેતાઓના નેતૃત્વમાં લડાશે. 

બંને નેતાઓ સાથે મળી ચૂંટણી લડશે!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલતો હતો. પોતાની સરકાર વિરૂદ્ધ સચિન પાયલોટે મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી રંધાવા પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકસાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠકમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

મીટિંગ દરમિયાન રાહુલ ગાંધી પણ હતા ઉપસ્થિત!

વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. જે પછી પાર્ટીએ નિર્ણય કર્યો કે ગેહલોત અને પાયલોટ બંને મળીને ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે. આ દરમિયાન ગેહલોત અને પાયલોટ બંને હસતા હતા.       


સચિન પાયલોટ સમાધાન બાદ નહીં કરે આંદોલન!

મહત્વનું છે કે સચિન પાયલોટ દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ 30મેના રોજ પૂર્ણ થવાનું છે. પરંતુ અલ્ટીમેટમ પૂરૂ થાય તે પહેલા જ મામલો સમેટાઈ ગયો છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સચિન પાયલોટે કંઈ નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાધાન બાદ પાયલોટ હવે આંદોલન નહીં કરે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.