રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે ચાલતો વિવાદ શાંત થયો! સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયા બાદ પાર્ટીએ કરી આ જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-05-30 10:48:29

રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બંને નેતાઓના નેતૃત્વમાં લડાશે. 

બંને નેતાઓ સાથે મળી ચૂંટણી લડશે!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલતો હતો. પોતાની સરકાર વિરૂદ્ધ સચિન પાયલોટે મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી રંધાવા પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકસાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠકમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

મીટિંગ દરમિયાન રાહુલ ગાંધી પણ હતા ઉપસ્થિત!

વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. જે પછી પાર્ટીએ નિર્ણય કર્યો કે ગેહલોત અને પાયલોટ બંને મળીને ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે. આ દરમિયાન ગેહલોત અને પાયલોટ બંને હસતા હતા.       


સચિન પાયલોટ સમાધાન બાદ નહીં કરે આંદોલન!

મહત્વનું છે કે સચિન પાયલોટ દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ 30મેના રોજ પૂર્ણ થવાનું છે. પરંતુ અલ્ટીમેટમ પૂરૂ થાય તે પહેલા જ મામલો સમેટાઈ ગયો છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સચિન પાયલોટે કંઈ નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાધાન બાદ પાયલોટ હવે આંદોલન નહીં કરે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.