રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે ચાલતો વિવાદ શાંત થયો! સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયા બાદ પાર્ટીએ કરી આ જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-05-30 10:48:29

રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના ઘરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બંને નેતાઓના નેતૃત્વમાં લડાશે. 

બંને નેતાઓ સાથે મળી ચૂંટણી લડશે!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલતો હતો. પોતાની સરકાર વિરૂદ્ધ સચિન પાયલોટે મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી રંધાવા પણ ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકસાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠકમાં રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા.

મીટિંગ દરમિયાન રાહુલ ગાંધી પણ હતા ઉપસ્થિત!

વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. જે પછી પાર્ટીએ નિર્ણય કર્યો કે ગેહલોત અને પાયલોટ બંને મળીને ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે. આ દરમિયાન ગેહલોત અને પાયલોટ બંને હસતા હતા.       


સચિન પાયલોટ સમાધાન બાદ નહીં કરે આંદોલન!

મહત્વનું છે કે સચિન પાયલોટ દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ 30મેના રોજ પૂર્ણ થવાનું છે. પરંતુ અલ્ટીમેટમ પૂરૂ થાય તે પહેલા જ મામલો સમેટાઈ ગયો છે. મુદ્દો ઉકેલાઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સચિન પાયલોટે કંઈ નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાધાન બાદ પાયલોટ હવે આંદોલન નહીં કરે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.