સંસદમાં જોવા મળી કોરોનાની અસર, માસ્ક પહેરી સંસદ પહોંચ્યા સાંસદો


  • Published By :
  • Published Date : 2022-12-22 13:26:44

વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે. જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. દુનિયામાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતામાં પણ વદારો થયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઉપરાંત સંસદમાં સાંસદોએ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી હતી. ઉપરાંત લોકોસભાના સ્પિકર ઓમ બીરલા અને રાજ્યસભાના ચેરમેન સંસદમાં માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરીને રાજ્યસભાની કાર્યવાહીમાં બેઠા હતા. 

Image

PM મોદી માસ્ક પહેરી સંસદ પહોંચ્યા 

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં લોકોને કોરોના અંગે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત આજે બપોરે પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવાના છે. ત્યારે સંસદમાં પણ કોરોનાને લઈ જાગૃત્તા દેખાઈ હતી. સાંસદો માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરી સંસદની કાર્યવાહી દરમિયાન જોવા મળ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું કે કોરોના મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહ્યુ છે. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે. સંસદમાં પણ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત જે સાંસદો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા તેમને માસ્ક આપવામાં આવ્યું હતું. 

Image


Image


અનેક મુખ્યમંત્રીઓએ બોલાવી ઈમરજન્સી બેઠક 

વધતા કોરોના સંક્રમણને લઈ દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મુખ્યમંત્રીઓ વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક યોજવાના છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.