સંસદમાં જોવા મળી કોરોનાની અસર, માસ્ક પહેરી સંસદ પહોંચ્યા સાંસદો


  • Published By :
  • Published Date : 2022-12-22 13:26:44

વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે. જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. દુનિયામાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતામાં પણ વદારો થયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઉપરાંત સંસદમાં સાંસદોએ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી હતી. ઉપરાંત લોકોસભાના સ્પિકર ઓમ બીરલા અને રાજ્યસભાના ચેરમેન સંસદમાં માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરીને રાજ્યસભાની કાર્યવાહીમાં બેઠા હતા. 

Image

PM મોદી માસ્ક પહેરી સંસદ પહોંચ્યા 

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં લોકોને કોરોના અંગે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત આજે બપોરે પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવાના છે. ત્યારે સંસદમાં પણ કોરોનાને લઈ જાગૃત્તા દેખાઈ હતી. સાંસદો માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરી સંસદની કાર્યવાહી દરમિયાન જોવા મળ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું કે કોરોના મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહ્યુ છે. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે. સંસદમાં પણ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત જે સાંસદો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા તેમને માસ્ક આપવામાં આવ્યું હતું. 

Image


Image


અનેક મુખ્યમંત્રીઓએ બોલાવી ઈમરજન્સી બેઠક 

વધતા કોરોના સંક્રમણને લઈ દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મુખ્યમંત્રીઓ વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક યોજવાના છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.