આતુરતાનો આવ્યો અંત, અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-07-11 17:05:26

આવનાર દિવસોમાં બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો આવી રહી છે. તેમાં અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2 તેમજ શાહરૂખ ખાનની જવાન ફિલ્મ આવી રહી છે. બંને ફિલ્મોને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગઈકાલે જવાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જ્યારે આજે ઓએમજી-2નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર અને ટ્રેલરને લઈ ફેન્સમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ટીઝર અને ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

  

ફિલ્મનું ટીઝર થયું રિલીઝ 

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. તે બાદ થોડા દિવસો પહેલા ફિલ્મના ટીઝરના એનાઉન્સમેન્ટને લઈ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું ટીઝર કમિંગ સૂન. ત્યારે આજે આખરે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ફસ્ટ લૂક સામે આવ્યા બાદ ફેન્સમાં ફિલ્મને લઈ ક્રેઝ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ટીઝરને સારો પ્રતિસાદ મળી રહ્યો  છે. 


ટીઝરમાં ઓએમજીની બતાવાઈ છે ઝલક 

ફિલ્મનું ટીઝર વોઈસ-ઓવર પર શરૂ થાય છે જેમાં પહેલા ઓએમજીની ઝલક બતાવવામાં આવે છે. પહેલી ફિલ્મમાં નાસ્તિકની વાત કરવામાં આવી છે. તો આ ફિલ્મમાં આસ્તિક ભક્તની કહાની બતાવવામાં આવી છે. તે ભક્તનું માનવું છે કે જો ભગવાનને સાચા દિલથી યાદ કરવામાં આવે તો ભક્તોની પોકારને ભગવાન સાંભળે છે. ભગવાન પોતાના ભક્તમાં ભેદભાવ નથી કરતા. તે બાદ ટેગલાઈન સંભળાય છે. રાખ વિશ્વાસ, તૂ છે શિવનો ભક્ત. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કાંતિકરણના જીવનમાં તોફાન આવે છે. વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે ભગવાન ભોલેનાથ પર રાખેલો વિશ્વાસ ઓછો નથી થવા દેતો. એવો વિશ્વાસ રાખે છે કે શિવ ભગવાન પોતે તેની મદદે આવે છે.


11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ

જ્યારે જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ટીઝર રિલીઝ થતાં ફિલ્મને લઈ અક્ષયના ફેન્સમાં ઉત્સુક્તા વધી રહી છે. થિયેરટોમાં આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ઓએમજીમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે ફિલ્મની સિક્વલમાં તે ભોલેનાથની ભૂમિકામાં જોવા મળવાના છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ ફ્લોપ જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરશે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડી જશે. જે પ્રેમ ફિલ્મના ટીઝરને મળી રહ્યો છે તે પ્રેમ ફિલ્મને મળશે કે નહીં તે 11 ઓગસ્ટ બાદ ખબર પડશે.          




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.