આતુરતાનો આવ્યો અંત, અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-11 17:05:26

આવનાર દિવસોમાં બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો આવી રહી છે. તેમાં અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2 તેમજ શાહરૂખ ખાનની જવાન ફિલ્મ આવી રહી છે. બંને ફિલ્મોને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગઈકાલે જવાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જ્યારે આજે ઓએમજી-2નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર અને ટ્રેલરને લઈ ફેન્સમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ટીઝર અને ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

  

ફિલ્મનું ટીઝર થયું રિલીઝ 

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. તે બાદ થોડા દિવસો પહેલા ફિલ્મના ટીઝરના એનાઉન્સમેન્ટને લઈ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું ટીઝર કમિંગ સૂન. ત્યારે આજે આખરે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ફસ્ટ લૂક સામે આવ્યા બાદ ફેન્સમાં ફિલ્મને લઈ ક્રેઝ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ટીઝરને સારો પ્રતિસાદ મળી રહ્યો  છે. 


ટીઝરમાં ઓએમજીની બતાવાઈ છે ઝલક 

ફિલ્મનું ટીઝર વોઈસ-ઓવર પર શરૂ થાય છે જેમાં પહેલા ઓએમજીની ઝલક બતાવવામાં આવે છે. પહેલી ફિલ્મમાં નાસ્તિકની વાત કરવામાં આવી છે. તો આ ફિલ્મમાં આસ્તિક ભક્તની કહાની બતાવવામાં આવી છે. તે ભક્તનું માનવું છે કે જો ભગવાનને સાચા દિલથી યાદ કરવામાં આવે તો ભક્તોની પોકારને ભગવાન સાંભળે છે. ભગવાન પોતાના ભક્તમાં ભેદભાવ નથી કરતા. તે બાદ ટેગલાઈન સંભળાય છે. રાખ વિશ્વાસ, તૂ છે શિવનો ભક્ત. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કાંતિકરણના જીવનમાં તોફાન આવે છે. વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે ભગવાન ભોલેનાથ પર રાખેલો વિશ્વાસ ઓછો નથી થવા દેતો. એવો વિશ્વાસ રાખે છે કે શિવ ભગવાન પોતે તેની મદદે આવે છે.


11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ

જ્યારે જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ટીઝર રિલીઝ થતાં ફિલ્મને લઈ અક્ષયના ફેન્સમાં ઉત્સુક્તા વધી રહી છે. થિયેરટોમાં આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ઓએમજીમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે ફિલ્મની સિક્વલમાં તે ભોલેનાથની ભૂમિકામાં જોવા મળવાના છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ ફ્લોપ જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરશે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડી જશે. જે પ્રેમ ફિલ્મના ટીઝરને મળી રહ્યો છે તે પ્રેમ ફિલ્મને મળશે કે નહીં તે 11 ઓગસ્ટ બાદ ખબર પડશે.          




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.