ShahRukh Khanના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, Jawanનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, શું તમે જોયું ટ્રેલર?


  • Published By :
  • Published Date : 2023-08-31 14:53:00

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનના ફેન્સ કિંગ ખાનને મોટા પડદા પર જોવા માટે આતુર હતા. શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને લઈ શાહરૂખના ફેન્સમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. મહત્વનું છે કે જવાન ફિલ્મ પહેલા પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. 

જવાન ફિલ્મના ટ્રેલરને મળ્યો સારો રિસ્પોન્સ 

આપણે ત્યાં લોકોના આદર્શ રિયલ હિરોઝ નહીં પરંતુ ફિલ્મોના એક્ટર હોય છે. જેટલા લોકો આર્મીના કે પોલીસના ફેન્સ નથી હોતા તેટલા ફેન્સ બોલિવુડ સ્ટારના હોય છે. કરોડો લોકો અભિનેતાઓના ચાહકો હોય છે. ત્યારે શાહરૂખાનના ફેન ફોલોઈંગની તો વાત જ ક્યા કરવી. જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે શાહરૂખ ખાનના ઘર આગળ શાહરૂખ ખાનની એક ઝલક માટે લોકો ભેગા થતા હોય છે અને કલાકો સુધી તેમની રાહ જોતા હોય છે. ત્યારે આજે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મને તો સારો રિસ્પોન્સ મળશે તેવું લાગે છે પરંતુ ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દર્શકો ફિલ્મને લઈ ઉત્સુક દેખાઈ રહ્યા છે.    


ડબલ રોલમાં જોવા મળી શકે છે કિંગ ખાન 

ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત શાહરૂખ ખાનના વોઈસ ઓવરથી થાય છે. વોઈસ ઓવરમાં કહેવામાં આવે છે કે એક રાજા થા... એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. તે ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ભટક્યો હતો. તે ખૂબ જ ગુસ્સામાં હતો. જવાનનું ટ્રેલર રિલીઝ થતાં જ માત્ર થોડા કલાકોની અંદર જ મિલીયનથી વધારે views આવી ગયા હતા. જેમ જેમ જવાનનું ટ્રેલર આગળ વધે છે તેમ તેમ ટ્રેલર એકદમ એક્શન વાળું થતું જાય છે. ટ્રેલરની શરૂઆતમાં જ ટ્રેન હાઈઝેક થઈ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળી રહ્યા છે. ક્યારે મેજર બનીને દુશ્મનોથી લડે છે તો ક્યારેક વિલન બની લોકોને ડરાવે છે. 



7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

શાહરૂખ ખાન ઉપરાંત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા સહિતના અનેક કલાકારો જોવા મળવાના છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળવાના છે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરને જોઈ દર્શકોમાં ફિલ્મને જોવાનો ઉત્સાહ વધારે વધી ગયો છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મને લઈ હમણાંથી એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મની ડિમાન્ડને જોતા સવારે 6 વાગ્યે પણ ફિલ્મના શોના રાખવામાં આવ્યા છે.   




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.