શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, આવતી કાલે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-09 16:06:36

25 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખની સાથે દિપીકા પાદુકોણ જોવા મળવાની છે. ચાર વર્ષ પછી શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળવાના છે. પઠાણ ફિલ્મનું ટ્રેલર આવતી કાલે રિલીઝ થવાનું છે. શાહરૂખના ફેન્સ ટ્રેલરને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આવતી કાલે 11 વાગ્યે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. 


પઠાણ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે સલમાન ખાન!!! 

પઠાણ ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ શાહરૂખ ખાનના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. એવા સમાચાર હતા કે 11 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે પરંતુ હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રેલરના ટાઈમ અને ડેટ અંગે જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું કે એક પઠાણ આવી રહ્યો છે તમારૂ દિલ જીતવા. પઠાણનું ટ્રેલર કાલે 11 વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેલરમાં સલમાન પણ દેખાઈ શકે છે. અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે આ ટ્રેલરના ટુકડામાં સ્પાઈ યૂનિવર્સના આઈરન મેન, સલમાન ખાન પણ દેખાઈ શકે છે.   

Protest against Shah Rukh Khan's film 'Pathan', #BoycottPathaan trended on  Twitter | Sandesh


Blast From Past: Shah Rukh Khan, Salman Khan are all smiles as they pose  with Amrish Puri on Karan Arjun sets | PINKVILLA


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ   

પઠાણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. બેશરમ રંગ સોન્ગને લઈ વિવાદ છેડાયો હતો. આ ગીતમાં જે રંગનો ઉપયોગ થયો હતો તેને લઈ ફિલ્મનો વિરોધ થયો હતો. વિવાદ વધતા ફિલ્મમાંથી અનેક સિન કટ કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર અનેક ભાષાઓમાં રિલીઝ થવાનું છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.