શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, આવતી કાલે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-09 16:06:36

25 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખની સાથે દિપીકા પાદુકોણ જોવા મળવાની છે. ચાર વર્ષ પછી શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળવાના છે. પઠાણ ફિલ્મનું ટ્રેલર આવતી કાલે રિલીઝ થવાનું છે. શાહરૂખના ફેન્સ ટ્રેલરને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આવતી કાલે 11 વાગ્યે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. 


પઠાણ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે સલમાન ખાન!!! 

પઠાણ ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ શાહરૂખ ખાનના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. એવા સમાચાર હતા કે 11 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે પરંતુ હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રેલરના ટાઈમ અને ડેટ અંગે જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું કે એક પઠાણ આવી રહ્યો છે તમારૂ દિલ જીતવા. પઠાણનું ટ્રેલર કાલે 11 વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેલરમાં સલમાન પણ દેખાઈ શકે છે. અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે આ ટ્રેલરના ટુકડામાં સ્પાઈ યૂનિવર્સના આઈરન મેન, સલમાન ખાન પણ દેખાઈ શકે છે.   

Protest against Shah Rukh Khan's film 'Pathan', #BoycottPathaan trended on  Twitter | Sandesh


Blast From Past: Shah Rukh Khan, Salman Khan are all smiles as they pose  with Amrish Puri on Karan Arjun sets | PINKVILLA


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ   

પઠાણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. બેશરમ રંગ સોન્ગને લઈ વિવાદ છેડાયો હતો. આ ગીતમાં જે રંગનો ઉપયોગ થયો હતો તેને લઈ ફિલ્મનો વિરોધ થયો હતો. વિવાદ વધતા ફિલ્મમાંથી અનેક સિન કટ કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર અનેક ભાષાઓમાં રિલીઝ થવાનું છે.    



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.