Bhavanagarમાં તથ્યવાળી ઘટના બનતા બનતા રહી ગઈ! જન્મદિવસની ઉજવણી માટે સગીરને વાલીએ આપી ગાડી,સર્જ્યો અકસ્માત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:17:05

થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.  એ અકસ્માતમાં નવ જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરમાં પણ તથ્યવાળી થતા બચી છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ગાડીની અડફેટે આવ્યા હતા. સદનસીબે અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ દુર્ઘટના તો સર્જાઈ છે. માતા પિતાએ સગીરને સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી અને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. 

સગીરોને વાહનો આપતા પહેલા વાલીઓએ કરવો જોઈએ વિચાર

રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો અનેક વખત આપણે જોયા છે. તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવે છે તેવી વાતો પણ, તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. વ્હાલમાં આવીને સગીરોને માતા પિતાઓ વાહનચલાવવા આપી દેતા હોય છે. બાળકના પ્રેમમાં વહીને તેઓ કાયદાને પણ ભૂલી જતા હોય છે કે સગીરાઓને વાહન ચલાવવા ન અપાય, ટૂ વ્હીલર પણ ન આપી શકાય પરંતુ ભાવનગરમાં એક સગીરને તેના વ્હાલીએ ફોર વ્હીલર્સ આપી દીધું. બર્થડે હતી અને ઉજવણી માટે વ્હાલીએ સગીરને સ્કોર્પિયો ગાડી આપી દીધી. 16 વર્ષીય સગીરે તથ્ય પટેલની જેમ ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. 

A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની  સ્પીડની ઉપર હતી, tathya-patel-hit-and-run-case-tathya-patel -admitted-speed-of-car

સ્કોર્પિયો ગાડીથી અનેક વાહનોને લીધા અકફેટે, લોકો થયા ઈજાગ્રસ્ત 

આ અકસ્માત અમદાવાદ જેવો ભીષણ ન હતો. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 9થી 10 લોકોના મોત થયા હતા. ત્યારે ભાવનગરમાં પણ એક મોટી દુર્ઘટના થતા થતા બચી છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયોથી અકસ્માત સર્જ્યો છે. રોંગ સાઈડમાં આ વાહન આવ્યું અને અનેક લોકોને તેમજ અનેક વાહનોને પોતાની અડફેટે લઈ લીધા. અમદાવાદમાં થયેલા અકસ્માત હજી લોકો ભૂલી નથી શક્યા ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરમાં ગઈકાલે બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટના ટળી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર સગીરની પોલીસે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીર ફરાર ન થઈ જાય તે માટે લોકોને તેને રોકી રાખ્યો હતો. પોલીસ ત્યાં આવી ત્યારે તેને પોલીસને હવાલે કરી દીધો હતો. 


પુત્ર પ્રેમમાં અંધ થઈ વાલીઓ આપી દેતા હોય છે સગીરોને વાહન! 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જે સગીરે અકસ્માત સર્જ્યો હતો તે સગીરનો જન્મદિવસ હતો. પોતાના મિત્રો સાથે તે જઈ રહ્યો હતો તે વખતે અકસ્માત સર્જ્યા. મહત્વનું છે કે અનેક વાલીઓ દેખાદેખીમાં પોતાના બાળકોને મોંઘીઘાટ ગાડીઓ આપી દેતા હોય છે. કાયદો પણ વાહન આપવાની ના પાડે છે ત્યારે વાલીઓ પુત્ર પ્રેમમાં આવી આવી મોટી ગાડીઓ આપી દેતા હોય છે જેને હેન્ડલ કરવી એટલી સરળ નથી હોતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈના જીવ નથી ગયા પરંતુ જો ગયા હોત તો જવાબદાર કોણ હોત? 




ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.