Bhavanagarમાં તથ્યવાળી ઘટના બનતા બનતા રહી ગઈ! જન્મદિવસની ઉજવણી માટે સગીરને વાલીએ આપી ગાડી,સર્જ્યો અકસ્માત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:17:05

થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.  એ અકસ્માતમાં નવ જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરમાં પણ તથ્યવાળી થતા બચી છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ગાડીની અડફેટે આવ્યા હતા. સદનસીબે અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ દુર્ઘટના તો સર્જાઈ છે. માતા પિતાએ સગીરને સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી અને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. 

સગીરોને વાહનો આપતા પહેલા વાલીઓએ કરવો જોઈએ વિચાર

રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો અનેક વખત આપણે જોયા છે. તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવે છે તેવી વાતો પણ, તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. વ્હાલમાં આવીને સગીરોને માતા પિતાઓ વાહનચલાવવા આપી દેતા હોય છે. બાળકના પ્રેમમાં વહીને તેઓ કાયદાને પણ ભૂલી જતા હોય છે કે સગીરાઓને વાહન ચલાવવા ન અપાય, ટૂ વ્હીલર પણ ન આપી શકાય પરંતુ ભાવનગરમાં એક સગીરને તેના વ્હાલીએ ફોર વ્હીલર્સ આપી દીધું. બર્થડે હતી અને ઉજવણી માટે વ્હાલીએ સગીરને સ્કોર્પિયો ગાડી આપી દીધી. 16 વર્ષીય સગીરે તથ્ય પટેલની જેમ ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. 

A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની  સ્પીડની ઉપર હતી, tathya-patel-hit-and-run-case-tathya-patel -admitted-speed-of-car

સ્કોર્પિયો ગાડીથી અનેક વાહનોને લીધા અકફેટે, લોકો થયા ઈજાગ્રસ્ત 

આ અકસ્માત અમદાવાદ જેવો ભીષણ ન હતો. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 9થી 10 લોકોના મોત થયા હતા. ત્યારે ભાવનગરમાં પણ એક મોટી દુર્ઘટના થતા થતા બચી છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયોથી અકસ્માત સર્જ્યો છે. રોંગ સાઈડમાં આ વાહન આવ્યું અને અનેક લોકોને તેમજ અનેક વાહનોને પોતાની અડફેટે લઈ લીધા. અમદાવાદમાં થયેલા અકસ્માત હજી લોકો ભૂલી નથી શક્યા ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરમાં ગઈકાલે બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટના ટળી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર સગીરની પોલીસે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીર ફરાર ન થઈ જાય તે માટે લોકોને તેને રોકી રાખ્યો હતો. પોલીસ ત્યાં આવી ત્યારે તેને પોલીસને હવાલે કરી દીધો હતો. 


પુત્ર પ્રેમમાં અંધ થઈ વાલીઓ આપી દેતા હોય છે સગીરોને વાહન! 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જે સગીરે અકસ્માત સર્જ્યો હતો તે સગીરનો જન્મદિવસ હતો. પોતાના મિત્રો સાથે તે જઈ રહ્યો હતો તે વખતે અકસ્માત સર્જ્યા. મહત્વનું છે કે અનેક વાલીઓ દેખાદેખીમાં પોતાના બાળકોને મોંઘીઘાટ ગાડીઓ આપી દેતા હોય છે. કાયદો પણ વાહન આપવાની ના પાડે છે ત્યારે વાલીઓ પુત્ર પ્રેમમાં આવી આવી મોટી ગાડીઓ આપી દેતા હોય છે જેને હેન્ડલ કરવી એટલી સરળ નથી હોતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈના જીવ નથી ગયા પરંતુ જો ગયા હોત તો જવાબદાર કોણ હોત? 




સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.