ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની આજે અંતિમ મેચ, તિરૂવનંતપુરમ ખાતે રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-01-15 08:57:14

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ છે. તિરૂવનંતપુરમ ખાતે મેચ રમાવાની છે. વન ડે સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો  વિજય થયો છે. ભારત 2-0ની લીડ સાથે આગળ છે. અંતિમ મેચ હોવાને કારણે આ સીરીઝ જીતવાનો પ્રયત્ન ભારત કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 1.30 વાગ્યે શરૂ થશે. 


2 મેચમાં ભારતનો થયો છે વિજય 

તિરૂવનંતપૂરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે ભારત-શ્રીલંકાની વન-ડેની અંતિમ મેચ રમાવાની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ભારતે 3 મેચોમાંથી બે મેચમાં જીત પોતાને નામ કરી લીધી છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. 2-0ની લીડ હોવાને કારણે આજની આ મેચ રોમાંચક હશે.  


સીરીઝને જીતવા ભારતીય ટીમનો પ્રયાસ 

સીરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ભારતનો 67 રનથી વિજય થયો હતો. આ સિરિઝની બીજી મેચ કોલકાત્તાના સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની પસંદ હતી અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 43.2 ઓવરમાં જ આ ટાર્ગેટને હાંસલ કરી જીત પોતાને નામ કરી લીધી હતી. ત્યારે આજે સીરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમ ખાતે રમાવાની છે. મેચ પહેલા ભારત ટીમના અનેક ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે જેમાં તેઓ ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.       

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.