ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની આજે અંતિમ મેચ, તિરૂવનંતપુરમ ખાતે રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-01-15 08:57:14

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ છે. તિરૂવનંતપુરમ ખાતે મેચ રમાવાની છે. વન ડે સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો  વિજય થયો છે. ભારત 2-0ની લીડ સાથે આગળ છે. અંતિમ મેચ હોવાને કારણે આ સીરીઝ જીતવાનો પ્રયત્ન ભારત કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 1.30 વાગ્યે શરૂ થશે. 


2 મેચમાં ભારતનો થયો છે વિજય 

તિરૂવનંતપૂરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે ભારત-શ્રીલંકાની વન-ડેની અંતિમ મેચ રમાવાની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ભારતે 3 મેચોમાંથી બે મેચમાં જીત પોતાને નામ કરી લીધી છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. 2-0ની લીડ હોવાને કારણે આજની આ મેચ રોમાંચક હશે.  


સીરીઝને જીતવા ભારતીય ટીમનો પ્રયાસ 

સીરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ભારતનો 67 રનથી વિજય થયો હતો. આ સિરિઝની બીજી મેચ કોલકાત્તાના સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની પસંદ હતી અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 43.2 ઓવરમાં જ આ ટાર્ગેટને હાંસલ કરી જીત પોતાને નામ કરી લીધી હતી. ત્યારે આજે સીરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમ ખાતે રમાવાની છે. મેચ પહેલા ભારત ટીમના અનેક ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે જેમાં તેઓ ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.       

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.