ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની આજે અંતિમ મેચ, તિરૂવનંતપુરમ ખાતે રમાશે મેચ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-15 08:57:14

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ છે. તિરૂવનંતપુરમ ખાતે મેચ રમાવાની છે. વન ડે સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો  વિજય થયો છે. ભારત 2-0ની લીડ સાથે આગળ છે. અંતિમ મેચ હોવાને કારણે આ સીરીઝ જીતવાનો પ્રયત્ન ભારત કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 1.30 વાગ્યે શરૂ થશે. 


2 મેચમાં ભારતનો થયો છે વિજય 

તિરૂવનંતપૂરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે ભારત-શ્રીલંકાની વન-ડેની અંતિમ મેચ રમાવાની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ભારતે 3 મેચોમાંથી બે મેચમાં જીત પોતાને નામ કરી લીધી છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. 2-0ની લીડ હોવાને કારણે આજની આ મેચ રોમાંચક હશે.  


સીરીઝને જીતવા ભારતીય ટીમનો પ્રયાસ 

સીરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ભારતનો 67 રનથી વિજય થયો હતો. આ સિરિઝની બીજી મેચ કોલકાત્તાના સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની પસંદ હતી અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 43.2 ઓવરમાં જ આ ટાર્ગેટને હાંસલ કરી જીત પોતાને નામ કરી લીધી હતી. ત્યારે આજે સીરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમ ખાતે રમાવાની છે. મેચ પહેલા ભારત ટીમના અનેક ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે જેમાં તેઓ ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.       

  



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.