ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સીરીઝની આજે અંતિમ મેચ, તિરૂવનંતપુરમ ખાતે રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-01-15 08:57:14

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ છે. તિરૂવનંતપુરમ ખાતે મેચ રમાવાની છે. વન ડે સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો  વિજય થયો છે. ભારત 2-0ની લીડ સાથે આગળ છે. અંતિમ મેચ હોવાને કારણે આ સીરીઝ જીતવાનો પ્રયત્ન ભારત કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 1.30 વાગ્યે શરૂ થશે. 


2 મેચમાં ભારતનો થયો છે વિજય 

તિરૂવનંતપૂરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે ભારત-શ્રીલંકાની વન-ડેની અંતિમ મેચ રમાવાની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ભારતે 3 મેચોમાંથી બે મેચમાં જીત પોતાને નામ કરી લીધી છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ પોતાને નામ કરવા મેદાનમાં ઉતરશે. 2-0ની લીડ હોવાને કારણે આજની આ મેચ રોમાંચક હશે.  


સીરીઝને જીતવા ભારતીય ટીમનો પ્રયાસ 

સીરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ભારતનો 67 રનથી વિજય થયો હતો. આ સિરિઝની બીજી મેચ કોલકાત્તાના સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાની પસંદ હતી અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 43.2 ઓવરમાં જ આ ટાર્ગેટને હાંસલ કરી જીત પોતાને નામ કરી લીધી હતી. ત્યારે આજે સીરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમ ખાતે રમાવાની છે. મેચ પહેલા ભારત ટીમના અનેક ખેલાડીઓના ફોટા વાયરલ થયા છે જેમાં તેઓ ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.       

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.