ઉત્તરાખંડના ચારધામના કપાટ આ તારીખેથી ખુલશે ભક્તો માટે, અનેક ભક્તો આવે છે દર્શનાર્થે


  • Published By :
  • Published Date : 2023-01-28 11:55:03

ભારતમાં અનેક યાત્રાધામો આવ્યા છે. પરંતુ ચારધામનો વિશેષ મહિમા રહેલો હોય છે. હજારો તેમજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચારધામના દર્શન કરવા આવતા હોય છે. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ તેમજ કેદારનાથની યાત્રાને ચારધામ યાત્રા કહેવામાં આવે છે. 2023માં આ તારીખથી ચારધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 

સર્વ પ્રથમ અહીં જ ગંગાએ કર્યો હતો ધરતીનો સ્પર્શ ! ગંગોત્રી ધામની ભગીરથ  શિલાનું રહસ્ય જાણો - It was here that the Ganges first touched the earth  Learn the secret of Bhagirath

22 એપ્રિલથી ખુલશે ગંગોત્રી-યમનોત્રીના ધામ 

ચારધામના દ્વાર ક્યારથી ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગંગોત્રી-યમનોત્રીના કપાટ 22 એપ્રિલથી ખોલવામાં આવશે જ્યારે કેદારનાથના કપાટ 26 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે. હજારો ભક્તોની આસ્થા ચારધામ સાથે જોડાયેલી હોય છે. દર વર્ષે લાખો ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે. 


હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ 

ગંગોત્રી અને યમનોત્રી ધામ ઉત્તરકાશીમાં સ્થિત છે. ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલ્વાના છે. ગંગોત્રીનગરથી 19 કિમી દૂર ગોમુખ છે. ગંગોત્રીનું ગંગોત્રી મંદિર સમુદ્રથી 3042 મીટરની ઉંચાઈ છે. કેદારનાથ એટલે ભગવાન શંકરનું ધામ. કેદારનાથ એટલે ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ. ગંગોત્રી એટલે માતા ગંગાનું ઉદગમ સ્થાન અને યમુના નદીનું ઉદગમ સ્થાન એટલે યમનોત્રી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.