ઉત્તરાખંડના ચારધામના કપાટ આ તારીખેથી ખુલશે ભક્તો માટે, અનેક ભક્તો આવે છે દર્શનાર્થે


  • Published By :
  • Published Date : 2023-01-28 11:55:03

ભારતમાં અનેક યાત્રાધામો આવ્યા છે. પરંતુ ચારધામનો વિશેષ મહિમા રહેલો હોય છે. હજારો તેમજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચારધામના દર્શન કરવા આવતા હોય છે. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ તેમજ કેદારનાથની યાત્રાને ચારધામ યાત્રા કહેવામાં આવે છે. 2023માં આ તારીખથી ચારધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 

સર્વ પ્રથમ અહીં જ ગંગાએ કર્યો હતો ધરતીનો સ્પર્શ ! ગંગોત્રી ધામની ભગીરથ  શિલાનું રહસ્ય જાણો - It was here that the Ganges first touched the earth  Learn the secret of Bhagirath

22 એપ્રિલથી ખુલશે ગંગોત્રી-યમનોત્રીના ધામ 

ચારધામના દ્વાર ક્યારથી ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગંગોત્રી-યમનોત્રીના કપાટ 22 એપ્રિલથી ખોલવામાં આવશે જ્યારે કેદારનાથના કપાટ 26 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે. હજારો ભક્તોની આસ્થા ચારધામ સાથે જોડાયેલી હોય છે. દર વર્ષે લાખો ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે. 


હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ 

ગંગોત્રી અને યમનોત્રી ધામ ઉત્તરકાશીમાં સ્થિત છે. ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલ્વાના છે. ગંગોત્રીનગરથી 19 કિમી દૂર ગોમુખ છે. ગંગોત્રીનું ગંગોત્રી મંદિર સમુદ્રથી 3042 મીટરની ઉંચાઈ છે. કેદારનાથ એટલે ભગવાન શંકરનું ધામ. કેદારનાથ એટલે ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ. ગંગોત્રી એટલે માતા ગંગાનું ઉદગમ સ્થાન અને યમુના નદીનું ઉદગમ સ્થાન એટલે યમનોત્રી.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.