ઉત્તરાખંડના ચારધામના કપાટ આ તારીખેથી ખુલશે ભક્તો માટે, અનેક ભક્તો આવે છે દર્શનાર્થે


  • Published By :
  • Published Date : 2023-01-28 11:55:03

ભારતમાં અનેક યાત્રાધામો આવ્યા છે. પરંતુ ચારધામનો વિશેષ મહિમા રહેલો હોય છે. હજારો તેમજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચારધામના દર્શન કરવા આવતા હોય છે. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ તેમજ કેદારનાથની યાત્રાને ચારધામ યાત્રા કહેવામાં આવે છે. 2023માં આ તારીખથી ચારધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 

સર્વ પ્રથમ અહીં જ ગંગાએ કર્યો હતો ધરતીનો સ્પર્શ ! ગંગોત્રી ધામની ભગીરથ  શિલાનું રહસ્ય જાણો - It was here that the Ganges first touched the earth  Learn the secret of Bhagirath

22 એપ્રિલથી ખુલશે ગંગોત્રી-યમનોત્રીના ધામ 

ચારધામના દ્વાર ક્યારથી ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગંગોત્રી-યમનોત્રીના કપાટ 22 એપ્રિલથી ખોલવામાં આવશે જ્યારે કેદારનાથના કપાટ 26 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે. હજારો ભક્તોની આસ્થા ચારધામ સાથે જોડાયેલી હોય છે. દર વર્ષે લાખો ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે. 


હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ 

ગંગોત્રી અને યમનોત્રી ધામ ઉત્તરકાશીમાં સ્થિત છે. ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલ્વાના છે. ગંગોત્રીનગરથી 19 કિમી દૂર ગોમુખ છે. ગંગોત્રીનું ગંગોત્રી મંદિર સમુદ્રથી 3042 મીટરની ઉંચાઈ છે. કેદારનાથ એટલે ભગવાન શંકરનું ધામ. કેદારનાથ એટલે ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ. ગંગોત્રી એટલે માતા ગંગાનું ઉદગમ સ્થાન અને યમુના નદીનું ઉદગમ સ્થાન એટલે યમનોત્રી.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.