મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર! હિમવર્ષા અને હજારો ભક્તોની હાજરીમાં ખોલાયા મંદિરના કપાટ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:08:37

ઉત્તરાખંડના ચારધામ યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. ત્યારે 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા ત્યારે આજે ચાર ધામ યાત્રાના ચોથા યાત્રા ધામ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામને 15 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હિમવર્ષા વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર!

ચારધામ યાત્રાનો પ્રારંભ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે ચારધામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી તેમજ યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે 25 એપ્રિલે કેદરારનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાયા હતા. ત્યારે આજે સવારે 7.10 કલાકે મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. મંદિરના દ્વાર જ્યારે ખોલવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવામાં  આવી હતી. તે ઉપરાંત સેનાનું બેન્ડ પણ ત્યાં હાજર હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. 

હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથના કપાટ!

25 એપ્રિલના રોજ કેદરાનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખોલાયા હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે બે દિવસની અંદર જ વીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.