મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર! હિમવર્ષા અને હજારો ભક્તોની હાજરીમાં ખોલાયા મંદિરના કપાટ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:08:37

ઉત્તરાખંડના ચારધામ યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. ત્યારે 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા ત્યારે આજે ચાર ધામ યાત્રાના ચોથા યાત્રા ધામ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામને 15 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હિમવર્ષા વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર!

ચારધામ યાત્રાનો પ્રારંભ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે ચારધામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી તેમજ યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે 25 એપ્રિલે કેદરારનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાયા હતા. ત્યારે આજે સવારે 7.10 કલાકે મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. મંદિરના દ્વાર જ્યારે ખોલવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવામાં  આવી હતી. તે ઉપરાંત સેનાનું બેન્ડ પણ ત્યાં હાજર હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. 

હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથના કપાટ!

25 એપ્રિલના રોજ કેદરાનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખોલાયા હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે બે દિવસની અંદર જ વીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.