મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર! હિમવર્ષા અને હજારો ભક્તોની હાજરીમાં ખોલાયા મંદિરના કપાટ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:08:37

ઉત્તરાખંડના ચારધામ યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. ત્યારે 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા ત્યારે આજે ચાર ધામ યાત્રાના ચોથા યાત્રા ધામ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામને 15 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હિમવર્ષા વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર!

ચારધામ યાત્રાનો પ્રારંભ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે ચારધામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી તેમજ યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે 25 એપ્રિલે કેદરારનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાયા હતા. ત્યારે આજે સવારે 7.10 કલાકે મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. મંદિરના દ્વાર જ્યારે ખોલવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવામાં  આવી હતી. તે ઉપરાંત સેનાનું બેન્ડ પણ ત્યાં હાજર હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. 

હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથના કપાટ!

25 એપ્રિલના રોજ કેદરાનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખોલાયા હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે બે દિવસની અંદર જ વીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.