મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર! હિમવર્ષા અને હજારો ભક્તોની હાજરીમાં ખોલાયા મંદિરના કપાટ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:08:37

ઉત્તરાખંડના ચારધામ યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. ત્યારે 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા ત્યારે આજે ચાર ધામ યાત્રાના ચોથા યાત્રા ધામ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામને 15 ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હિમવર્ષા વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.

  

ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર!

ચારધામ યાત્રાનો પ્રારંભ 22 એપ્રિલથી થઈ ચૂક્યો છે. હિમવર્ષા અને કડકડતી ઠંડી વચ્ચે ચારધામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી તેમજ યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે 25 એપ્રિલે કેદરારનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાયા હતા. ત્યારે આજે સવારે 7.10 કલાકે મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા. મંદિરના દ્વાર જ્યારે ખોલવામાં આવ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવામાં  આવી હતી. તે ઉપરાંત સેનાનું બેન્ડ પણ ત્યાં હાજર હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. 

હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથના કપાટ!

25 એપ્રિલના રોજ કેદરાનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખોલાયા હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે બે દિવસની અંદર જ વીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.