આવતી કાલે ભક્તો માટે ખુલશે કેદારનાથના દ્વાર! ડોલી ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ રહ્યા હાજર!


  • Published By :
  • Published Date : 2023-04-24 17:10:04

અખાત્રીજના દિવસથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો હતો. ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે જ્યારે આવતી કાલે કેદારનાથના કપાટ ખુલવાના છે. ત્યારે કેદારનાથની ડોલી ઉત્તરાખંડના કેદારનથા ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાનની ડોલી આવી હતી. કેદારનાથ મંદિરના દ્વાર આવતી કાલે ખુલવાના છે જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 27 એપ્રિલે ખુલવાના છે. 

આવતી કાલે કેદારનાથના કપાટ ખુલશે!

ચારધામની યાત્રાને આપણે ત્યાં મહત્વની માનવામાં આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાના દર્શને જતાં હોય છે. ઉત્તરાખંડના ચારધામમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. અખાત્રીજના દિવસે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલી ગયા હતા જ્યારે કેદારનાથના દ્વાર આવતી કાલે ખુલવાના છે. બાબા કેદારનાથની ડોલી ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુંઓએ ભગવાનનું સ્વાગત કરેયું હતું.


યાત્રાળુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર!

આ ચારધામની યાત્રામાં સૌથી વધારે વાતાવરણ વિધ્ન નાખે છે. ખરાબ વાતાવરણને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવ્યું છે. રવિવારે પણ ખરાબ હવામાનને કારણે વરસાદ વરસ્યો હતો. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.