આવતી કાલે ભક્તો માટે ખુલશે કેદારનાથના દ્વાર! ડોલી ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ રહ્યા હાજર!


  • Published By :
  • Published Date : 2023-04-24 17:10:04

અખાત્રીજના દિવસથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો હતો. ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે જ્યારે આવતી કાલે કેદારનાથના કપાટ ખુલવાના છે. ત્યારે કેદારનાથની ડોલી ઉત્તરાખંડના કેદારનથા ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાનની ડોલી આવી હતી. કેદારનાથ મંદિરના દ્વાર આવતી કાલે ખુલવાના છે જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 27 એપ્રિલે ખુલવાના છે. 

આવતી કાલે કેદારનાથના કપાટ ખુલશે!

ચારધામની યાત્રાને આપણે ત્યાં મહત્વની માનવામાં આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાના દર્શને જતાં હોય છે. ઉત્તરાખંડના ચારધામમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. અખાત્રીજના દિવસે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલી ગયા હતા જ્યારે કેદારનાથના દ્વાર આવતી કાલે ખુલવાના છે. બાબા કેદારનાથની ડોલી ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુંઓએ ભગવાનનું સ્વાગત કરેયું હતું.


યાત્રાળુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર!

આ ચારધામની યાત્રામાં સૌથી વધારે વાતાવરણ વિધ્ન નાખે છે. ખરાબ વાતાવરણને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવ્યું છે. રવિવારે પણ ખરાબ હવામાનને કારણે વરસાદ વરસ્યો હતો. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.         




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.