આવતી કાલે ભક્તો માટે ખુલશે કેદારનાથના દ્વાર! ડોલી ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ રહ્યા હાજર!


  • Published By :
  • Published Date : 2023-04-24 17:10:04

અખાત્રીજના દિવસથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો હતો. ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે જ્યારે આવતી કાલે કેદારનાથના કપાટ ખુલવાના છે. ત્યારે કેદારનાથની ડોલી ઉત્તરાખંડના કેદારનથા ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાનની ડોલી આવી હતી. કેદારનાથ મંદિરના દ્વાર આવતી કાલે ખુલવાના છે જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 27 એપ્રિલે ખુલવાના છે. 

આવતી કાલે કેદારનાથના કપાટ ખુલશે!

ચારધામની યાત્રાને આપણે ત્યાં મહત્વની માનવામાં આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાના દર્શને જતાં હોય છે. ઉત્તરાખંડના ચારધામમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. અખાત્રીજના દિવસે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલી ગયા હતા જ્યારે કેદારનાથના દ્વાર આવતી કાલે ખુલવાના છે. બાબા કેદારનાથની ડોલી ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુંઓએ ભગવાનનું સ્વાગત કરેયું હતું.


યાત્રાળુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર!

આ ચારધામની યાત્રામાં સૌથી વધારે વાતાવરણ વિધ્ન નાખે છે. ખરાબ વાતાવરણને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવ્યું છે. રવિવારે પણ ખરાબ હવામાનને કારણે વરસાદ વરસ્યો હતો. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.