આનંદો... આનંદો.... આ રાજ્યની સરકાર કુંવારા લોકોને આપશે પેંશન! જાણો કેમ સરકારે લીધો આવો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-05 09:36:39

આપણે હંમેશા સાંભળ્યું હશે કે નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેંશન આપવામાં આવે છે. પરંતુ હવે તો કુંવારા લોકોને પણ પેંશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને લાગતું હશે આ યોજનાનો લાભ ગુજરાતીઓને મળવાનો છે તો તમે ખોટા છો. કુંવારાઓને પેંશન આપવાની જાહેરાત હરિયાણા  સરકાર દ્વારા કરવામાં આવી છે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે.


હરિયાણા સરકાર કુંવારાઓને આપશે પેંશન! 

જો તમે કુંવારા હોવ તો સરકાર તમને આર્થિક સહાય આપશે. જો કે આપણા ગુજરાતમાં નહિ, આ નિર્ણય હરિયાણાની સરકારે કર્યો છે જ્યાં અપરિણીત લોકોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે. ઘટના એ બની કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલ પાસેના એક ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને એક 60 વર્ષના અપરિણીત વ્યક્તિએ પેન્શનને લઇને ફરિયાદ કરી હતી જેનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. 


અનેક લોકોએ આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી 

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. કહેવાય છે કે, ભાજપ સરકારની આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે. હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. જો કે અપરિણીત લોકોને પેન્શનની જાહેરાત એવાસમયે થઇ જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આથી કેટલાક લોકો આ  યોજનાને ચૂંટણીલક્ષી પગલું પણ ગણાવી રહ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ અપરિણીતોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી વધુ ન હોય. આ યોજનાનો લાભ અપરિણીત સ્ત્રી અને અપરિણીત પુરુષ બંનેને મળશે. અંદાજે દર મહિને 2750 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. અપરિણીત ઉપરાંત વિધુર પુરુષોને પણ પેન્શન આપવા અંગે હરિયાણાની સરકાર વિચારી રહી છે 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.