આનંદો... આનંદો.... આ રાજ્યની સરકાર કુંવારા લોકોને આપશે પેંશન! જાણો કેમ સરકારે લીધો આવો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-05 09:36:39

આપણે હંમેશા સાંભળ્યું હશે કે નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેંશન આપવામાં આવે છે. પરંતુ હવે તો કુંવારા લોકોને પણ પેંશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને લાગતું હશે આ યોજનાનો લાભ ગુજરાતીઓને મળવાનો છે તો તમે ખોટા છો. કુંવારાઓને પેંશન આપવાની જાહેરાત હરિયાણા  સરકાર દ્વારા કરવામાં આવી છે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે.


હરિયાણા સરકાર કુંવારાઓને આપશે પેંશન! 

જો તમે કુંવારા હોવ તો સરકાર તમને આર્થિક સહાય આપશે. જો કે આપણા ગુજરાતમાં નહિ, આ નિર્ણય હરિયાણાની સરકારે કર્યો છે જ્યાં અપરિણીત લોકોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે. ઘટના એ બની કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલ પાસેના એક ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને એક 60 વર્ષના અપરિણીત વ્યક્તિએ પેન્શનને લઇને ફરિયાદ કરી હતી જેનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. 


અનેક લોકોએ આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી 

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. કહેવાય છે કે, ભાજપ સરકારની આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે. હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. જો કે અપરિણીત લોકોને પેન્શનની જાહેરાત એવાસમયે થઇ જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આથી કેટલાક લોકો આ  યોજનાને ચૂંટણીલક્ષી પગલું પણ ગણાવી રહ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ અપરિણીતોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી વધુ ન હોય. આ યોજનાનો લાભ અપરિણીત સ્ત્રી અને અપરિણીત પુરુષ બંનેને મળશે. અંદાજે દર મહિને 2750 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. અપરિણીત ઉપરાંત વિધુર પુરુષોને પણ પેન્શન આપવા અંગે હરિયાણાની સરકાર વિચારી રહી છે 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.