આનંદો... આનંદો.... આ રાજ્યની સરકાર કુંવારા લોકોને આપશે પેંશન! જાણો કેમ સરકારે લીધો આવો નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 09:36:39

આપણે હંમેશા સાંભળ્યું હશે કે નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેંશન આપવામાં આવે છે. પરંતુ હવે તો કુંવારા લોકોને પણ પેંશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને લાગતું હશે આ યોજનાનો લાભ ગુજરાતીઓને મળવાનો છે તો તમે ખોટા છો. કુંવારાઓને પેંશન આપવાની જાહેરાત હરિયાણા  સરકાર દ્વારા કરવામાં આવી છે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે.


હરિયાણા સરકાર કુંવારાઓને આપશે પેંશન! 

જો તમે કુંવારા હોવ તો સરકાર તમને આર્થિક સહાય આપશે. જો કે આપણા ગુજરાતમાં નહિ, આ નિર્ણય હરિયાણાની સરકારે કર્યો છે જ્યાં અપરિણીત લોકોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે. ઘટના એ બની કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલ પાસેના એક ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને એક 60 વર્ષના અપરિણીત વ્યક્તિએ પેન્શનને લઇને ફરિયાદ કરી હતી જેનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. 


અનેક લોકોએ આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી 

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. કહેવાય છે કે, ભાજપ સરકારની આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે. હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. જો કે અપરિણીત લોકોને પેન્શનની જાહેરાત એવાસમયે થઇ જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આથી કેટલાક લોકો આ  યોજનાને ચૂંટણીલક્ષી પગલું પણ ગણાવી રહ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ અપરિણીતોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી વધુ ન હોય. આ યોજનાનો લાભ અપરિણીત સ્ત્રી અને અપરિણીત પુરુષ બંનેને મળશે. અંદાજે દર મહિને 2750 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. અપરિણીત ઉપરાંત વિધુર પુરુષોને પણ પેન્શન આપવા અંગે હરિયાણાની સરકાર વિચારી રહી છે 



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.