આનંદો... આનંદો.... આ રાજ્યની સરકાર કુંવારા લોકોને આપશે પેંશન! જાણો કેમ સરકારે લીધો આવો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-05 09:36:39

આપણે હંમેશા સાંભળ્યું હશે કે નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેંશન આપવામાં આવે છે. પરંતુ હવે તો કુંવારા લોકોને પણ પેંશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને લાગતું હશે આ યોજનાનો લાભ ગુજરાતીઓને મળવાનો છે તો તમે ખોટા છો. કુંવારાઓને પેંશન આપવાની જાહેરાત હરિયાણા  સરકાર દ્વારા કરવામાં આવી છે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે.


હરિયાણા સરકાર કુંવારાઓને આપશે પેંશન! 

જો તમે કુંવારા હોવ તો સરકાર તમને આર્થિક સહાય આપશે. જો કે આપણા ગુજરાતમાં નહિ, આ નિર્ણય હરિયાણાની સરકારે કર્યો છે જ્યાં અપરિણીત લોકોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા રાજ્યમાં 45થી 60 વર્ષની ઉંમરના અવિવાહિત લોકો માટે આ પેન્શન યોજના શરૂ થશે. ઘટના એ બની કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલ પાસેના એક ગામમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને એક 60 વર્ષના અપરિણીત વ્યક્તિએ પેન્શનને લઇને ફરિયાદ કરી હતી જેનો જવાબ આપતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું- રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં અવિવાહિત લોકો માટે એક પેન્શન યોજના શરુ કરવાનો પ્લાન બનાવી રહી છે. 


અનેક લોકોએ આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી 

સરકાર એક મહિનાની અંદર આ યોજના પર નિર્ણય લેશે. કહેવાય છે કે, ભાજપ સરકારની આ યોજનાથી રાજ્યના લગભગ બે લાખ લોકોને તેનો લાભ મળશે. હરિયાણા સરકાર પહેલાથી જ રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગો અને ટ્રાંસજેન્ડરોને પેન્શન આપતી રહી છે. જો કે અપરિણીત લોકોને પેન્શનની જાહેરાત એવાસમયે થઇ જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આથી કેટલાક લોકો આ  યોજનાને ચૂંટણીલક્ષી પગલું પણ ગણાવી રહ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ અપરિણીતોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી વધુ ન હોય. આ યોજનાનો લાભ અપરિણીત સ્ત્રી અને અપરિણીત પુરુષ બંનેને મળશે. અંદાજે દર મહિને 2750 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. અપરિણીત ઉપરાંત વિધુર પુરુષોને પણ પેન્શન આપવા અંગે હરિયાણાની સરકાર વિચારી રહી છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.