જોશીમઠને બચાવવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:37:57

જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઉત્તરાખંડના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ધરતી ધસવાને કારણે અનેક લોકો પોતાનું ઘર ખોઈ રહ્યા છે. અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘરો, મંદિરો સહિતની જગ્યાઓ પર તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂસ્ખલન વધવાને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે. 

Image

जोशीमठ में भू धंसाव

PM મોદીએ CM સાથે કરી હતી ફોન પર વાત 

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. જોશીમઠમાં ભુસ્ખલનને કારણે અનેક લોકો પોતાના ઘર ખોઈ બેઠા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ આ મામલાને લઈ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. 

जोशीमठ में दरक रहा पहाड़

जोशीमठ भू-धंसाव


કેન્દ્ર સરકારની ટીમ લેશે સ્થળની મુલાકાત 

ઉત્તરાખંડ સરકારે જોશીમઠને આપદા પ્રભાવિત ક્ષેત્ર ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. જોશીમઠની આસપાસ ચાલતા બાંધકામને ત્વરિત બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પીએમઓએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ત્યાંના લોકોને જલ્દી હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. લોકોને શિફ્ટ કરવા માટે  તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હજી સુધી 70 પરિવારોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે હેલ્થચેક કેમ્પની પણ શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની બે ટીમો જોશીમઠની મુલાકાત લેવા જશે અને ત્યાંની હાલતની તપાસ કરશે.          



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.