જોશીમઠને બચાવવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:37:57

જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઉત્તરાખંડના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ધરતી ધસવાને કારણે અનેક લોકો પોતાનું ઘર ખોઈ રહ્યા છે. અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘરો, મંદિરો સહિતની જગ્યાઓ પર તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂસ્ખલન વધવાને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે. 

Image

जोशीमठ में भू धंसाव

PM મોદીએ CM સાથે કરી હતી ફોન પર વાત 

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. જોશીમઠમાં ભુસ્ખલનને કારણે અનેક લોકો પોતાના ઘર ખોઈ બેઠા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ આ મામલાને લઈ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. 

जोशीमठ में दरक रहा पहाड़

जोशीमठ भू-धंसाव


કેન્દ્ર સરકારની ટીમ લેશે સ્થળની મુલાકાત 

ઉત્તરાખંડ સરકારે જોશીમઠને આપદા પ્રભાવિત ક્ષેત્ર ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. જોશીમઠની આસપાસ ચાલતા બાંધકામને ત્વરિત બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પીએમઓએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ત્યાંના લોકોને જલ્દી હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. લોકોને શિફ્ટ કરવા માટે  તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હજી સુધી 70 પરિવારોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે હેલ્થચેક કેમ્પની પણ શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની બે ટીમો જોશીમઠની મુલાકાત લેવા જશે અને ત્યાંની હાલતની તપાસ કરશે.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.