જોશીમઠને બચાવવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:37:57

જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઉત્તરાખંડના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ધરતી ધસવાને કારણે અનેક લોકો પોતાનું ઘર ખોઈ રહ્યા છે. અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘરો, મંદિરો સહિતની જગ્યાઓ પર તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂસ્ખલન વધવાને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે. 

Image

जोशीमठ में भू धंसाव

PM મોદીએ CM સાથે કરી હતી ફોન પર વાત 

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. જોશીમઠમાં ભુસ્ખલનને કારણે અનેક લોકો પોતાના ઘર ખોઈ બેઠા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ આ મામલાને લઈ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. 

जोशीमठ में दरक रहा पहाड़

जोशीमठ भू-धंसाव


કેન્દ્ર સરકારની ટીમ લેશે સ્થળની મુલાકાત 

ઉત્તરાખંડ સરકારે જોશીમઠને આપદા પ્રભાવિત ક્ષેત્ર ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. જોશીમઠની આસપાસ ચાલતા બાંધકામને ત્વરિત બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પીએમઓએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ત્યાંના લોકોને જલ્દી હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. લોકોને શિફ્ટ કરવા માટે  તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હજી સુધી 70 પરિવારોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે હેલ્થચેક કેમ્પની પણ શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની બે ટીમો જોશીમઠની મુલાકાત લેવા જશે અને ત્યાંની હાલતની તપાસ કરશે.          



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.