જોશીમઠને બચાવવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:37:57

જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઉત્તરાખંડના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ધરતી ધસવાને કારણે અનેક લોકો પોતાનું ઘર ખોઈ રહ્યા છે. અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘરો, મંદિરો સહિતની જગ્યાઓ પર તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂસ્ખલન વધવાને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યા છે. 

Image

जोशीमठ में भू धंसाव

PM મોદીએ CM સાથે કરી હતી ફોન પર વાત 

ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. જોશીમઠમાં ભુસ્ખલનને કારણે અનેક લોકો પોતાના ઘર ખોઈ બેઠા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ આ મામલાને લઈ ગંભીરતા બતાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. 

जोशीमठ में दरक रहा पहाड़

जोशीमठ भू-धंसाव


કેન્દ્ર સરકારની ટીમ લેશે સ્થળની મુલાકાત 

ઉત્તરાખંડ સરકારે જોશીમઠને આપદા પ્રભાવિત ક્ષેત્ર ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. જોશીમઠની આસપાસ ચાલતા બાંધકામને ત્વરિત બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પીએમઓએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ત્યાંના લોકોને જલ્દી હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો. લોકોને શિફ્ટ કરવા માટે  તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હજી સુધી 70 પરિવારોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે હેલ્થચેક કેમ્પની પણ શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકારની બે ટીમો જોશીમઠની મુલાકાત લેવા જશે અને ત્યાંની હાલતની તપાસ કરશે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.