દુનિયાભરના દેશો પર વધતો કોરોનાનો ખતરો!!!


  • Published By :
  • Published Date : 2023-01-03 09:45:39

વિશ્વમાં ફરી એક વખત કોરોના માથુ ઉંચકી રહ્યું છે. દુનિયાભરના દેશોમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં દુનિયામાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 30 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશોમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.


ન્યુયર બાદ વધ્યા કોરોના કેસ

એક તરફ જ્યાં દુનિયાને લાગતું હતું કે કોરોના ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે. દુનિયાભરમાં કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે વિશ્વભરના દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. ન્યુયરના સેલીબ્રેશન બાદ એકાએક કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.


10 લાખ જેટલા લોકો થયા કોરોના સંક્રમિત 

વર્લ્ડમીટર્સના રિપોર્ટના આધારે છેલ્લા સાત દિવસોમાં વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધડખમ વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં 30 લાખથી વધુ કેસ દુનિયાભરથી સામે આવ્યા છે. જ્યારે 10 હજાર જેટલા લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જ્યારે 25 લાખ જેટલા લોકોએ કોરોનાને માત આપી છે. 


જાપાનમાં પણ વધ્યા કોરોના કેસ 

ચીનમાં તો કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે પરંતુ જાપાનમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર જાપાનમાં છેલ્લા  અઠવાડિયામાં 10 લાખ કેસ નોંધાયા છે. એ સિવાય સાઉથ કોરિયામાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે. અંદાજીત દોઢ લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. કોરોના કેસ વધતા અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.