હર ઘર તિરંગા અભિયાન બાદ ચલાવાશે હર ઘર ધ્યાન અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-26 09:07:01

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેને હર ઘર ધ્યાન અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન |  Morbi Mirror

15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે અભિયાન

આપણી હિંદુ સંસ્કૃતિમાં યોગને અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં લોકો ધ્યાનનો સહારો લઈ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખતા હતા. જ્યારે આજકાલના લોકો માનસિક સ્વાસ્થયને લઈ એકદમ લાપરવાહ થઈ ગયા છે. જેને કારણે જલ્દીથી લોકો ડિપ્રેશનના શિકાર થઈ જાય છે. વધતી ચિંતાની અસર સમાજ પર પણ દેખાય છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી હર ઘર ધ્યાન અભિયાન ચલાવવામાં આવશે. 


આર્ટ ઓફ લિવિંગની સાથે મંત્રાલયે બનાવી છે યોજના  

સંસ્કૃતિ મંત્રાલયે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સાથે કોલાબરેશન કર્યું છે. જેને કારણે આ અભિયાન દેશભરમાં ચાલશે.આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે. હર ઘર તિરંગા અભિયાનને મળેલા જનસમર્થનને જોઈને મંત્રાલયે આ અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અભિયાન ચલાવવાથી ડિપ્રેશનમાં જતા લોકો અટકી જશે અને માનસિક તણાવનો ઓછો અનુભવ કરશે. આ યોજનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.