હર ઘર તિરંગા અભિયાન બાદ ચલાવાશે હર ઘર ધ્યાન અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-26 09:07:01

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેને હર ઘર ધ્યાન અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન |  Morbi Mirror

15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે અભિયાન

આપણી હિંદુ સંસ્કૃતિમાં યોગને અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં લોકો ધ્યાનનો સહારો લઈ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખતા હતા. જ્યારે આજકાલના લોકો માનસિક સ્વાસ્થયને લઈ એકદમ લાપરવાહ થઈ ગયા છે. જેને કારણે જલ્દીથી લોકો ડિપ્રેશનના શિકાર થઈ જાય છે. વધતી ચિંતાની અસર સમાજ પર પણ દેખાય છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી હર ઘર ધ્યાન અભિયાન ચલાવવામાં આવશે. 


આર્ટ ઓફ લિવિંગની સાથે મંત્રાલયે બનાવી છે યોજના  

સંસ્કૃતિ મંત્રાલયે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સાથે કોલાબરેશન કર્યું છે. જેને કારણે આ અભિયાન દેશભરમાં ચાલશે.આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે. હર ઘર તિરંગા અભિયાનને મળેલા જનસમર્થનને જોઈને મંત્રાલયે આ અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અભિયાન ચલાવવાથી ડિપ્રેશનમાં જતા લોકો અટકી જશે અને માનસિક તણાવનો ઓછો અનુભવ કરશે. આ યોજનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

 





અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.