ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર વિધર્મીઓ ઝડપાયા! મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો હતો પ્રયાસ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-17 08:58:52

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલાની છે પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે મંદિર પ્રસાશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ મામલે તપાસ કરવા SITની રચના પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  

મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો પ્રયત્ન! 

નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. કરોડો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અનેક વિધર્મીઓ દ્વારા મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાદર લઈને ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગેની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી અને તપાસ કરાઈ હતી. 


આ મામલે થઈ ચાર લોકોની ધરપકડ!

મળતી માહિતી અનુસાર આ મામલે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. મંગળવારે અકીલ યૂસુફ સૈય્યદ, સલમાન અકીલ સૈય્યદ, મતિન રાજુ સૈય્યદ અને સલીમ બક્શુ સૈય્યદને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 13મેની છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.