ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર વિધર્મીઓ ઝડપાયા! મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો હતો પ્રયાસ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-17 08:58:52

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલાની છે પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે મંદિર પ્રસાશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ મામલે તપાસ કરવા SITની રચના પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  

મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો પ્રયત્ન! 

નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. કરોડો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અનેક વિધર્મીઓ દ્વારા મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાદર લઈને ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગેની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી અને તપાસ કરાઈ હતી. 


આ મામલે થઈ ચાર લોકોની ધરપકડ!

મળતી માહિતી અનુસાર આ મામલે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. મંગળવારે અકીલ યૂસુફ સૈય્યદ, સલમાન અકીલ સૈય્યદ, મતિન રાજુ સૈય્યદ અને સલીમ બક્શુ સૈય્યદને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 13મેની છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.