ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર વિધર્મીઓ ઝડપાયા! મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો હતો પ્રયાસ! જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 08:58:52

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલાની છે પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે મંદિર પ્રસાશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ મામલે તપાસ કરવા SITની રચના પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  

મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો પ્રયત્ન! 

નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. કરોડો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અનેક વિધર્મીઓ દ્વારા મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાદર લઈને ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગેની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી અને તપાસ કરાઈ હતી. 


આ મામલે થઈ ચાર લોકોની ધરપકડ!

મળતી માહિતી અનુસાર આ મામલે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. મંગળવારે અકીલ યૂસુફ સૈય્યદ, સલમાન અકીલ સૈય્યદ, મતિન રાજુ સૈય્યદ અને સલીમ બક્શુ સૈય્યદને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 13મેની છે.  



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.