ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરનાર વિધર્મીઓ ઝડપાયા! મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો હતો પ્રયાસ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-17 08:58:52

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલાની છે પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે મંદિર પ્રસાશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આ મામલે તપાસ કરવા SITની રચના પણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  

મંદિરમાં ચાદર લઈ જવાનો કર્યો પ્રયત્ન! 

નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. કરોડો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ અનેક વિધર્મીઓ દ્વારા મંદિરમાં ચાદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાદર લઈને ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ તે સમયે આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગેની તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી અને તપાસ કરાઈ હતી. 


આ મામલે થઈ ચાર લોકોની ધરપકડ!

મળતી માહિતી અનુસાર આ મામલે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. મંગળવારે અકીલ યૂસુફ સૈય્યદ, સલમાન અકીલ સૈય્યદ, મતિન રાજુ સૈય્યદ અને સલીમ બક્શુ સૈય્યદને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 13મેની છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.