માતા પિતાને તરછોડનાર સંતાનોને લઈ હાઈકોર્ટે અપનાવ્યું કડક વલણ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 13:23:25

હિંદુ ધર્મમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન આપવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાનની પૂજા કરવાથી માતા પિતા મળશે તે કે નહીં તે વાતની ખાતરી નથી પરંતુ માતા પિતાની સેવા કરવાથી ભગવાન મળતા હોય છે. પરંતુ મોટા થયા બાદ જે બાળકોને કાળજાની જેમ સાચવ્યા હોય છે તે જ સંતાનો માતા પિતાને તરછોડી દેતા હોય છે. વૃદ્ધાવસ્થામાં જે બાળકો તેમનો સહારો બનવાના હોય છે તે જ બાળકો માતા પિતાને નિરાધાર છોડી દેતા હોય છે. ત્યારે આવા સંતાનોને કર્ણાટક હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે.  અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં તરછોડાયેલા માતા પિતાનું ભરણપોષણ કરવા માટે પણ પૈસા નથી મળતા. 


માતા પિતાની સંભાળ ન લેનાર બાળક દયાભાવને લાયક નથી - કર્ણાટક હાઈકોર્ટ 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૈસુરના 84 વર્ષીય વેંકટમ્મા નામની માતા તેની દીકરીઓ સાથે રહેતી હતી. અમ્માએ પુત્રનું ઘર છોડી દીધું હતું. તેમણે પોતાના પુત્ર ગોપાલ અને મહેશ પાસેથી ભરણપોષણની માંગ કરી અને કેસ પહોંચ્યો  મૈસુરમાં ડિવિઝનલ ઓફિસમાં. મૈસુર ડેપ્યુટી કમિશનરે પ્રત્યેક પુત્રને માતાને ૧૦ હજાર આપવા આદેશ આપ્યો હતો, એટલે કે અમ્માને પુત્રોએ 20 હજાર આપવાના હતા. આ નિર્ણયને દીકરાએ પડકાર્યો અને બન્ને પુત્રો હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ હાઈકોર્ટ પહોંચેલા દીકરાઓની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે ટકોર કરતા કહ્યું કે માતા પિતાની સંભાળ ન રાખનાર પુત્રો દયાભાવને લાયક નથી. 


જો પુત્રી ન હોત તો વૃ્દ્ધ માતા રસ્તા પર આવી ગઈ હોત

જ્યારે માતાને 20 હજાર ચૂકવવાની વાત આવી ત્યારે પુત્રોએ દલીલ કરી કે અમ્મા તેમની પુત્રી એટલે કે તેમની બહેનના કહેવા પર તે પુત્રો પાસે પૈસાની માગણી કરી રહ્યા છે. ઉપરાંત તેમણે અવું પણ કહ્યું હતું કે માતાને 20 હજાર મહિને આપી શકાય તેવી આર્થિક પરિસ્થિતિમાં તે નથી. પરંતુ હાઈકોર્ટ આવી તમામ દલીલોને ફગાવી દીધી હતી. અને આદેશ કર્યો હતો કે સંતાનોએ ભેગા મળીને માતાને ભરણપોષણ અર્થે 20 હજાર પ્રતિમહિને આપવા પડશે. કોર્ટ પહોંચેલા સંતાનોનું કહેવું છે કે માતાએ પુત્રો સાથે રહેવું પડશે. હાઈકોર્ટના જજે એવું પણ ઉમેર્યું કે કોઈ માતા પિતાને તેમની ઈચ્છા વિરૂદ્ધ પુત્રોના ઘર પર રહેવા મજબૂર ના કરી શકાય, આ કેસમાં બહેનોએ માતાને ભડકાવી હોય તેવું પણ સાબિત નથી થયું. જો પુત્રીઓ ન હોત તો વૃદ્ધ માતા રસ્તા પર રહેવા મજબૂર થઈ હોય. 


હાઈકોર્ટે સંતાનોને લગાવી ફટકાર

શાસ્ત્રોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે માતા પિતા, શિક્ષક અને અતિથિ ભગવાન સમાન હોય છે. જે લોકો પોતાના માતા પિતાની દેખરેખ ન કરતા હોય તેમના માટે કોઇ પ્રાયશ્ચિત નથી. ભગવાનની પૂજા કરતા પહેલા માતા પિતા, શિક્ષકો અને અતિથિઓનુ સન્માન કરવું જોઇએ. જોકે આજની પેઢી માતા પિતાની દેખરેખ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. આવા લોકોની સંખ્યા વધી રહી છે તે સારો વિકાસ ના કહી શકાય. ઉપરાંત કોર્ટે એવું પણ કહ્યું કે જો કોઈ પુરૂષ પોતાની પત્નીની દેખરેખ કરી શકતો હોય તોો પોતાની માતાની દેખરેખ કેમ ના કરી શકે? 


માતા પિતાની સંભાળ રાખવાનું કર્તવ્ય સંતાનનું - હાઈકોર્ટ 

મહત્વનું છે કે માતા પિતાની સંભાળ રાખવી દરેક બાળકનું કર્તવ્ય છે. બાળક પાછળ માતા પિતા પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે પરંતુ જ્યારે બાળકની વાત આવે ત્યારે બાળક પોતાની ફરજથી દૂર થઈ જાય છે. માતા પિતાને તરછોડી દે છે. ત્યારે દરેક બાળકે સમજવું પડશે કે માતા પિતાની સેવા કરવી તે તેમનું પ્રથમ કર્તવ્ય છે. મહત્વનું છે કે માતા સાથે બાળકનો નાતો સૌથી વધારે ગહેરો હોય છે. માતાને બાળકનો પ્રથમ ગુરૂ માનવામાં આવે છે. જો માતા પિતાએ પોતાનું જીવન બાળક પાછળ આપી દેતા હોય છે તો બાળકોએ પણ પોતાની ફરજ સમજવી પડશે.         



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .