અમેરિકામાં સતત વધતી ફાયરિંગની ઘટના, ગોળીબારમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:29

અમેરિકામાં ફરી એક વખત ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હુમલાવરે માર્ટિન લૂથર કિંગ દિવસની ઉજવણી કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.  


12 કલાકમાં બની ત્રણ ફાયરિંગની ઘટના 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. ત્યારે 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફાયરિંગની ઘટનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તો પણ ગોળીબારની ઘટના સતત બની રહી છે.

फ्लोरिडा में मार्थिन लूथर किंग दिवस मना रहे लोगों पर गोलीबारी. (फोटो-wpbf)


8 લોકોના થયા મોત 

પ્રથમ ગોળીબારની ઘટનાની વાત કરીએ તો લોકો મોર્ટિન લૂથર કિંગ ડેની ઉજવણી કરતા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવી અને આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ હતા. ફાયરિંગ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરિફ ઓફિસ તરફથી આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ગોળીબાર કેમ કરવામાં આવી તેના કારણોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


ઘરમાં ઘૂસી કરાયો હુમલો 

ફાયરિંગની બીજી ઘટના કેલિફોર્નિયાના ગોશેનમાં બની હતી. ઘરમાં અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘરમાં રહેતા 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ આ ગોળીબાર કોણે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 


ફાયરિંગમાં 11 વર્ષીય બાળકનો ગયો જીવ  

ડલાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી જેમાં 11 વર્ષીય માસુમનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની છોકરીએ ઝઘડો થવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છોકરી ઝઘડો કરી રહેલા છોકરાને ગોળી મારવા ગઈ હતી પરંતુ ગોળી 11 વર્ષીય બાળકને વાગી ગઈ હતી. પોલીસે છોકરીને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.