અમેરિકામાં સતત વધતી ફાયરિંગની ઘટના, ગોળીબારમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:29

અમેરિકામાં ફરી એક વખત ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હુમલાવરે માર્ટિન લૂથર કિંગ દિવસની ઉજવણી કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.  


12 કલાકમાં બની ત્રણ ફાયરિંગની ઘટના 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. ત્યારે 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફાયરિંગની ઘટનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તો પણ ગોળીબારની ઘટના સતત બની રહી છે.

फ्लोरिडा में मार्थिन लूथर किंग दिवस मना रहे लोगों पर गोलीबारी. (फोटो-wpbf)


8 લોકોના થયા મોત 

પ્રથમ ગોળીબારની ઘટનાની વાત કરીએ તો લોકો મોર્ટિન લૂથર કિંગ ડેની ઉજવણી કરતા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવી અને આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ હતા. ફાયરિંગ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરિફ ઓફિસ તરફથી આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ગોળીબાર કેમ કરવામાં આવી તેના કારણોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


ઘરમાં ઘૂસી કરાયો હુમલો 

ફાયરિંગની બીજી ઘટના કેલિફોર્નિયાના ગોશેનમાં બની હતી. ઘરમાં અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘરમાં રહેતા 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ આ ગોળીબાર કોણે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 


ફાયરિંગમાં 11 વર્ષીય બાળકનો ગયો જીવ  

ડલાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી જેમાં 11 વર્ષીય માસુમનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની છોકરીએ ઝઘડો થવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છોકરી ઝઘડો કરી રહેલા છોકરાને ગોળી મારવા ગઈ હતી પરંતુ ગોળી 11 વર્ષીય બાળકને વાગી ગઈ હતી. પોલીસે છોકરીને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.