અમેરિકામાં સતત વધતી ફાયરિંગની ઘટના, ગોળીબારમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:29

અમેરિકામાં ફરી એક વખત ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હુમલાવરે માર્ટિન લૂથર કિંગ દિવસની ઉજવણી કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.  


12 કલાકમાં બની ત્રણ ફાયરિંગની ઘટના 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. ત્યારે 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફાયરિંગની ઘટનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તો પણ ગોળીબારની ઘટના સતત બની રહી છે.

फ्लोरिडा में मार्थिन लूथर किंग दिवस मना रहे लोगों पर गोलीबारी. (फोटो-wpbf)


8 લોકોના થયા મોત 

પ્રથમ ગોળીબારની ઘટનાની વાત કરીએ તો લોકો મોર્ટિન લૂથર કિંગ ડેની ઉજવણી કરતા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવી અને આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ હતા. ફાયરિંગ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરિફ ઓફિસ તરફથી આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ગોળીબાર કેમ કરવામાં આવી તેના કારણોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


ઘરમાં ઘૂસી કરાયો હુમલો 

ફાયરિંગની બીજી ઘટના કેલિફોર્નિયાના ગોશેનમાં બની હતી. ઘરમાં અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘરમાં રહેતા 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ આ ગોળીબાર કોણે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 


ફાયરિંગમાં 11 વર્ષીય બાળકનો ગયો જીવ  

ડલાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી જેમાં 11 વર્ષીય માસુમનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની છોકરીએ ઝઘડો થવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છોકરી ઝઘડો કરી રહેલા છોકરાને ગોળી મારવા ગઈ હતી પરંતુ ગોળી 11 વર્ષીય બાળકને વાગી ગઈ હતી. પોલીસે છોકરીને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .