અમેરિકામાં સતત વધતી ફાયરિંગની ઘટના, ગોળીબારમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:29

અમેરિકામાં ફરી એક વખત ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હુમલાવરે માર્ટિન લૂથર કિંગ દિવસની ઉજવણી કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.  


12 કલાકમાં બની ત્રણ ફાયરિંગની ઘટના 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. ત્યારે 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફાયરિંગની ઘટનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તો પણ ગોળીબારની ઘટના સતત બની રહી છે.

फ्लोरिडा में मार्थिन लूथर किंग दिवस मना रहे लोगों पर गोलीबारी. (फोटो-wpbf)


8 લોકોના થયા મોત 

પ્રથમ ગોળીબારની ઘટનાની વાત કરીએ તો લોકો મોર્ટિન લૂથર કિંગ ડેની ઉજવણી કરતા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવી અને આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ હતા. ફાયરિંગ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરિફ ઓફિસ તરફથી આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ગોળીબાર કેમ કરવામાં આવી તેના કારણોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


ઘરમાં ઘૂસી કરાયો હુમલો 

ફાયરિંગની બીજી ઘટના કેલિફોર્નિયાના ગોશેનમાં બની હતી. ઘરમાં અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘરમાં રહેતા 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ આ ગોળીબાર કોણે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 


ફાયરિંગમાં 11 વર્ષીય બાળકનો ગયો જીવ  

ડલાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી જેમાં 11 વર્ષીય માસુમનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની છોકરીએ ઝઘડો થવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છોકરી ઝઘડો કરી રહેલા છોકરાને ગોળી મારવા ગઈ હતી પરંતુ ગોળી 11 વર્ષીય બાળકને વાગી ગઈ હતી. પોલીસે છોકરીને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.