ઈઝરાઈલની રાજધાનીમાં બની ફાયરિંગની ઘટના, આ ઘટનાને પોલીસે ગણાવ્યો આતંકીહુમલો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:26:28

ઈઝરાઈલની રાજધાની યરૂશલમના બાહરી વિસ્તાર નેવે યાકોવમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારે પૂજા સ્થળ પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત સાત લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને પોલીસે આતંદીવાદી હુમલો ગણાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગોળીબારી કરનાર વ્યક્તિ ફિલિસ્તીની હતો અને પોલીસે હુમલાવરને મારી દીધો હતો.

 


અંધાધૂંધ ફાયરિંગમાં થયા સાત લોકોના મોત 

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકામાં અનેક વખત અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના ઈઝરાઈલની રાજધાની યરુશલમમાં બની છે જ્યાં પૂજાસ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 7 લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા છે. 


પોલીસે આ હુમલાને ગણાવ્યો આતંકી હુમલો 

આ હુમલાને પોલીસે આતંકી હુમલો બતાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ શુક્રવારના રોજ થયો હતો. 21 વર્ષના હમલાવરે આ ફાયરિંગ કર્યું હતુ. હમલાવર પ્રાર્થના ખતમ કરવાની રાહ જોતો હતો. જ્યારે પ્રાર્થના પૂર્ણ કરી લોકો બહાર આવ્યા ત્યારે તેણે અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂઆત  કરી દીધી. મળતી માહિતી અનુસાર પોલીસે ફાયરિંગ કરનાર હમલાવરને મારી દીધો છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .