ઈઝરાઈલની રાજધાનીમાં બની ફાયરિંગની ઘટના, આ ઘટનાને પોલીસે ગણાવ્યો આતંકીહુમલો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:26:28

ઈઝરાઈલની રાજધાની યરૂશલમના બાહરી વિસ્તાર નેવે યાકોવમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારે પૂજા સ્થળ પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત સાત લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને પોલીસે આતંદીવાદી હુમલો ગણાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગોળીબારી કરનાર વ્યક્તિ ફિલિસ્તીની હતો અને પોલીસે હુમલાવરને મારી દીધો હતો.

 


અંધાધૂંધ ફાયરિંગમાં થયા સાત લોકોના મોત 

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકામાં અનેક વખત અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના ઈઝરાઈલની રાજધાની યરુશલમમાં બની છે જ્યાં પૂજાસ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 7 લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા છે. 


પોલીસે આ હુમલાને ગણાવ્યો આતંકી હુમલો 

આ હુમલાને પોલીસે આતંકી હુમલો બતાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ શુક્રવારના રોજ થયો હતો. 21 વર્ષના હમલાવરે આ ફાયરિંગ કર્યું હતુ. હમલાવર પ્રાર્થના ખતમ કરવાની રાહ જોતો હતો. જ્યારે પ્રાર્થના પૂર્ણ કરી લોકો બહાર આવ્યા ત્યારે તેણે અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂઆત  કરી દીધી. મળતી માહિતી અનુસાર પોલીસે ફાયરિંગ કરનાર હમલાવરને મારી દીધો છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.