દેશમાં વધતા ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ચિંતાજનક! એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ અનેક નિયમોનું પાલન કરવાની આપી સલાહ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:07:28

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોના મોત પણ આને કારણે થયા હતા. ત્યારે દેશ પર H3N2નો ખતરો ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદી-ખાંસી તેમજ તાવના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા H3N2 કેસને લઈ એઈમ્સના પૂર્વ ડિરેક્ટરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ બીમારીથી બચવા માટે અનેક નિયમોનું પાલન કરવા કહ્યું છે. 


કોરોનાની જેમ ફેલાઈ શકે છે  H3N2? 

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે  H3N2 પણ કોરોનાની જેમ ફેલાઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ શરદી ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં  H3N2ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે  H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણને દર વર્ષે આ સમયે દરમિયાન જોવા મળે છે.  


H3N2થી બચવા આ નિયમોનું પાલન કરવાની આપી સલાહ 

H3N2ના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ડો. ગુલેરિયાએ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરીક અંતર જાળવવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ  H3N2ના વધી રહેલા કેસોને લઈ એક બેઠક બોલાવી હતી. 


લોકોમાં જોવા મળી રહ્યો છે ડર 

બે મહિનામાં મળેલા કેસની વાત કરીએ તો કોરોના મહામારી બાદ દેશના અનેક ભાગોમાં આ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્લૂના વધતા કેસને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસમાં પણ કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોમાં આના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


શું છે  H3N2ના લક્ષણો?

આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફેલાઈ રહ્યો છે. જે કેસો નોંધાયા છે તેમના લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે, શરીરમાં દુખાવો રહે છે ઉપરાંત માથું પણ દુખે છે. તે સિવાય ગળામાં બળતરા થવા અને બે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહેવી. આ બધા લક્ષણો ફ્લુના માનવામાં આવે છે.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.