દેશમાં વધતા ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ચિંતાજનક! એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ અનેક નિયમોનું પાલન કરવાની આપી સલાહ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:07:28

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોના મોત પણ આને કારણે થયા હતા. ત્યારે દેશ પર H3N2નો ખતરો ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદી-ખાંસી તેમજ તાવના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા H3N2 કેસને લઈ એઈમ્સના પૂર્વ ડિરેક્ટરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ બીમારીથી બચવા માટે અનેક નિયમોનું પાલન કરવા કહ્યું છે. 


કોરોનાની જેમ ફેલાઈ શકે છે  H3N2? 

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે  H3N2 પણ કોરોનાની જેમ ફેલાઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ શરદી ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં  H3N2ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે  H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણને દર વર્ષે આ સમયે દરમિયાન જોવા મળે છે.  


H3N2થી બચવા આ નિયમોનું પાલન કરવાની આપી સલાહ 

H3N2ના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ડો. ગુલેરિયાએ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરીક અંતર જાળવવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ  H3N2ના વધી રહેલા કેસોને લઈ એક બેઠક બોલાવી હતી. 


લોકોમાં જોવા મળી રહ્યો છે ડર 

બે મહિનામાં મળેલા કેસની વાત કરીએ તો કોરોના મહામારી બાદ દેશના અનેક ભાગોમાં આ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્લૂના વધતા કેસને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસમાં પણ કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોમાં આના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


શું છે  H3N2ના લક્ષણો?

આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફેલાઈ રહ્યો છે. જે કેસો નોંધાયા છે તેમના લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે, શરીરમાં દુખાવો રહે છે ઉપરાંત માથું પણ દુખે છે. તે સિવાય ગળામાં બળતરા થવા અને બે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહેવી. આ બધા લક્ષણો ફ્લુના માનવામાં આવે છે.      




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.