દેશમાં વધતા ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ચિંતાજનક! એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ અનેક નિયમોનું પાલન કરવાની આપી સલાહ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:07:28

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોના મોત પણ આને કારણે થયા હતા. ત્યારે દેશ પર H3N2નો ખતરો ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદી-ખાંસી તેમજ તાવના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા H3N2 કેસને લઈ એઈમ્સના પૂર્વ ડિરેક્ટરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ બીમારીથી બચવા માટે અનેક નિયમોનું પાલન કરવા કહ્યું છે. 


કોરોનાની જેમ ફેલાઈ શકે છે  H3N2? 

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે  H3N2 પણ કોરોનાની જેમ ફેલાઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ શરદી ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં  H3N2ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે  H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણને દર વર્ષે આ સમયે દરમિયાન જોવા મળે છે.  


H3N2થી બચવા આ નિયમોનું પાલન કરવાની આપી સલાહ 

H3N2ના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ડો. ગુલેરિયાએ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરીક અંતર જાળવવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ  H3N2ના વધી રહેલા કેસોને લઈ એક બેઠક બોલાવી હતી. 


લોકોમાં જોવા મળી રહ્યો છે ડર 

બે મહિનામાં મળેલા કેસની વાત કરીએ તો કોરોના મહામારી બાદ દેશના અનેક ભાગોમાં આ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્લૂના વધતા કેસને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસમાં પણ કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોમાં આના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


શું છે  H3N2ના લક્ષણો?

આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફેલાઈ રહ્યો છે. જે કેસો નોંધાયા છે તેમના લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે, શરીરમાં દુખાવો રહે છે ઉપરાંત માથું પણ દુખે છે. તે સિવાય ગળામાં બળતરા થવા અને બે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહેવી. આ બધા લક્ષણો ફ્લુના માનવામાં આવે છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.