રાજ્યના વિવિધ શહેરોમાં જૈન સમાજે કાઢી વિરાટ રેલી, વડોદરા તેમજ રાજકોટમાં નિકળી રેલી


  • Published By :
  • Published Date : 2023-01-02 15:42:09

શત્રુંજય મહાતીર્થનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. જૈનોની આસ્થાના પ્રતિક સમાન ગણાતા શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ, સૂરત ખાતે જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. આજે રાજ્યના અન્ય શહેરોમાં આકરોષ રેલી કાઢવામાં આવી હતી. આજે રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.



રાજકોટ ખાતે પણ કરાયું ભવ્ય રેલીનું આયોજન 

રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નિકાળવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ગઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થને લઈને તો તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ સમેત શિખરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને પર્યટન સ્થળ બનાવાનો જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે. 


વડોદરામાં જૈન સમુદાય વિરોધમાં આવ્યું રસ્તા પર  

રાજકોટ સિવાય વડોદરા ખાતે પણ જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. શહેરના માંડવી ચાર દરવાજા ખાતેથી આ વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખર મહાતીર્થ રક્ષાર્થે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 




શત્રુંજય મહાતીર્થને બચાવા ઉઠી માગ 

આ રેલીમાં અનેક નારાઓ લાગ્યા હતા જેવા કે જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા. ઉપરાંત જય જય શ્રી આદિનાથના જય ઘોષ પણ લાગ્યા હતા. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે તો બીજી તરફ આ સમાજ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યો છે. જૈન સમાજનું આંદોલન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.          



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.