રાજ્યના વિવિધ શહેરોમાં જૈન સમાજે કાઢી વિરાટ રેલી, વડોદરા તેમજ રાજકોટમાં નિકળી રેલી


  • Published By :
  • Published Date : 2023-01-02 15:42:09

શત્રુંજય મહાતીર્થનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. જૈનોની આસ્થાના પ્રતિક સમાન ગણાતા શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ, સૂરત ખાતે જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. આજે રાજ્યના અન્ય શહેરોમાં આકરોષ રેલી કાઢવામાં આવી હતી. આજે રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.



રાજકોટ ખાતે પણ કરાયું ભવ્ય રેલીનું આયોજન 

રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નિકાળવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ગઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થને લઈને તો તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ સમેત શિખરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને પર્યટન સ્થળ બનાવાનો જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે. 


વડોદરામાં જૈન સમુદાય વિરોધમાં આવ્યું રસ્તા પર  

રાજકોટ સિવાય વડોદરા ખાતે પણ જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. શહેરના માંડવી ચાર દરવાજા ખાતેથી આ વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખર મહાતીર્થ રક્ષાર્થે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 




શત્રુંજય મહાતીર્થને બચાવા ઉઠી માગ 

આ રેલીમાં અનેક નારાઓ લાગ્યા હતા જેવા કે જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા. ઉપરાંત જય જય શ્રી આદિનાથના જય ઘોષ પણ લાગ્યા હતા. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે તો બીજી તરફ આ સમાજ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યો છે. જૈન સમાજનું આંદોલન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.