રાજ્યના વિવિધ શહેરોમાં જૈન સમાજે કાઢી વિરાટ રેલી, વડોદરા તેમજ રાજકોટમાં નિકળી રેલી


  • Published By :
  • Published Date : 2023-01-02 15:42:09

શત્રુંજય મહાતીર્થનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. જૈનોની આસ્થાના પ્રતિક સમાન ગણાતા શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ, સૂરત ખાતે જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. આજે રાજ્યના અન્ય શહેરોમાં આકરોષ રેલી કાઢવામાં આવી હતી. આજે રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.



રાજકોટ ખાતે પણ કરાયું ભવ્ય રેલીનું આયોજન 

રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નિકાળવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ગઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થને લઈને તો તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ સમેત શિખરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને પર્યટન સ્થળ બનાવાનો જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે. 


વડોદરામાં જૈન સમુદાય વિરોધમાં આવ્યું રસ્તા પર  

રાજકોટ સિવાય વડોદરા ખાતે પણ જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. શહેરના માંડવી ચાર દરવાજા ખાતેથી આ વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખર મહાતીર્થ રક્ષાર્થે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 




શત્રુંજય મહાતીર્થને બચાવા ઉઠી માગ 

આ રેલીમાં અનેક નારાઓ લાગ્યા હતા જેવા કે જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા. ઉપરાંત જય જય શ્રી આદિનાથના જય ઘોષ પણ લાગ્યા હતા. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે તો બીજી તરફ આ સમાજ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યો છે. જૈન સમાજનું આંદોલન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.          



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .