ચક્રવાત 'મોચા'ને લઈ હવામાન વિભાગે કરી આગાહી! જાણો કયા રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું! ભારે પવન સાથે આ રાજ્યોમાં પડશે વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:28:33

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈ ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. મોચા ચક્રવાતને કારણે અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 


આ રાજ્યો માટે એલર્ટ કરાયું જાહેર!

દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ચક્રવાતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોચા ચક્રવાતને લઈ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચક્રવાતને લઈ નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળા જણાવ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ,ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 12 મેની આસપાસ આ ચક્રવાત બાંગ્લાદેશ અને મ્યાંમાર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આ રાજ્યોમાં વહી શકે છે ભારે પવન!

મોચા વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ બંગાળની ખાડી અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વાવાઝોડાને કારણે ભારે પવન વહી શકે છે. તે ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ ચક્રવાતને કારણે ભારે વરસાદની સંભાવના છે. 


જૂન મહિનામાં બેસશે ચોમાસું!

મહત્વનું છે કે ઉનાળાના સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થતાં તાપમાનનો પારો નીચે રહેતો હતો. ગરમીનો અહેસાસ ઓછો થતો હોય છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 15 મે પછી તાપમાનનો પારો વધશે અને ગરમીનો અહેસાસ થશે. જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. 

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.