ચક્રવાત 'મોચા'ને લઈ હવામાન વિભાગે કરી આગાહી! જાણો કયા રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું! ભારે પવન સાથે આ રાજ્યોમાં પડશે વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:28:33

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈ ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. મોચા ચક્રવાતને કારણે અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 


આ રાજ્યો માટે એલર્ટ કરાયું જાહેર!

દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ચક્રવાતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોચા ચક્રવાતને લઈ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચક્રવાતને લઈ નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળા જણાવ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ,ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 12 મેની આસપાસ આ ચક્રવાત બાંગ્લાદેશ અને મ્યાંમાર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આ રાજ્યોમાં વહી શકે છે ભારે પવન!

મોચા વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ બંગાળની ખાડી અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વાવાઝોડાને કારણે ભારે પવન વહી શકે છે. તે ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ ચક્રવાતને કારણે ભારે વરસાદની સંભાવના છે. 


જૂન મહિનામાં બેસશે ચોમાસું!

મહત્વનું છે કે ઉનાળાના સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થતાં તાપમાનનો પારો નીચે રહેતો હતો. ગરમીનો અહેસાસ ઓછો થતો હોય છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 15 મે પછી તાપમાનનો પારો વધશે અને ગરમીનો અહેસાસ થશે. જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. 

 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.