ચક્રવાત 'મોચા'ને લઈ હવામાન વિભાગે કરી આગાહી! જાણો કયા રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું! ભારે પવન સાથે આ રાજ્યોમાં પડશે વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:28:33

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈ ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. મોચા ચક્રવાતને કારણે અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 


આ રાજ્યો માટે એલર્ટ કરાયું જાહેર!

દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ચક્રવાતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોચા ચક્રવાતને લઈ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચક્રવાતને લઈ નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળા જણાવ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ,ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 12 મેની આસપાસ આ ચક્રવાત બાંગ્લાદેશ અને મ્યાંમાર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આ રાજ્યોમાં વહી શકે છે ભારે પવન!

મોચા વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ બંગાળની ખાડી અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વાવાઝોડાને કારણે ભારે પવન વહી શકે છે. તે ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ ચક્રવાતને કારણે ભારે વરસાદની સંભાવના છે. 


જૂન મહિનામાં બેસશે ચોમાસું!

મહત્વનું છે કે ઉનાળાના સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થતાં તાપમાનનો પારો નીચે રહેતો હતો. ગરમીનો અહેસાસ ઓછો થતો હોય છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 15 મે પછી તાપમાનનો પારો વધશે અને ગરમીનો અહેસાસ થશે. જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. 

 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.