રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને જૂનાગઢના ધારાસભ્યે લખ્યો પત્ર.. લખ્યું નરસિંહ મહેતા તળાવની કામગીરી એક મહિનામાં પૂર્ણ નહીં થાય તો....


  • Published By :
  • Published Date : 2024-05-17 13:43:16

ચોમાસાને આવવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. એક મહિનાના સમયગાળામાં ચોમાસાનું આગમન થઈ જશે. ચોમાસાને કારણે અનેક construction સાઈટ પર કામગીરી બંધ થઈ જતી હોય છે.. આ બધા વચ્ચે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી..  પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..

પક્ષના ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

દેશમાં તેમજ રાજ્યમાં થોડા દિવસોની અંદર ચોમાસું દસ્તક લઈ લેશે.. ચોમાસા પહેલા આપણે ત્યાં પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો થતા હોય છે.. કામગીરી કરવામાં આવી હોય છતાંય અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે સામાન્ય માણસોને ભોગવવાનો વારો આવતો હોય છે. તંત્રની કામગીરી પર અનેક સવાલો સામાન્ય માણસો દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે. પરંતુ હવે અનેક સવાલો ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. પોતાના જ પક્ષના, પોતાના જ રાજ્યના મુખ્યમંત્રીને ધારાસભ્યો સવાલ પૂછી રહ્યા છે.


પત્રમાં કઈ બાબતનો કરાયો ઉલ્લેખ...

આ બધા વચ્ચે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હજી પણ ચાલી જ રહી છે. પત્રમાં તેમણે લખ્યું કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કુત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 


"કામની મુદત પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ..." 

ચાલુ વર્ષે આ બાબતનું પુનરાવર્તન ના થાય તે બાબતની તકેદારી/કે કોઈ પ્રિ પ્લાનિંગ મહાનગરપાલિકા દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી.. જળસંગ્રહએ પાણીની સમસ્યા હલ કરવા માટે ઝાંઝરડા રોડ જોષીપર તેમજ આસપાસની સોસાયટીઓમાં મુખ્ય જરૂરત હોઈ જે બાબતને ધ્યાને લઈ આ કામગીરી મોનસુન પહેલા પૂર્ણ થવી જોઈએ. હાલ કામની મુદત પણ પૂર્ણ થયેલ છે પરંતુ કામ પૂર્ણ થયેલ નથી. હવે ચોમાસાને દોઢ માસ જેવો સમય બાકી છે. હાલની કામની ધીમી ગતિ જોતા દોઢ માસમાં કામ પુરૂ થાય તેવું લાગતું નથી.. ફરીથી વરસાદ થશે એટલે ગત વર્ષની જેમ કૃત્રિમ હોનારત સર્જાશે ત્યાં રહેણાક વિસ્તારમાં નાના માણસો રહે છે તેની આર્થિક પરિસ્થિતિ સાવ સાધારણ છે. ફરીથી પાછું ત્યાં દીવાલ નબળી હોવાને કારણે સર્જાનાર પરિસ્થિતિની અસર આ લોકોને થશે એના જવાબદાર કોણ? 


"મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું પરંતુ.." 

આ બાબતે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં આ બાબતની ગંભીરતા લેવામાં આવેલ નથી કોઈ એક્શન લેવાયેલ નથી કે આવનાર સમય માટેનો પ્રિ એક્શન પ્લાન કરેલ હોય તેવું લાગતું નથી. જે ધ્યાને લઈ તાકીદે લોકહિતમાં આ કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખીત પત્રથી જાણ કરી જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શહેરના પ્રથમ પ્રહરીની ભૂમિકા ભજવી છે.. આ પત્ર ધારાસભ્ય કાર્યાલયથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત ધારાસભ્યનો વીડિયો પણ આ મામલે સામે આવ્યો છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.