ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉતરેલા MLAને થયો કડવો અનુભવ! પિચ પર બોલને મારવા ગયા અને પડી ગયા! જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-12-30 17:08:30

નાનપણમાં આપણે જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે અનેક વખત રમતા રમતા પડી જતા હતા. બોલ પર શોટ મારવાનો વિચાર કર્યો હોય અને અચાનક આપણે દોડતા દોડતા પડી જઈએ તો? આ વાત એટલા માટે કહેવી છે કારણ કે થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓડિશાના ધારાસભ્ય ક્રિકેટ રમતા રમતા પડી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.  

ઉંધા માથે ધારાસભ્ય પડ્યા    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોઈને હસી રહ્યા છે તો ઘણા લોકો એ નેતા પર ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ તમે પણ કહ્યું હશે કે જો ક્રિકેટ રમતા નથી આવડતું તો રમો શું કામ? કોઈ કહેશે કે ધારાસભ્ય ઉંધા માથે પડ્યા વગેરે વગેરે... પણ જે ધારાસભ્ય સાથે આ ઘટના બની તેમના વિશે થોડું જાણીએ... 


નેતાજીને પડેલા જોઈ કોઈ હસવા લાગ્યું તો કોઈક...

આ MLA બીજું કોઈ નથી પણ BJDના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપિન્દર સિંહ છે. ભુપીન્દર સિંહ એક સ્થાનિક ટુર્નામેન્ટ મેચના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે બેટિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. બોલરે બોલ ફેંકતાની સાથે જ નેતાજીએ પોતાનું બેટ ફેરવ્યું અને આંખના પલકારામાં એ ઢબ થઈને પડી ગયા. નજીકમાં ઉભેલા લોકો અંદરોઅંદર હસવા લાગ્યા અને કેટલાક દોડીને તેમને ઉઠાવવા પહોંચ્યા.   


ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા MLA  

આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના બેલખંડીમાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટની છે. કાલાહાંડી જિલ્લાના નરલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સિંહ ત્રણ દિવસ પહેલા મુખ્ય અતિથિ તરીકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. આ સમય દરમિયાન, તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પોતે પિચ પર ઉતાર્યા અને પછી જોવા જેવી થઈ ગઈ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.