હિમાચલ પ્રદેશ માટે આજે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-10 14:36:42

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે આગમી પાંચ વર્ષ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદને લઈ અનેક ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુક્ખુનું નામ મુખ્યમંત્રીના રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ રિપોર્ટ સબ્મિટ કરશે અને તે બાદ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આજે વિધાયક દળની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ નેતાઓ પણ છે મુખ્યમંત્રી બનવાની રેસમાં   

2022 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે 68 બેઠકોમાંથી 40 સીટ મળી છે. બહુમતી મળવાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈ કાલે પણ શિમલા ખાતે આવેલા કાર્યાલયમાં બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીના પદને લઈ અનેક દાવેદારો છે જેને લઈ કોંગ્રેસમાં મુખ્યમંત્રીને લઈ મથામણ ચાલી રહી છે. એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસ વિધાયક સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી માટે પહેલી પસંદ છે. આ રેસમાં મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઉપ-મુખ્યમંત્રી પણ બનાવામાં આવશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.