હિમાચલ પ્રદેશ માટે આજે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-10 14:36:42

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે આગમી પાંચ વર્ષ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદને લઈ અનેક ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુક્ખુનું નામ મુખ્યમંત્રીના રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ રિપોર્ટ સબ્મિટ કરશે અને તે બાદ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આજે વિધાયક દળની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ નેતાઓ પણ છે મુખ્યમંત્રી બનવાની રેસમાં   

2022 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે 68 બેઠકોમાંથી 40 સીટ મળી છે. બહુમતી મળવાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈ કાલે પણ શિમલા ખાતે આવેલા કાર્યાલયમાં બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીના પદને લઈ અનેક દાવેદારો છે જેને લઈ કોંગ્રેસમાં મુખ્યમંત્રીને લઈ મથામણ ચાલી રહી છે. એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસ વિધાયક સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી માટે પહેલી પસંદ છે. આ રેસમાં મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઉપ-મુખ્યમંત્રી પણ બનાવામાં આવશે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.