હિમાચલ પ્રદેશ માટે આજે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-10 14:36:42

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે આગમી પાંચ વર્ષ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદને લઈ અનેક ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુક્ખુનું નામ મુખ્યમંત્રીના રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ રિપોર્ટ સબ્મિટ કરશે અને તે બાદ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આજે વિધાયક દળની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ નેતાઓ પણ છે મુખ્યમંત્રી બનવાની રેસમાં   

2022 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે 68 બેઠકોમાંથી 40 સીટ મળી છે. બહુમતી મળવાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈ કાલે પણ શિમલા ખાતે આવેલા કાર્યાલયમાં બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીના પદને લઈ અનેક દાવેદારો છે જેને લઈ કોંગ્રેસમાં મુખ્યમંત્રીને લઈ મથામણ ચાલી રહી છે. એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસ વિધાયક સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી માટે પહેલી પસંદ છે. આ રેસમાં મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઉપ-મુખ્યમંત્રી પણ બનાવામાં આવશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.