Pakistanથી સામે આવ્યા એવા સમાચાર જે હચમચાવી દે તેવા છે, ડોક્ટરોએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 11:38:48

મહિલા પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે વિચારવા પર મજબૂર કરી દેતી હોય છે. ત્યારે એક દિલને કંપાવી દે તેવી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે જેમાં ડોક્ટરે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પોતાના હવસનો શિકાર બનાવ્યો છે. મહિલાને પહેલા ડોક્ટરે ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના ટંકો મુહમ્મદ સિટીમાં આ ઘટના બની છે. આ મામલે ડોક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે આવેલી મહિલા પર ડોકટરોએ આચર્યું દુષ્કર્મ 

પુરૂષોના હવસનો શિકાર અનેક મહિલાઓ બનતી હોય છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે કે આપણે નવી પેઢીને શું સંસ્કાર આપી રહ્યા છે. સમાજને કઈ દિશા તરફ આગળ વધારી રહ્યા છીએ. પાકિસ્તાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે મહિલાનો સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 


પોલીસને આ મામલે કરવામાં આવી જાણ 

આ માહિતી સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે જેમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે હિંદુ છે અને જે ડોક્ટરે આ દુષ્કૃત્ય કર્યું છે તે મુસ્લીમ છે. ખાનગી હોસ્પિટલમાં કિડની સારવાર માટે આવેલી મહિલા પર ડોક્ટરોએ નજર બગાડી હતી. આ મામલે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને ત્વરીત પગલા લેવામાં આવશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  


જો ડોક્ટર જ આવા દુષ્કૃત્યો કરે તો? 

આમાં હિંદુ મુસ્લીમની વાત નથી કરવી પરંતુ એ પ્રોફેશનની વાત કરવી છે જેની પર લોકો સૌથી વધારે ભરોસો રાખતા હોય છે. ડોક્ટરો જ્યારે હેવાન બનીને આવા દુષ્કર્મ આચરે ત્યારે? ડોક્ટરનું પ્રોફેશન એવું છે ધર્મ-નાતી બધાથી ઉપરથી છે. સારવાર માટે આવતા દર્દીને નાત જાત કે ધર્મ નથી પૂછવામાં આવતો. જેમ શાળામાં શિક્ષકો માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય છે તેમ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી ડોક્ટર માટે એક સમાન હોય છે. જો ડોક્ટર જ દુષ્કર્મ આચરશે તો આ સમાજમાં કેવા દાખલા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ તે એક પ્રશ્ન છે     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?