Pakistanથી સામે આવ્યા એવા સમાચાર જે હચમચાવી દે તેવા છે, ડોક્ટરોએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 11:38:48

મહિલા પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે વિચારવા પર મજબૂર કરી દેતી હોય છે. ત્યારે એક દિલને કંપાવી દે તેવી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે જેમાં ડોક્ટરે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પોતાના હવસનો શિકાર બનાવ્યો છે. મહિલાને પહેલા ડોક્ટરે ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના ટંકો મુહમ્મદ સિટીમાં આ ઘટના બની છે. આ મામલે ડોક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે આવેલી મહિલા પર ડોકટરોએ આચર્યું દુષ્કર્મ 

પુરૂષોના હવસનો શિકાર અનેક મહિલાઓ બનતી હોય છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે કે આપણે નવી પેઢીને શું સંસ્કાર આપી રહ્યા છે. સમાજને કઈ દિશા તરફ આગળ વધારી રહ્યા છીએ. પાકિસ્તાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે મહિલાનો સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 


પોલીસને આ મામલે કરવામાં આવી જાણ 

આ માહિતી સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે જેમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે હિંદુ છે અને જે ડોક્ટરે આ દુષ્કૃત્ય કર્યું છે તે મુસ્લીમ છે. ખાનગી હોસ્પિટલમાં કિડની સારવાર માટે આવેલી મહિલા પર ડોક્ટરોએ નજર બગાડી હતી. આ મામલે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને ત્વરીત પગલા લેવામાં આવશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  


જો ડોક્ટર જ આવા દુષ્કૃત્યો કરે તો? 

આમાં હિંદુ મુસ્લીમની વાત નથી કરવી પરંતુ એ પ્રોફેશનની વાત કરવી છે જેની પર લોકો સૌથી વધારે ભરોસો રાખતા હોય છે. ડોક્ટરો જ્યારે હેવાન બનીને આવા દુષ્કર્મ આચરે ત્યારે? ડોક્ટરનું પ્રોફેશન એવું છે ધર્મ-નાતી બધાથી ઉપરથી છે. સારવાર માટે આવતા દર્દીને નાત જાત કે ધર્મ નથી પૂછવામાં આવતો. જેમ શાળામાં શિક્ષકો માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય છે તેમ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી ડોક્ટર માટે એક સમાન હોય છે. જો ડોક્ટર જ દુષ્કર્મ આચરશે તો આ સમાજમાં કેવા દાખલા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ તે એક પ્રશ્ન છે     



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.