Pakistanથી સામે આવ્યા એવા સમાચાર જે હચમચાવી દે તેવા છે, ડોક્ટરોએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 11:38:48

મહિલા પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે વિચારવા પર મજબૂર કરી દેતી હોય છે. ત્યારે એક દિલને કંપાવી દે તેવી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે જેમાં ડોક્ટરે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પોતાના હવસનો શિકાર બનાવ્યો છે. મહિલાને પહેલા ડોક્ટરે ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના ટંકો મુહમ્મદ સિટીમાં આ ઘટના બની છે. આ મામલે ડોક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે આવેલી મહિલા પર ડોકટરોએ આચર્યું દુષ્કર્મ 

પુરૂષોના હવસનો શિકાર અનેક મહિલાઓ બનતી હોય છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે કે આપણે નવી પેઢીને શું સંસ્કાર આપી રહ્યા છે. સમાજને કઈ દિશા તરફ આગળ વધારી રહ્યા છીએ. પાકિસ્તાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે મહિલાનો સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 


પોલીસને આ મામલે કરવામાં આવી જાણ 

આ માહિતી સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે જેમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે હિંદુ છે અને જે ડોક્ટરે આ દુષ્કૃત્ય કર્યું છે તે મુસ્લીમ છે. ખાનગી હોસ્પિટલમાં કિડની સારવાર માટે આવેલી મહિલા પર ડોક્ટરોએ નજર બગાડી હતી. આ મામલે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને ત્વરીત પગલા લેવામાં આવશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  


જો ડોક્ટર જ આવા દુષ્કૃત્યો કરે તો? 

આમાં હિંદુ મુસ્લીમની વાત નથી કરવી પરંતુ એ પ્રોફેશનની વાત કરવી છે જેની પર લોકો સૌથી વધારે ભરોસો રાખતા હોય છે. ડોક્ટરો જ્યારે હેવાન બનીને આવા દુષ્કર્મ આચરે ત્યારે? ડોક્ટરનું પ્રોફેશન એવું છે ધર્મ-નાતી બધાથી ઉપરથી છે. સારવાર માટે આવતા દર્દીને નાત જાત કે ધર્મ નથી પૂછવામાં આવતો. જેમ શાળામાં શિક્ષકો માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય છે તેમ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી ડોક્ટર માટે એક સમાન હોય છે. જો ડોક્ટર જ દુષ્કર્મ આચરશે તો આ સમાજમાં કેવા દાખલા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ તે એક પ્રશ્ન છે     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.