દેશમાં સતત વધતો કોરોના કેસનો આંકડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3000થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-03-30 11:58:27

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત કોરોના કેસ 3 હજારને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3016 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કેરળથી સૌથી વધુ મૃત્યુઆંક નોધાયો છે.

   

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો 

થોડા વર્ષો પહેલા કોરોના સંક્રમણએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યું છે. કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ 

છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના સંક્રમણની વાત કરીએ તો 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના નવા 3016 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. કેરળમાં કોરોનાને કારણે 8 જેટલા લોકોના મોત થયા છે, મહારાષ્ટ્રમાંથી ત્રણ મોતના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રહેતા 2 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાને કારણે મોત થયા છે.    



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.