દેશમાં સતત વધતો કોરોના કેસનો આંકડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3000થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-03-30 11:58:27

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત કોરોના કેસ 3 હજારને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3016 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કેરળથી સૌથી વધુ મૃત્યુઆંક નોધાયો છે.

   

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો 

થોડા વર્ષો પહેલા કોરોના સંક્રમણએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યું છે. કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ 

છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના સંક્રમણની વાત કરીએ તો 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના નવા 3016 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. કેરળમાં કોરોનાને કારણે 8 જેટલા લોકોના મોત થયા છે, મહારાષ્ટ્રમાંથી ત્રણ મોતના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રહેતા 2 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાને કારણે મોત થયા છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.