દેશમાં સતત વધતો કોરોના કેસનો આંકડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3000થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-03-30 11:58:27

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત કોરોના કેસ 3 હજારને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3016 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કેરળથી સૌથી વધુ મૃત્યુઆંક નોધાયો છે.

   

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો 

થોડા વર્ષો પહેલા કોરોના સંક્રમણએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યું છે. કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ 

છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના સંક્રમણની વાત કરીએ તો 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના નવા 3016 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. કેરળમાં કોરોનાને કારણે 8 જેટલા લોકોના મોત થયા છે, મહારાષ્ટ્રમાંથી ત્રણ મોતના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રહેતા 2 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાને કારણે મોત થયા છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.