રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને થશે એક વર્ષ પૂર્ણ ,રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંસદમાં કર્યું સંબોધન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-21 18:00:38

24 ફેબ્રુઆરીના રોજ રૂસ અને યુક્રેન જંગને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલા રૂસના રાષ્ટ્રપતિ પુતિને રૂસના સંસદમાં સંબોધન કર્યું છે. સભાને સંબોધતા પુતિને કહ્યું કે તે સંબોધન એવા સમયે કરી રહ્યા છે જ્યારે સમય દેશ માટે મુશ્કેલી ભરેલો છે. સમગ્ર વિશ્વમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. રશિયાએ જંગને ટાળવા તમામ પ્રયાસો કર્યા પરંતુ નાટો અને અમેરિકાએ પ્રયાસોને સફળ ન થવા દીધા હતા. પુતિને આ ભાષણ એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનની મુલાકાતે છે.


દેશોને મોહરા બનાવાઈ રહ્યા છે 

સંસદમાં સંબોધતા પુતિને કહ્યું કે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કર્યા હતા, તે માટે વાતચીત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. એ વખતે પણ યુદ્ધ રોકવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. એ લોકો કીવ અને યુક્રેનના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અમે વતનની સુરક્ષા કેવી રીતે કરવી તે સારી રીતે જાણીએ છીએ. પોતાનો દબદબો રાખવા અમેરિકા અને તેના સાથી દેશો બીજા દેશોને મોહરા બનાવી રહ્યા છે. અમે તો દેશ અને નાગરિકોની સુરક્ષા કરવા માગીએ છીએ અને અમે આ જ કરી રહ્યા છે. 

पुतिन ने कहा कि हम जंग नहीं चाहते थे लेकिन हर हाल में अपने देश की रक्षा करेंगे।

पुतिन का भाषण सुनने के लिए मौजूद 1500 से ज्यादा सांसद और फौज के अधिकारी।


રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું નથી - પુતિન 

તેમણે કહ્યું કે રશિયા પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમજોતો નહીં કરે. કીવની એટલી તાકાત નથી કે તે ડોનબાસના મામલાને સુલઝાવી લે. તે લોકો માને છે કે રુસ તેમની મુશ્કેલીનું સમાધાન કરે. મેં ક્યારેય પણ નથી કહ્યું કે યુદ્ધથી જ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. વાતચીતતો થવી જ જોઈએ, પરંતુ તે માટે ઉચિત માર્ગ અપનાવો જોઈએ. પ્રેશર ટેક્ટિક્સની સામે રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી. દુનિયા કાન ખોલીને સાંભળી લે કે જંગમાં રશિયાને હરાવવું નામુમકિન છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .