રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને થશે એક વર્ષ પૂર્ણ ,રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંસદમાં કર્યું સંબોધન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-21 18:00:38

24 ફેબ્રુઆરીના રોજ રૂસ અને યુક્રેન જંગને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલા રૂસના રાષ્ટ્રપતિ પુતિને રૂસના સંસદમાં સંબોધન કર્યું છે. સભાને સંબોધતા પુતિને કહ્યું કે તે સંબોધન એવા સમયે કરી રહ્યા છે જ્યારે સમય દેશ માટે મુશ્કેલી ભરેલો છે. સમગ્ર વિશ્વમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. રશિયાએ જંગને ટાળવા તમામ પ્રયાસો કર્યા પરંતુ નાટો અને અમેરિકાએ પ્રયાસોને સફળ ન થવા દીધા હતા. પુતિને આ ભાષણ એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનની મુલાકાતે છે.


દેશોને મોહરા બનાવાઈ રહ્યા છે 

સંસદમાં સંબોધતા પુતિને કહ્યું કે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કર્યા હતા, તે માટે વાતચીત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. એ વખતે પણ યુદ્ધ રોકવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. એ લોકો કીવ અને યુક્રેનના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અમે વતનની સુરક્ષા કેવી રીતે કરવી તે સારી રીતે જાણીએ છીએ. પોતાનો દબદબો રાખવા અમેરિકા અને તેના સાથી દેશો બીજા દેશોને મોહરા બનાવી રહ્યા છે. અમે તો દેશ અને નાગરિકોની સુરક્ષા કરવા માગીએ છીએ અને અમે આ જ કરી રહ્યા છે. 

पुतिन ने कहा कि हम जंग नहीं चाहते थे लेकिन हर हाल में अपने देश की रक्षा करेंगे।

पुतिन का भाषण सुनने के लिए मौजूद 1500 से ज्यादा सांसद और फौज के अधिकारी।


રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું નથી - પુતિન 

તેમણે કહ્યું કે રશિયા પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમજોતો નહીં કરે. કીવની એટલી તાકાત નથી કે તે ડોનબાસના મામલાને સુલઝાવી લે. તે લોકો માને છે કે રુસ તેમની મુશ્કેલીનું સમાધાન કરે. મેં ક્યારેય પણ નથી કહ્યું કે યુદ્ધથી જ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. વાતચીતતો થવી જ જોઈએ, પરંતુ તે માટે ઉચિત માર્ગ અપનાવો જોઈએ. પ્રેશર ટેક્ટિક્સની સામે રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી. દુનિયા કાન ખોલીને સાંભળી લે કે જંગમાં રશિયાને હરાવવું નામુમકિન છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.