સંસદમાં વિપક્ષ ફરી ઉઠાવશે અદાણીનો મુદ્દો, સમગ્ર દેશમાં કોંગ્રેસ આ મામલાને લઈ કરશે પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-02-06 10:51:52

અમેરિકાની કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તે ઉપરાંત શેરોના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે અદાણી મુદ્દો સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ દ્વારા આને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે ફરીથી સંસદમાં કાર્યવાહીનો પ્રારંભ થશે. તે બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે.


હોબાળો થતાં કાર્યવાહી કરાઈ હતી સ્થગિત 

અદાણી જૂથને હિંડનબર્ગને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા અદાણીનો મામલો સંસદમાં ઉઠાવામાં આવ્યો હતો. વિપક્ષી દળોએ આ મામલે તપાસ કરવાની માગ કરી છે. આ તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી માગ છે. હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારથી સ્થગિત કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત સંસદમાં સત્ર યોજાઈ રહ્યું છે.

LIC, SBI exposure to Adani Group within permitted limits: FM Sitharaman |  Deccan Herald


આખા દેશમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન 

અદાણી મુદ્દાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તે માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષ નેતાઓની બેઠક પણ બોલાવી છે. અદાણીમાં સરકારી કંપની LIC તેમજ SBI દ્વારા પણ નિવેશ કરવામાં આવ્યું છે. તેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત એલઆઈસી તેમજ એસબીઆઈની ઓફિસ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ સિવાય અનેક પક્ષો અદાણી મામલે તપાસની માગ કરી રહી છે.          




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.