સંસદમાં વિપક્ષ ફરી ઉઠાવશે અદાણીનો મુદ્દો, સમગ્ર દેશમાં કોંગ્રેસ આ મામલાને લઈ કરશે પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-02-06 10:51:52

અમેરિકાની કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તે ઉપરાંત શેરોના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે અદાણી મુદ્દો સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ દ્વારા આને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે ફરીથી સંસદમાં કાર્યવાહીનો પ્રારંભ થશે. તે બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે.


હોબાળો થતાં કાર્યવાહી કરાઈ હતી સ્થગિત 

અદાણી જૂથને હિંડનબર્ગને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા અદાણીનો મામલો સંસદમાં ઉઠાવામાં આવ્યો હતો. વિપક્ષી દળોએ આ મામલે તપાસ કરવાની માગ કરી છે. આ તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી માગ છે. હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારથી સ્થગિત કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત સંસદમાં સત્ર યોજાઈ રહ્યું છે.

LIC, SBI exposure to Adani Group within permitted limits: FM Sitharaman |  Deccan Herald


આખા દેશમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન 

અદાણી મુદ્દાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તે માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષ નેતાઓની બેઠક પણ બોલાવી છે. અદાણીમાં સરકારી કંપની LIC તેમજ SBI દ્વારા પણ નિવેશ કરવામાં આવ્યું છે. તેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત એલઆઈસી તેમજ એસબીઆઈની ઓફિસ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ સિવાય અનેક પક્ષો અદાણી મામલે તપાસની માગ કરી રહી છે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.