સંસદમાં વિપક્ષ ફરી ઉઠાવશે અદાણીનો મુદ્દો, સમગ્ર દેશમાં કોંગ્રેસ આ મામલાને લઈ કરશે પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-02-06 10:51:52

અમેરિકાની કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તે ઉપરાંત શેરોના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે અદાણી મુદ્દો સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ દ્વારા આને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે ફરીથી સંસદમાં કાર્યવાહીનો પ્રારંભ થશે. તે બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે.


હોબાળો થતાં કાર્યવાહી કરાઈ હતી સ્થગિત 

અદાણી જૂથને હિંડનબર્ગને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા અદાણીનો મામલો સંસદમાં ઉઠાવામાં આવ્યો હતો. વિપક્ષી દળોએ આ મામલે તપાસ કરવાની માગ કરી છે. આ તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી માગ છે. હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારથી સ્થગિત કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત સંસદમાં સત્ર યોજાઈ રહ્યું છે.

LIC, SBI exposure to Adani Group within permitted limits: FM Sitharaman |  Deccan Herald


આખા દેશમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન 

અદાણી મુદ્દાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તે માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષ નેતાઓની બેઠક પણ બોલાવી છે. અદાણીમાં સરકારી કંપની LIC તેમજ SBI દ્વારા પણ નિવેશ કરવામાં આવ્યું છે. તેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત એલઆઈસી તેમજ એસબીઆઈની ઓફિસ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ સિવાય અનેક પક્ષો અદાણી મામલે તપાસની માગ કરી રહી છે.          




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.