ઓટો ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી પહેલનો એ ફોટો જેણે જીત્યું લોકોનું દિલ, તમે જોયો વાયરલ થઈ રહેલો ફોટો?


  • Published By :
  • Published Date : 2023-04-05 10:45:14

સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે લોકોને ઘણા પ્રભાવિત કરતા હોય છે. સેવાકીય કાર્યોની પ્રશંસા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવરે રિક્ષામાં ફર્સ્ટ એડ બોક્સથી લઈ પીવાનું પાણી ઉપરાંત પેપરો રાખ્યા છે. ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

छवि

પેસેન્જર માટે ઉભી કરાઈ વ્યવસ્થા!

અનેક દુકાનદારો ગ્રાહકના સંતોષને પોતાનો સંતોષ માનતા હોય છે. ગ્રાહકોને ખુશ રાખવા દુકાનદારો દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રિક્ષા વાળાઓની અલગ દુનિયા હોય છે. જેમ દુકાનદારો પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા તત્પર રહેતા હોય છે તેવી જ રીતે રિક્ષા વાળાઓ પણ પેસેન્જરને સારી સગવડ આપવા પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક રિક્ષા ડ્રાઈવરનો વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેસેન્જર માટે પાણીની બોટલ, વાંચવા માટે પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નાસ્તા માટે બિસ્કીટ પણ રાખવામાં આવ્યું છે. 

छवि

આ પહેલા પણ આવા ડ્રાઈવરનો ફોટો થયો હતો વાયરલ 

આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ માનવતા વાળા સેવા ભાવને બિરદાવી રહ્યા છે. ઓટો ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવે તેવી વાતો લોકો કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે ઘણું સારુ કામ કરી રહ્યા છે. મહત્વનું છે આ ફોટો વાયરલ થયો તે પહેલા બેંગ્લુંરૂથી એક ઓટો વાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બુક શેલ્ફ રાખી હતી. મુસાફરી દરમિયાન લોકો પુસ્તકો વાંચી સફરને એન્જોય કરી શકે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.