ઓટો ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી પહેલનો એ ફોટો જેણે જીત્યું લોકોનું દિલ, તમે જોયો વાયરલ થઈ રહેલો ફોટો?


  • Published By :
  • Published Date : 2023-04-05 10:45:14

સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે લોકોને ઘણા પ્રભાવિત કરતા હોય છે. સેવાકીય કાર્યોની પ્રશંસા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવરે રિક્ષામાં ફર્સ્ટ એડ બોક્સથી લઈ પીવાનું પાણી ઉપરાંત પેપરો રાખ્યા છે. ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

छवि

પેસેન્જર માટે ઉભી કરાઈ વ્યવસ્થા!

અનેક દુકાનદારો ગ્રાહકના સંતોષને પોતાનો સંતોષ માનતા હોય છે. ગ્રાહકોને ખુશ રાખવા દુકાનદારો દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રિક્ષા વાળાઓની અલગ દુનિયા હોય છે. જેમ દુકાનદારો પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા તત્પર રહેતા હોય છે તેવી જ રીતે રિક્ષા વાળાઓ પણ પેસેન્જરને સારી સગવડ આપવા પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક રિક્ષા ડ્રાઈવરનો વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેસેન્જર માટે પાણીની બોટલ, વાંચવા માટે પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નાસ્તા માટે બિસ્કીટ પણ રાખવામાં આવ્યું છે. 

छवि

આ પહેલા પણ આવા ડ્રાઈવરનો ફોટો થયો હતો વાયરલ 

આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ માનવતા વાળા સેવા ભાવને બિરદાવી રહ્યા છે. ઓટો ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવે તેવી વાતો લોકો કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે ઘણું સારુ કામ કરી રહ્યા છે. મહત્વનું છે આ ફોટો વાયરલ થયો તે પહેલા બેંગ્લુંરૂથી એક ઓટો વાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બુક શેલ્ફ રાખી હતી. મુસાફરી દરમિયાન લોકો પુસ્તકો વાંચી સફરને એન્જોય કરી શકે.     




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.