ઓટો ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી પહેલનો એ ફોટો જેણે જીત્યું લોકોનું દિલ, તમે જોયો વાયરલ થઈ રહેલો ફોટો?


  • Published By :
  • Published Date : 2023-04-05 10:45:14

સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે લોકોને ઘણા પ્રભાવિત કરતા હોય છે. સેવાકીય કાર્યોની પ્રશંસા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવરે રિક્ષામાં ફર્સ્ટ એડ બોક્સથી લઈ પીવાનું પાણી ઉપરાંત પેપરો રાખ્યા છે. ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

छवि

પેસેન્જર માટે ઉભી કરાઈ વ્યવસ્થા!

અનેક દુકાનદારો ગ્રાહકના સંતોષને પોતાનો સંતોષ માનતા હોય છે. ગ્રાહકોને ખુશ રાખવા દુકાનદારો દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રિક્ષા વાળાઓની અલગ દુનિયા હોય છે. જેમ દુકાનદારો પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા તત્પર રહેતા હોય છે તેવી જ રીતે રિક્ષા વાળાઓ પણ પેસેન્જરને સારી સગવડ આપવા પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક રિક્ષા ડ્રાઈવરનો વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેસેન્જર માટે પાણીની બોટલ, વાંચવા માટે પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નાસ્તા માટે બિસ્કીટ પણ રાખવામાં આવ્યું છે. 

छवि

આ પહેલા પણ આવા ડ્રાઈવરનો ફોટો થયો હતો વાયરલ 

આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ માનવતા વાળા સેવા ભાવને બિરદાવી રહ્યા છે. ઓટો ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવે તેવી વાતો લોકો કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે ઘણું સારુ કામ કરી રહ્યા છે. મહત્વનું છે આ ફોટો વાયરલ થયો તે પહેલા બેંગ્લુંરૂથી એક ઓટો વાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બુક શેલ્ફ રાખી હતી. મુસાફરી દરમિયાન લોકો પુસ્તકો વાંચી સફરને એન્જોય કરી શકે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.