Ahmedabadથી Dubai જઈ રહેલા પ્લેનનું Pakistanમાં કરાયું Emergency Landing, Karachiમાં આ કારણોસર કરાયું લેન્ડિંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:02

પાકિસ્તાનના કરાચીમાં અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ જવાની હતી ફ્લાઈટ પરંતુ એક મુસાફરની અચાનક તબિયત બગડી જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી અને કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીને કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી. 

સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર |  Business News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

27 વર્ષીય યુવાનને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ એટેક!

અનેક વખત સમાચાર સામે આવ્યા છે જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે. ત્યારે કરાચીમાં સ્પાઈસ  જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે ફ્લાઈટમાં મુસાફરી કરતા 27 વર્ષીય ધર્મેશ ધારવાલની અચાનક તબિયત બગડી. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરાવામાં આવ્યું.આ અંગે સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે મુસાફરની તબિતયત બગડી તે 27 વર્ષનો હતો. ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ધર્મેશને સારવાર મળી રહે તે માટે કરાચીમાં ફ્લાઈટને ડાઈવર્ટ કરાયું. મળતી માહિતી અનુસાર સારવાર મળ્યા બાદ ધર્મેશની તબિયત સુધરી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય છે. સાજો લાગતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હોય છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. પહેલા કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.