Ahmedabadથી Dubai જઈ રહેલા પ્લેનનું Pakistanમાં કરાયું Emergency Landing, Karachiમાં આ કારણોસર કરાયું લેન્ડિંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:02

પાકિસ્તાનના કરાચીમાં અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ જવાની હતી ફ્લાઈટ પરંતુ એક મુસાફરની અચાનક તબિયત બગડી જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી અને કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીને કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી. 

સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર |  Business News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

27 વર્ષીય યુવાનને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ એટેક!

અનેક વખત સમાચાર સામે આવ્યા છે જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે. ત્યારે કરાચીમાં સ્પાઈસ  જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે ફ્લાઈટમાં મુસાફરી કરતા 27 વર્ષીય ધર્મેશ ધારવાલની અચાનક તબિયત બગડી. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરાવામાં આવ્યું.આ અંગે સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે મુસાફરની તબિતયત બગડી તે 27 વર્ષનો હતો. ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ધર્મેશને સારવાર મળી રહે તે માટે કરાચીમાં ફ્લાઈટને ડાઈવર્ટ કરાયું. મળતી માહિતી અનુસાર સારવાર મળ્યા બાદ ધર્મેશની તબિયત સુધરી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય છે. સાજો લાગતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હોય છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. પહેલા કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.