Ahmedabadથી Dubai જઈ રહેલા પ્લેનનું Pakistanમાં કરાયું Emergency Landing, Karachiમાં આ કારણોસર કરાયું લેન્ડિંગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:02

પાકિસ્તાનના કરાચીમાં અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ જવાની હતી ફ્લાઈટ પરંતુ એક મુસાફરની અચાનક તબિયત બગડી જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી અને કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીને કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી. 

સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર |  Business News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

27 વર્ષીય યુવાનને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ એટેક!

અનેક વખત સમાચાર સામે આવ્યા છે જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે. ત્યારે કરાચીમાં સ્પાઈસ  જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે ફ્લાઈટમાં મુસાફરી કરતા 27 વર્ષીય ધર્મેશ ધારવાલની અચાનક તબિયત બગડી. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરાવામાં આવ્યું.આ અંગે સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે મુસાફરની તબિતયત બગડી તે 27 વર્ષનો હતો. ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ધર્મેશને સારવાર મળી રહે તે માટે કરાચીમાં ફ્લાઈટને ડાઈવર્ટ કરાયું. મળતી માહિતી અનુસાર સારવાર મળ્યા બાદ ધર્મેશની તબિયત સુધરી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય છે. સાજો લાગતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હોય છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. પહેલા કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.