ફ્રાન્સમાં રોકવામાં આવેલા વિમાનને અંતે ઉડાનની મળી મંજુરી, ભારતીય મુસાફરોને ડિપોર્ટ કરાયા


  • Published By :
  • Published Date : 2023-12-25 22:46:34

ફ્રાન્સમાં રોકવામાં આવેલા ભારતીય મુસાફરોથી ભરેલા વિમાનને અંતે ઉડવાની મંજરી આપવામાં આવી ગઈ છે. આ વિમાનને ફ્રેન્ચ અધિકારીઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક રોક્યું હતું. લાંબી પૂછપરછ પછી, એક ફ્રેન્ચ કોર્ટે રવિવારે કહ્યું કે વિમાન હવે આગળ ઉડવા માટે મુક્ત છે. ફ્રાન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય મુસાફરોને ભારત મોકલવામાં આવશે. જો કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આની પુષ્ટિ કરતું કોઈ નિવેદન આવ્યું નથી. આ વિમાન 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું, તેમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય મૂળના છે.


માનવ તસ્કરીની શંકા બાદ કાર્યવાહી


લિજેન્ડ એરલાઇન્સનું એરબસ A340 એરક્રાફ્ટ શુક્રવારે ઇંધણ ભરવા માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.


બે દિવસ સુધી પૂછપરછ ચાલી


વિમાનને રોક્યા પછી, ફ્રેન્ચ સત્તાવાળાઓએ વેટ્રી એરપોર્ટના એક મોટા હોલમાં તમામ મુસાફરોની અટકાયત કરી હતી. પોલીસ અને અન્ય અધિકારીઓએ ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યોની લાંબી પૂછપરછ કરી હતી. તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ કર્યા બાદ તેમને રવિવારે ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેન રોકવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ એરલાઈન્સના વકીલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપનીના વકીલ લિલિયાના બકાયોકોએ માનવ તસ્કરીની કોઈપણ સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિની જાણકારી મેળવી હતી. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનો સ્ટાફ એરપોર્ટ પર હાજર રહ્યો હતો.


11 સગીર સાથે કોઈ નહીં


ફ્રાંસનું જે એરપોર્ટ પર આ ઘટના બની છે તે પેરિસથી 150 કિલોમીટર દૂર છે. સૂત્રોનું માનીએ તો વિમાનમાં સવાર 10 મુસાફરોએ અધિકારીઓ પાસે આશ્રય માંગ્યો હતો. જે બાદ ફ્રેન્ચ અધિકારીઓને માનવ તસ્કરીની શંકા ગઈ હતી. ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે પ્લેનના મુસાફરોમાં 11 સગીર એવા છે જેમની સાથે કોઈ નથી. ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમને માનવ તસ્કરી સંબંધિત કોઈ પુરાવા મળ્યા છે કે નહીં.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.