'શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત' કહેનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:14:14

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે નવા-નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ કેસને સુલઝાવવા  પ્રયાસ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ઘટનાને લઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી જેમાં તેણે શ્રદ્ધા મર્ડરને સાચું ગણાવે છે. વાયરલ વીડિયોમાં એવું પણ તે કહી રહ્યો છે કે જો આફતાબની જગ્યાએ એ હોતને તો શરીરના 35 નહીં 36 ટુકડા કરત.

 

પોતાનું નામ રાશિદ બતાવ્યું હતું

જ્યારથી આ પ્રતિક્રિયા વાળો વીડિયો વાયરલ થયો હતો ત્યારથી પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી હતી. વીડિયોમાં તે પોતે બુલંદશહેરનો છે અને તેણે પોતાનું નામ રાશિદ ખાન બતાવ્યું હતું. વીડિયોમાં રાશિદ કહી રહ્યો છે કે મારી જો કોઈની સાથે લડાઈ થઈ જાય તો તેને હું કાપી નાખું. આ મામલામાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે.  

Bulandshahr person arrested who justified Shraddha Walkar Murder

આરોપી સામે પાંચ કેસ છે નોંધાયા 

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં રાશિદ ખાન બતાવનાર અસલમાં વિકાસ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે આ વ્યક્તિ પર પહેલેથી જ પાંચ ગુન્હા નોંધાયા છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે