'શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત' કહેનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:14:14

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે નવા-નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ કેસને સુલઝાવવા  પ્રયાસ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ઘટનાને લઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી જેમાં તેણે શ્રદ્ધા મર્ડરને સાચું ગણાવે છે. વાયરલ વીડિયોમાં એવું પણ તે કહી રહ્યો છે કે જો આફતાબની જગ્યાએ એ હોતને તો શરીરના 35 નહીં 36 ટુકડા કરત.

 

પોતાનું નામ રાશિદ બતાવ્યું હતું

જ્યારથી આ પ્રતિક્રિયા વાળો વીડિયો વાયરલ થયો હતો ત્યારથી પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી હતી. વીડિયોમાં તે પોતે બુલંદશહેરનો છે અને તેણે પોતાનું નામ રાશિદ ખાન બતાવ્યું હતું. વીડિયોમાં રાશિદ કહી રહ્યો છે કે મારી જો કોઈની સાથે લડાઈ થઈ જાય તો તેને હું કાપી નાખું. આ મામલામાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે.  

Bulandshahr person arrested who justified Shraddha Walkar Murder

આરોપી સામે પાંચ કેસ છે નોંધાયા 

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં રાશિદ ખાન બતાવનાર અસલમાં વિકાસ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે આ વ્યક્તિ પર પહેલેથી જ પાંચ ગુન્હા નોંધાયા છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.