'શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત' કહેનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:14:14

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે નવા-નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ કેસને સુલઝાવવા  પ્રયાસ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ઘટનાને લઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી જેમાં તેણે શ્રદ્ધા મર્ડરને સાચું ગણાવે છે. વાયરલ વીડિયોમાં એવું પણ તે કહી રહ્યો છે કે જો આફતાબની જગ્યાએ એ હોતને તો શરીરના 35 નહીં 36 ટુકડા કરત.

 

પોતાનું નામ રાશિદ બતાવ્યું હતું

જ્યારથી આ પ્રતિક્રિયા વાળો વીડિયો વાયરલ થયો હતો ત્યારથી પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી હતી. વીડિયોમાં તે પોતે બુલંદશહેરનો છે અને તેણે પોતાનું નામ રાશિદ ખાન બતાવ્યું હતું. વીડિયોમાં રાશિદ કહી રહ્યો છે કે મારી જો કોઈની સાથે લડાઈ થઈ જાય તો તેને હું કાપી નાખું. આ મામલામાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે.  

Bulandshahr person arrested who justified Shraddha Walkar Murder

આરોપી સામે પાંચ કેસ છે નોંધાયા 

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં રાશિદ ખાન બતાવનાર અસલમાં વિકાસ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે આ વ્યક્તિ પર પહેલેથી જ પાંચ ગુન્હા નોંધાયા છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.