'શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત' કહેનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:14:14

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે નવા-નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ કેસને સુલઝાવવા  પ્રયાસ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ઘટનાને લઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી જેમાં તેણે શ્રદ્ધા મર્ડરને સાચું ગણાવે છે. વાયરલ વીડિયોમાં એવું પણ તે કહી રહ્યો છે કે જો આફતાબની જગ્યાએ એ હોતને તો શરીરના 35 નહીં 36 ટુકડા કરત.

 

પોતાનું નામ રાશિદ બતાવ્યું હતું

જ્યારથી આ પ્રતિક્રિયા વાળો વીડિયો વાયરલ થયો હતો ત્યારથી પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી હતી. વીડિયોમાં તે પોતે બુલંદશહેરનો છે અને તેણે પોતાનું નામ રાશિદ ખાન બતાવ્યું હતું. વીડિયોમાં રાશિદ કહી રહ્યો છે કે મારી જો કોઈની સાથે લડાઈ થઈ જાય તો તેને હું કાપી નાખું. આ મામલામાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે.  

Bulandshahr person arrested who justified Shraddha Walkar Murder

આરોપી સામે પાંચ કેસ છે નોંધાયા 

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં રાશિદ ખાન બતાવનાર અસલમાં વિકાસ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે આ વ્યક્તિ પર પહેલેથી જ પાંચ ગુન્હા નોંધાયા છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.