શ્રદ્ધા જેવી ઘટનાને સોલ્વ કરવામાં પોલીસને મળી સફળતા, સાવકા પુત્રએ અને માતાની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-28 15:34:37

એક તરફ શ્રદ્ધા મર્ડર કેસ હજી ઉકેલાયો નથી ત્યારે શ્રદ્ધા મર્ડર જેવો બીજો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે 6 મહિનાથી ચાલતા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મા અન પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી હતી. અને કોઈને ખબર ન પડે તે માટે ફ્રિજમાં રાખેલી લાશના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી રહ્યા હતા.

મૃતદેહને ફીજમાં રાખતા હતા   

દિલ્હીના પાંડવ નગરમાં રેહલા માતા-પુત્રની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. મૃતકના શરીરને કાપી દીધા હતા અને ચૂપચાપ રીતે મેદાન તેમજ નાળામાં ફેંકી આવતા હતા. નાળામાંથી પોલીસને માણસના અંગો મળી આવ્યા હતા. અને આ કેસને સોલ્વ કરવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો કે આ માનવીય અંગ અંજન દાસ નામના વ્યક્તિના છે. જે બાદ પોલીસે તેમના અંજન દાસના પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. 


અનેક મહિલાઓ સાથે હતો સંબંધ - પત્નીનો દાવો 

માતા અને પુત્રના કહેવા પ્રમાણે અંજન દાસને અનેક મહિલાઓ સાથે અફેર હતા ઉપરાંત પોતાની પુત્રવધુ પર પણ ગંદી નજર રાખતો હતો, જેને કારણે દારૂમાં નશાની દવા ભેળવીને પીવડાઈ દીધી અને છરીથી શરીરના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને 30 મેના રોજ માનવ અંગો મળ્યા હતા અને અંતે 6 મહિનાની તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે