શ્રદ્ધા જેવી ઘટનાને સોલ્વ કરવામાં પોલીસને મળી સફળતા, સાવકા પુત્રએ અને માતાની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-28 15:34:37

એક તરફ શ્રદ્ધા મર્ડર કેસ હજી ઉકેલાયો નથી ત્યારે શ્રદ્ધા મર્ડર જેવો બીજો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે 6 મહિનાથી ચાલતા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મા અન પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી હતી. અને કોઈને ખબર ન પડે તે માટે ફ્રિજમાં રાખેલી લાશના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી રહ્યા હતા.

મૃતદેહને ફીજમાં રાખતા હતા   

દિલ્હીના પાંડવ નગરમાં રેહલા માતા-પુત્રની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. મૃતકના શરીરને કાપી દીધા હતા અને ચૂપચાપ રીતે મેદાન તેમજ નાળામાં ફેંકી આવતા હતા. નાળામાંથી પોલીસને માણસના અંગો મળી આવ્યા હતા. અને આ કેસને સોલ્વ કરવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો કે આ માનવીય અંગ અંજન દાસ નામના વ્યક્તિના છે. જે બાદ પોલીસે તેમના અંજન દાસના પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. 


અનેક મહિલાઓ સાથે હતો સંબંધ - પત્નીનો દાવો 

માતા અને પુત્રના કહેવા પ્રમાણે અંજન દાસને અનેક મહિલાઓ સાથે અફેર હતા ઉપરાંત પોતાની પુત્રવધુ પર પણ ગંદી નજર રાખતો હતો, જેને કારણે દારૂમાં નશાની દવા ભેળવીને પીવડાઈ દીધી અને છરીથી શરીરના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને 30 મેના રોજ માનવ અંગો મળ્યા હતા અને અંતે 6 મહિનાની તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.