શ્રદ્ધા જેવી ઘટનાને સોલ્વ કરવામાં પોલીસને મળી સફળતા, સાવકા પુત્રએ અને માતાની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-28 15:34:37

એક તરફ શ્રદ્ધા મર્ડર કેસ હજી ઉકેલાયો નથી ત્યારે શ્રદ્ધા મર્ડર જેવો બીજો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે 6 મહિનાથી ચાલતા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મા અન પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી હતી. અને કોઈને ખબર ન પડે તે માટે ફ્રિજમાં રાખેલી લાશના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી રહ્યા હતા.

મૃતદેહને ફીજમાં રાખતા હતા   

દિલ્હીના પાંડવ નગરમાં રેહલા માતા-પુત્રની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. મૃતકના શરીરને કાપી દીધા હતા અને ચૂપચાપ રીતે મેદાન તેમજ નાળામાં ફેંકી આવતા હતા. નાળામાંથી પોલીસને માણસના અંગો મળી આવ્યા હતા. અને આ કેસને સોલ્વ કરવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો કે આ માનવીય અંગ અંજન દાસ નામના વ્યક્તિના છે. જે બાદ પોલીસે તેમના અંજન દાસના પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. 


અનેક મહિલાઓ સાથે હતો સંબંધ - પત્નીનો દાવો 

માતા અને પુત્રના કહેવા પ્રમાણે અંજન દાસને અનેક મહિલાઓ સાથે અફેર હતા ઉપરાંત પોતાની પુત્રવધુ પર પણ ગંદી નજર રાખતો હતો, જેને કારણે દારૂમાં નશાની દવા ભેળવીને પીવડાઈ દીધી અને છરીથી શરીરના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને 30 મેના રોજ માનવ અંગો મળ્યા હતા અને અંતે 6 મહિનાની તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.