શ્રદ્ધા જેવી ઘટનાને સોલ્વ કરવામાં પોલીસને મળી સફળતા, સાવકા પુત્રએ અને માતાની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-28 15:34:37

એક તરફ શ્રદ્ધા મર્ડર કેસ હજી ઉકેલાયો નથી ત્યારે શ્રદ્ધા મર્ડર જેવો બીજો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે 6 મહિનાથી ચાલતા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મા અન પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી હતી. અને કોઈને ખબર ન પડે તે માટે ફ્રિજમાં રાખેલી લાશના ટુકડાને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી રહ્યા હતા.

મૃતદેહને ફીજમાં રાખતા હતા   

દિલ્હીના પાંડવ નગરમાં રેહલા માતા-પુત્રની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. મૃતકના શરીરને કાપી દીધા હતા અને ચૂપચાપ રીતે મેદાન તેમજ નાળામાં ફેંકી આવતા હતા. નાળામાંથી પોલીસને માણસના અંગો મળી આવ્યા હતા. અને આ કેસને સોલ્વ કરવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં ખુલાસો થયો કે આ માનવીય અંગ અંજન દાસ નામના વ્યક્તિના છે. જે બાદ પોલીસે તેમના અંજન દાસના પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. 


અનેક મહિલાઓ સાથે હતો સંબંધ - પત્નીનો દાવો 

માતા અને પુત્રના કહેવા પ્રમાણે અંજન દાસને અનેક મહિલાઓ સાથે અફેર હતા ઉપરાંત પોતાની પુત્રવધુ પર પણ ગંદી નજર રાખતો હતો, જેને કારણે દારૂમાં નશાની દવા ભેળવીને પીવડાઈ દીધી અને છરીથી શરીરના અનેક ટુકડા કર્યા હતા. પોલીસને 30 મેના રોજ માનવ અંગો મળ્યા હતા અને અંતે 6 મહિનાની તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.