Kheda સિરપકાંડ મામલે આ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, પાંચ લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 12:36:09

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખેડામાં થયેલા સિરપકાંડ અંગે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટી માત્રામાં સિરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે નવી અપડેટ સામે આવી છે. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે. 

5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

ખેડામાં થયેલા સિરપકાંડ મામલે અનેક કલાકો બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોલીસ પોતે બની છે. નડિયાદ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદી બનાવ્યા હતા. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદના યોગેશ સિંધી, બિલોદરાના કિશોર સોઢા, ઈશ્વર સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અલગ અલગ સ્થળો પર હાથ ધરાયું હતું ચેકિંગ 

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.  

ક્યાંથી કેટલી બોટલો પકડાઈ?

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પણ આ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી