Kheda સિરપકાંડ મામલે આ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, પાંચ લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 12:36:09

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખેડામાં થયેલા સિરપકાંડ અંગે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટી માત્રામાં સિરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે નવી અપડેટ સામે આવી છે. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે. 

5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

ખેડામાં થયેલા સિરપકાંડ મામલે અનેક કલાકો બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોલીસ પોતે બની છે. નડિયાદ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદી બનાવ્યા હતા. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદના યોગેશ સિંધી, બિલોદરાના કિશોર સોઢા, ઈશ્વર સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અલગ અલગ સ્થળો પર હાથ ધરાયું હતું ચેકિંગ 

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.  

ક્યાંથી કેટલી બોટલો પકડાઈ?

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પણ આ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.