Kheda સિરપકાંડ મામલે આ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, પાંચ લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 12:36:09

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખેડામાં થયેલા સિરપકાંડ અંગે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટી માત્રામાં સિરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે નવી અપડેટ સામે આવી છે. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે. 

5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

ખેડામાં થયેલા સિરપકાંડ મામલે અનેક કલાકો બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોલીસ પોતે બની છે. નડિયાદ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદી બનાવ્યા હતા. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદના યોગેશ સિંધી, બિલોદરાના કિશોર સોઢા, ઈશ્વર સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અલગ અલગ સ્થળો પર હાથ ધરાયું હતું ચેકિંગ 

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.  

ક્યાંથી કેટલી બોટલો પકડાઈ?

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પણ આ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.