વાવની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીએ કરી દીધી ઉમેદવાર શોધવાની શરૂઆત? જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-06-13 17:20:44

લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. આવનાર 6 મહિનામાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે જેમાં વાવ માટે મતદાન થશે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ અને આજે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારે વાવ વિધાનસભા બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  

વાવ વિધાનસભા બેઠક પર કોણ હશે ઉમેદવાર? 

વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપી દીધું છે. આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના રેખાબેન ચૌધરીની સામે લગભગ 30000 વોટોના માર્જીનથી જીતી ચુક્યા છે. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને લઈ ચર્ચા થઈ રહી છે. કઈ પાર્ટી કયા ઉમેદવારને ઉતારે છે તેની પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. તે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ના માત્ર કોંગ્રેસના ઉમેદવાર પર નજર છે પરંતુ ભાજપના ઉમેદવાર પર પણ નજર રહેલી છે. 


ગુલાબસિંહ રાજપૂતનું ચર્ચાઈ રહ્યું છે ઉમેદવાર તરીકે નામ

આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી છે તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બનાસકાંઠા લોકસભા બેઠક હવે ગેનીબેન ઠાકોરે જીતી લેતા તેમણે  ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વાવના MLA પદેથી રાજીનામુ આપી દીધું છે. તો હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વાવ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તો આમાં કોંગ્રેસમાંથી કોણ હશે સંભવિત ઉમેદવાર. તો સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે . 



કેવી છે ગુલાબસિંહ રાજપૂતની રાજપૂતની રાજકીય સફર?

વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે . તેઓ થરાદ બેઠક પરથી 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPના શંકર ચૌધરી સામે 26,000 વોટોના માર્જીનથી હારી ગયા હતા . 

અને હવે વાવ પરથી ગેનબેન ઠાકોરે રાજીનામુ આપતા , કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પેટાચૂંટણીમાં ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ ચૂંટણી નથી લડવાના... 


શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે... 

વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો તેઓ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં જાયન્ટ કિલર બનીને ઉભર્યા હતા . ત્યારે તેમણે વાવના તે વખતના BJP ના MLA શંકર ચૌધરીને હરાવ્યા, આ પછી પણ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વાવ જીત્યા હતા. અને હવે આ 2024ના લોકસભાના સંગ્રામમાં કોંગ્રેસમાંથી એક માત્ર ગેનીબેને બાજી મારી છે .  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.