વાવની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીએ કરી દીધી ઉમેદવાર શોધવાની શરૂઆત? જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-06-13 17:20:44

લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. આવનાર 6 મહિનામાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે જેમાં વાવ માટે મતદાન થશે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ અને આજે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારે વાવ વિધાનસભા બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  

વાવ વિધાનસભા બેઠક પર કોણ હશે ઉમેદવાર? 

વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપી દીધું છે. આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના રેખાબેન ચૌધરીની સામે લગભગ 30000 વોટોના માર્જીનથી જીતી ચુક્યા છે. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને લઈ ચર્ચા થઈ રહી છે. કઈ પાર્ટી કયા ઉમેદવારને ઉતારે છે તેની પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. તે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ના માત્ર કોંગ્રેસના ઉમેદવાર પર નજર છે પરંતુ ભાજપના ઉમેદવાર પર પણ નજર રહેલી છે. 


ગુલાબસિંહ રાજપૂતનું ચર્ચાઈ રહ્યું છે ઉમેદવાર તરીકે નામ

આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી છે તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બનાસકાંઠા લોકસભા બેઠક હવે ગેનીબેન ઠાકોરે જીતી લેતા તેમણે  ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વાવના MLA પદેથી રાજીનામુ આપી દીધું છે. તો હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વાવ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તો આમાં કોંગ્રેસમાંથી કોણ હશે સંભવિત ઉમેદવાર. તો સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે . 



કેવી છે ગુલાબસિંહ રાજપૂતની રાજપૂતની રાજકીય સફર?

વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે . તેઓ થરાદ બેઠક પરથી 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPના શંકર ચૌધરી સામે 26,000 વોટોના માર્જીનથી હારી ગયા હતા . 

અને હવે વાવ પરથી ગેનબેન ઠાકોરે રાજીનામુ આપતા , કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પેટાચૂંટણીમાં ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ ચૂંટણી નથી લડવાના... 


શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે... 

વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો તેઓ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં જાયન્ટ કિલર બનીને ઉભર્યા હતા . ત્યારે તેમણે વાવના તે વખતના BJP ના MLA શંકર ચૌધરીને હરાવ્યા, આ પછી પણ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વાવ જીત્યા હતા. અને હવે આ 2024ના લોકસભાના સંગ્રામમાં કોંગ્રેસમાંથી એક માત્ર ગેનીબેને બાજી મારી છે .  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .