વાવની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીએ કરી દીધી ઉમેદવાર શોધવાની શરૂઆત? જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-06-13 17:20:44

લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. આવનાર 6 મહિનામાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે જેમાં વાવ માટે મતદાન થશે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ અને આજે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારે વાવ વિધાનસભા બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  

વાવ વિધાનસભા બેઠક પર કોણ હશે ઉમેદવાર? 

વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપી દીધું છે. આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના રેખાબેન ચૌધરીની સામે લગભગ 30000 વોટોના માર્જીનથી જીતી ચુક્યા છે. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને લઈ ચર્ચા થઈ રહી છે. કઈ પાર્ટી કયા ઉમેદવારને ઉતારે છે તેની પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. તે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ના માત્ર કોંગ્રેસના ઉમેદવાર પર નજર છે પરંતુ ભાજપના ઉમેદવાર પર પણ નજર રહેલી છે. 


ગુલાબસિંહ રાજપૂતનું ચર્ચાઈ રહ્યું છે ઉમેદવાર તરીકે નામ

આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી છે તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બનાસકાંઠા લોકસભા બેઠક હવે ગેનીબેન ઠાકોરે જીતી લેતા તેમણે  ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વાવના MLA પદેથી રાજીનામુ આપી દીધું છે. તો હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વાવ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તો આમાં કોંગ્રેસમાંથી કોણ હશે સંભવિત ઉમેદવાર. તો સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે . 



કેવી છે ગુલાબસિંહ રાજપૂતની રાજપૂતની રાજકીય સફર?

વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે . તેઓ થરાદ બેઠક પરથી 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPના શંકર ચૌધરી સામે 26,000 વોટોના માર્જીનથી હારી ગયા હતા . 

અને હવે વાવ પરથી ગેનબેન ઠાકોરે રાજીનામુ આપતા , કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પેટાચૂંટણીમાં ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ ચૂંટણી નથી લડવાના... 


શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે... 

વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો તેઓ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં જાયન્ટ કિલર બનીને ઉભર્યા હતા . ત્યારે તેમણે વાવના તે વખતના BJP ના MLA શંકર ચૌધરીને હરાવ્યા, આ પછી પણ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વાવ જીત્યા હતા. અને હવે આ 2024ના લોકસભાના સંગ્રામમાં કોંગ્રેસમાંથી એક માત્ર ગેનીબેને બાજી મારી છે .  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.