નવા વર્ષના પહેલા દિવસે એનિમલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-01 14:33:06

નવા વર્ષના પ્રથમ દિવસે રણબીર કપૂરની આવનારી ફિલ્મ એનિમલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. રણબીરના આ લૂકને જોઈ લોકો ચોંકી  ઉપરાંત ગભરાઈ ગયા છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં તે લોહીથી લથપથ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકો નવા વર્ષને આવકારવા તૈયાર હતા તે સમયે રણબીરે તેમના ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

 

રણબીર કપૂરના લૂકને જોઈ લોકો આશ્ચર્ચ પામ્યા

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર એક નવા લૂકમાં જોવા મળવાના છે. રણબીર કપૂરે પોતાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં તે એકદમ ડરાવાના દેખાઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રણબીર લોહીથી લથપથ છે અને તેમના હાથમાં કુહાડી છે જેના પર પણ લોહી દેખાઈ રહ્યું છે. 


11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ 

રણબીર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે એનિમલનો ફર્સ્ટ લૂક ઈસ આઉટ. હું ખૂબ ઉત્સાહિત છું તમે પણ જુઓ. આ ફિલ્મમાં રણવીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.