નવા વર્ષના પહેલા દિવસે એનિમલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-01 14:33:06

નવા વર્ષના પ્રથમ દિવસે રણબીર કપૂરની આવનારી ફિલ્મ એનિમલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. રણબીરના આ લૂકને જોઈ લોકો ચોંકી  ઉપરાંત ગભરાઈ ગયા છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં તે લોહીથી લથપથ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકો નવા વર્ષને આવકારવા તૈયાર હતા તે સમયે રણબીરે તેમના ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

 

રણબીર કપૂરના લૂકને જોઈ લોકો આશ્ચર્ચ પામ્યા

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર એક નવા લૂકમાં જોવા મળવાના છે. રણબીર કપૂરે પોતાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં તે એકદમ ડરાવાના દેખાઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રણબીર લોહીથી લથપથ છે અને તેમના હાથમાં કુહાડી છે જેના પર પણ લોહી દેખાઈ રહ્યું છે. 


11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ 

રણબીર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે એનિમલનો ફર્સ્ટ લૂક ઈસ આઉટ. હું ખૂબ ઉત્સાહિત છું તમે પણ જુઓ. આ ફિલ્મમાં રણવીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .