નવા વર્ષના પહેલા દિવસે એનિમલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-01 14:33:06

નવા વર્ષના પ્રથમ દિવસે રણબીર કપૂરની આવનારી ફિલ્મ એનિમલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. રણબીરના આ લૂકને જોઈ લોકો ચોંકી  ઉપરાંત ગભરાઈ ગયા છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં તે લોહીથી લથપથ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકો નવા વર્ષને આવકારવા તૈયાર હતા તે સમયે રણબીરે તેમના ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

 

રણબીર કપૂરના લૂકને જોઈ લોકો આશ્ચર્ચ પામ્યા

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર એક નવા લૂકમાં જોવા મળવાના છે. રણબીર કપૂરે પોતાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં તે એકદમ ડરાવાના દેખાઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રણબીર લોહીથી લથપથ છે અને તેમના હાથમાં કુહાડી છે જેના પર પણ લોહી દેખાઈ રહ્યું છે. 


11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ 

રણબીર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે એનિમલનો ફર્સ્ટ લૂક ઈસ આઉટ. હું ખૂબ ઉત્સાહિત છું તમે પણ જુઓ. આ ફિલ્મમાં રણવીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી