સાચી પડી આગાહી! રાજ્યના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક પડ્યા કરા, જાણો ક્યાં પડ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-05-13 18:02:23

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી થોડા દિવસ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરાઈ હતી અને આ આગાહી સાચી સાબિત થઈ રહી હતી.. રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. મહીસાગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  અમરેલીમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. 

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત 

રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ભર ઉનાળે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. અનેક જગ્યાઓ તો એવી છે જ્યાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થવાને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.. જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે...


આવતી કાલે કેવું રહેશે વાતાવરણ? 

મહત્વનું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ અંગેની આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   



16 તારીખ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.