સાચી પડી આગાહી! રાજ્યના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક પડ્યા કરા, જાણો ક્યાં પડ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-05-13 18:02:23

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી થોડા દિવસ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરાઈ હતી અને આ આગાહી સાચી સાબિત થઈ રહી હતી.. રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. મહીસાગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  અમરેલીમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. 

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત 

રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ભર ઉનાળે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. અનેક જગ્યાઓ તો એવી છે જ્યાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થવાને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.. જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે...


આવતી કાલે કેવું રહેશે વાતાવરણ? 

મહત્વનું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ અંગેની આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   



16 તારીખ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.