ઓસ્ટ્રેલિયાના અને ભારતના વડાપ્રધાન પહોંચ્યા મેચ જોવા, અમદાવાદ ખાતે થઈ રહી છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ


  • Published By :
  • Published Date : 2023-03-09 11:26:26

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચને જોવા બંને દેશના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે છે. બંને પીએમની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પહેલા બેટિંગ લીધી છે. વહેલી સવારથી જ મેચને જોવા સ્ટેડિયમ બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી.

 

Untitled 7

%E0%AA%BE

ક્રિકેટરો સાથે વાત કરી વધાર્યો ઉત્સાહ  

બંને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેચની શરૂઆત પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શાહ પણ આ પ્રસંગે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. બંને દેશના વડાપ્રધાનોએ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ક્રિકેટ ગ્રાઉન્ડનું ચક્કર લગાવી ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.   


BCCIના સેક્રેટરી જય શાહે PM મોદીને ભેટ આપી હતી.

%E0%AA%B8%E0%AB%8B %E0%AB%8B%E0%AB%80

Image

Image


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.