ઓસ્ટ્રેલિયાના અને ભારતના વડાપ્રધાન પહોંચ્યા મેચ જોવા, અમદાવાદ ખાતે થઈ રહી છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ


  • Published By :
  • Published Date : 2023-03-09 11:26:26

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચને જોવા બંને દેશના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે છે. બંને પીએમની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પહેલા બેટિંગ લીધી છે. વહેલી સવારથી જ મેચને જોવા સ્ટેડિયમ બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી.

 

Untitled 7

%E0%AA%BE

ક્રિકેટરો સાથે વાત કરી વધાર્યો ઉત્સાહ  

બંને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેચની શરૂઆત પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શાહ પણ આ પ્રસંગે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. બંને દેશના વડાપ્રધાનોએ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ક્રિકેટ ગ્રાઉન્ડનું ચક્કર લગાવી ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.   


BCCIના સેક્રેટરી જય શાહે PM મોદીને ભેટ આપી હતી.

%E0%AA%B8%E0%AB%8B %E0%AB%8B%E0%AB%80

Image

Image


ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?