નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઉજ્જૈન મહાકાલ મંદિરના કર્યા દર્શન! નેપાળથી લાવેલા રૂદ્રાક્ષ ભગવાનને કર્યા અર્પણ


  • Published By :
  • Published Date : 2023-06-02 17:14:02

નેપાળના વડાપ્રધાન પ્રચંડ ભારતના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે બાદ નેપાળના પીએમએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે નેપાળના વડાપ્રધાન મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. ગર્ભગૃહમાં તેમણે પૂજા કરી હતી. પીએમની સાથે તેમની પુત્રી પણ હાજર હતા. શિવજીના ચરણોમાં નેપાલથી લાવેલા 100 રૂદ્રાક્ષ અર્પણ કર્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હાજર રહ્યા હતા.


નેપાળના પીએમે કર્યા મહાકાલ મંદિરના દર્શન!  

ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરવા નેપાળના પીએમ પહોંચ્યા હતા. નેપાળના પીએમ પુષ્ક કમળ પ્રચંડ હાલ ભારતના પ્રવાસે છે. ગઈકાલે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. બેઠક પહેલા મહાત્મા ગાંધીને રાજઘાટ જઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે બાદ તેમણે રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણએ તેમનું સ્વાગત કર્યું હતું. શિવરાજસિંહે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. ક્યારેક એવું લાગે છે કે બે દેશો જ અલગ છે, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા એક જ સરખી છે.  


મંદિરમાં અપર્ણ કર્યા રૂદ્રાક્ષ!

3 જૂન સુધી પ્રચંડ ભારતની મુલાકાતે છે. પીએમ તરીકેની આ તેમની ચોથી મુલાકાત છે. ત્યારે આજે નેપાળના પીએમે ઉજ્જૈનની મુલાકાત લીધી હતી. મહાકાલ મંદિરમાં તેમણે પૂજા વિધી કરી હતી. મંદિરમાં પીએમે નેપાળથી લાવેલા 100 રૂદ્રાક્ષ અને 51 હજાર રોકડ અર્પણ કર્યા હતા. એવું માનવામાં  આવી રહ્યું છે કે પીએમે તેમની બિમાર પત્ની માટે પ્રાર્થના કરી હતી.                



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.