નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઉજ્જૈન મહાકાલ મંદિરના કર્યા દર્શન! નેપાળથી લાવેલા રૂદ્રાક્ષ ભગવાનને કર્યા અર્પણ


  • Published By :
  • Published Date : 2023-06-02 17:14:02

નેપાળના વડાપ્રધાન પ્રચંડ ભારતના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે બાદ નેપાળના પીએમએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે નેપાળના વડાપ્રધાન મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. ગર્ભગૃહમાં તેમણે પૂજા કરી હતી. પીએમની સાથે તેમની પુત્રી પણ હાજર હતા. શિવજીના ચરણોમાં નેપાલથી લાવેલા 100 રૂદ્રાક્ષ અર્પણ કર્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હાજર રહ્યા હતા.


નેપાળના પીએમે કર્યા મહાકાલ મંદિરના દર્શન!  

ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરવા નેપાળના પીએમ પહોંચ્યા હતા. નેપાળના પીએમ પુષ્ક કમળ પ્રચંડ હાલ ભારતના પ્રવાસે છે. ગઈકાલે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. બેઠક પહેલા મહાત્મા ગાંધીને રાજઘાટ જઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે બાદ તેમણે રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણએ તેમનું સ્વાગત કર્યું હતું. શિવરાજસિંહે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. ક્યારેક એવું લાગે છે કે બે દેશો જ અલગ છે, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા એક જ સરખી છે.  


મંદિરમાં અપર્ણ કર્યા રૂદ્રાક્ષ!

3 જૂન સુધી પ્રચંડ ભારતની મુલાકાતે છે. પીએમ તરીકેની આ તેમની ચોથી મુલાકાત છે. ત્યારે આજે નેપાળના પીએમે ઉજ્જૈનની મુલાકાત લીધી હતી. મહાકાલ મંદિરમાં તેમણે પૂજા વિધી કરી હતી. મંદિરમાં પીએમે નેપાળથી લાવેલા 100 રૂદ્રાક્ષ અને 51 હજાર રોકડ અર્પણ કર્યા હતા. એવું માનવામાં  આવી રહ્યું છે કે પીએમે તેમની બિમાર પત્ની માટે પ્રાર્થના કરી હતી.                



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.