નાદારીને આરે આવેલી Go First એરલાઈન્સની વધી મુશ્કેલી! 9 મે સુધી ફ્લાઈટ્સને કરાઈ રદ્દ! યાત્રિઓને પૈસા પરત આપવા DGCAનો આદેશ!


  • Published By :
  • Published Date : 2023-05-04 17:55:05

Go First એરલાઈન્સ નાદારીને આરે આવી ગયું છે. આર્થિક સંકટ હોવાને કારણે પાંચમી તારીખ સુધી તમામ ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તમામ ફ્લાઈટને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત 15 મે સુદી ટિકિટ બુકિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. DGCAએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોને પૈસા રિફન્ડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

 

9 મે સુધીની તમામ ફ્લાઈટને કરાઈ કેન્સલ!

ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નાદારીના આરે આવેલી એરલાઈન્સની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. મળતી માહિતી અનુસાર એન્જિન સપ્લાયર દ્વારા એન્જિનની ડિલિવરી ન થવાને કારણે ફ્લાઈટ્સને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. આની પહેલા કંપનીએ ત્રણ દિવસ માટે ફ્લાઈટને કેન્સલ કરી દીધી હતી. 

 


પેસેન્જરને પૈસા પરત કરવા DGCAનો આદેશ!     

એરલાઈન્સે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. જેને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોનથી સંબંધિત કેસની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત આ મામલે ડીજીસીએ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈટ રદ્દ થયા બાદ પેસેન્જરોને પૈસા પરત આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રિફન્ડ ઓરિજિનલ પેમેન્ટ મોડમાં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો પેમેન્ટ કાર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હોય તો કાર્ડ સ્ટેટમેંટમાં રિફન્ડ કરવામાં આવે. જો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તે રીતે પેમેન્ટ કરવામાં આવે. નાદારી અંગે GoFirstની અરજી પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ સુનાવણી કરી હતી. એરલાઈને NCLT પાસેથી વચગાળાના મોરેટોરિયમની માંગ કરી હતી. પરંતુ NCLTએ અરજીની સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 


એરલાઈન્સ છૂટા કરશે પોતાના કર્મચારીઓને!

મળતી માહિતી અનુસાર એરલાઈન્સે નાદારી જાહેર કરતા જ કંપનીએ લગભગ 5000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની સંવેદનશીલ છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.