નાદારીને આરે આવેલી Go First એરલાઈન્સની વધી મુશ્કેલી! 9 મે સુધી ફ્લાઈટ્સને કરાઈ રદ્દ! યાત્રિઓને પૈસા પરત આપવા DGCAનો આદેશ!


  • Published By :
  • Published Date : 2023-05-04 17:55:05

Go First એરલાઈન્સ નાદારીને આરે આવી ગયું છે. આર્થિક સંકટ હોવાને કારણે પાંચમી તારીખ સુધી તમામ ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તમામ ફ્લાઈટને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત 15 મે સુદી ટિકિટ બુકિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. DGCAએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોને પૈસા રિફન્ડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

 

9 મે સુધીની તમામ ફ્લાઈટને કરાઈ કેન્સલ!

ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નાદારીના આરે આવેલી એરલાઈન્સની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. મળતી માહિતી અનુસાર એન્જિન સપ્લાયર દ્વારા એન્જિનની ડિલિવરી ન થવાને કારણે ફ્લાઈટ્સને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. આની પહેલા કંપનીએ ત્રણ દિવસ માટે ફ્લાઈટને કેન્સલ કરી દીધી હતી. 

 


પેસેન્જરને પૈસા પરત કરવા DGCAનો આદેશ!     

એરલાઈન્સે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. જેને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોનથી સંબંધિત કેસની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત આ મામલે ડીજીસીએ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈટ રદ્દ થયા બાદ પેસેન્જરોને પૈસા પરત આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રિફન્ડ ઓરિજિનલ પેમેન્ટ મોડમાં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો પેમેન્ટ કાર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હોય તો કાર્ડ સ્ટેટમેંટમાં રિફન્ડ કરવામાં આવે. જો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તે રીતે પેમેન્ટ કરવામાં આવે. નાદારી અંગે GoFirstની અરજી પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ સુનાવણી કરી હતી. એરલાઈને NCLT પાસેથી વચગાળાના મોરેટોરિયમની માંગ કરી હતી. પરંતુ NCLTએ અરજીની સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 


એરલાઈન્સ છૂટા કરશે પોતાના કર્મચારીઓને!

મળતી માહિતી અનુસાર એરલાઈન્સે નાદારી જાહેર કરતા જ કંપનીએ લગભગ 5000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની સંવેદનશીલ છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.