નાદારીને આરે આવેલી Go First એરલાઈન્સની વધી મુશ્કેલી! 9 મે સુધી ફ્લાઈટ્સને કરાઈ રદ્દ! યાત્રિઓને પૈસા પરત આપવા DGCAનો આદેશ!


  • Published By :
  • Published Date : 2023-05-04 17:55:05

Go First એરલાઈન્સ નાદારીને આરે આવી ગયું છે. આર્થિક સંકટ હોવાને કારણે પાંચમી તારીખ સુધી તમામ ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તમામ ફ્લાઈટને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત 15 મે સુદી ટિકિટ બુકિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. DGCAએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોને પૈસા રિફન્ડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

 

9 મે સુધીની તમામ ફ્લાઈટને કરાઈ કેન્સલ!

ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નાદારીના આરે આવેલી એરલાઈન્સની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. મળતી માહિતી અનુસાર એન્જિન સપ્લાયર દ્વારા એન્જિનની ડિલિવરી ન થવાને કારણે ફ્લાઈટ્સને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. આની પહેલા કંપનીએ ત્રણ દિવસ માટે ફ્લાઈટને કેન્સલ કરી દીધી હતી. 

 


પેસેન્જરને પૈસા પરત કરવા DGCAનો આદેશ!     

એરલાઈન્સે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. જેને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોનથી સંબંધિત કેસની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત આ મામલે ડીજીસીએ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈટ રદ્દ થયા બાદ પેસેન્જરોને પૈસા પરત આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રિફન્ડ ઓરિજિનલ પેમેન્ટ મોડમાં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો પેમેન્ટ કાર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હોય તો કાર્ડ સ્ટેટમેંટમાં રિફન્ડ કરવામાં આવે. જો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તે રીતે પેમેન્ટ કરવામાં આવે. નાદારી અંગે GoFirstની અરજી પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ સુનાવણી કરી હતી. એરલાઈને NCLT પાસેથી વચગાળાના મોરેટોરિયમની માંગ કરી હતી. પરંતુ NCLTએ અરજીની સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 


એરલાઈન્સ છૂટા કરશે પોતાના કર્મચારીઓને!

મળતી માહિતી અનુસાર એરલાઈન્સે નાદારી જાહેર કરતા જ કંપનીએ લગભગ 5000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની સંવેદનશીલ છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.