જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ યથાવત! સુપ્રીમ કોર્ટમાં આ મામલે હાથ ધરાશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:00:23

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો છેલ્લા અનેક દિવસોથી ધરણા ધરી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. કુસ્તીબાજો જંતર મંતર ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક અભિનેતાઓ તેમજ સ્ટાર ખેલાડીઓ આવ્યા છે. કોઈએ સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે કે કોઈએ વિરોધમાં નિવેદન આપ્યું છે. 

जंतर-मंतर पर वर्कआउट के बाद नाश्ते की तैयारी करता एक रेसलर।

સાક્ષી મલિક (ડાબે) અને વિનેશ ફોગાટ ગુરુવારે જંતર-મંતર ખાતે કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી!

કુસ્તીબાજોનો વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા છે. લાંબા સમય બાદ ફરી એક વખત કુસ્તીબાજો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. બજરંગ પુનિયાનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળ્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ આ અંગે નિવદેન આપતા કહ્યું કે એથ્લેટ્સને રસ્તા પર ન્યાયની માગ કરતા જોઈને દુખ થાય છે, તેમને ન્યાય મળવો જોઈએ.


કપિલ દેવે આ મામલે કહ્યું...

સાત મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. કેસ ન નોંધાતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જંતર મંતરને જ અખાડો બનાવી દીધો હતો. પ્રેક્ટિસ કરી હતી. કુસ્તીબાજોએ ક્રિકેટ ખેલાડીઓને પણ આ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ કેમ શાંત છે. ત્યારે ભારત ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે કહ્યું હતું કે શું આ લોકોને ન્યાય મળશે? 


પી.ટી ઉષાએ પણ આપ્યું હતું નિવેદન!

ઉલ્લેખનિય છે કે પી.ટી ઉષાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ટેકો ન આપ્યો હતો. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.