જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ યથાવત! સુપ્રીમ કોર્ટમાં આ મામલે હાથ ધરાશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:00:23

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો છેલ્લા અનેક દિવસોથી ધરણા ધરી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. કુસ્તીબાજો જંતર મંતર ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક અભિનેતાઓ તેમજ સ્ટાર ખેલાડીઓ આવ્યા છે. કોઈએ સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે કે કોઈએ વિરોધમાં નિવેદન આપ્યું છે. 

जंतर-मंतर पर वर्कआउट के बाद नाश्ते की तैयारी करता एक रेसलर।

સાક્ષી મલિક (ડાબે) અને વિનેશ ફોગાટ ગુરુવારે જંતર-મંતર ખાતે કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી!

કુસ્તીબાજોનો વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા છે. લાંબા સમય બાદ ફરી એક વખત કુસ્તીબાજો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. બજરંગ પુનિયાનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળ્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ આ અંગે નિવદેન આપતા કહ્યું કે એથ્લેટ્સને રસ્તા પર ન્યાયની માગ કરતા જોઈને દુખ થાય છે, તેમને ન્યાય મળવો જોઈએ.


કપિલ દેવે આ મામલે કહ્યું...

સાત મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. કેસ ન નોંધાતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જંતર મંતરને જ અખાડો બનાવી દીધો હતો. પ્રેક્ટિસ કરી હતી. કુસ્તીબાજોએ ક્રિકેટ ખેલાડીઓને પણ આ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ કેમ શાંત છે. ત્યારે ભારત ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે કહ્યું હતું કે શું આ લોકોને ન્યાય મળશે? 


પી.ટી ઉષાએ પણ આપ્યું હતું નિવેદન!

ઉલ્લેખનિય છે કે પી.ટી ઉષાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ટેકો ન આપ્યો હતો. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.