મહારાષ્ટ્રમાં શરૂ થયેલા વરસાદે મચાવી તબાહી, બે જગ્યઓ પર બિલ્ડીંગ ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ દિલ દહેલાઈ દે તેવા વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 11:23:32

તમે વિચાર કરો ઢોલ નગાડા વાગતા હોય, લોકો નાચી રહ્યા હોય અને તેની પાછળ બિલ્ડીંગની બાલ્કની ધડામ કરીને પડે તો? અનેક લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય. ત્યારે આવી જ ઘટના મુંબઈના પાર્લે વિસ્તારમાં બની છે. ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી જ એક બીજી ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગઈ અને કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 21 કલાકની ભારે મહેનત બાદ લોકોનું રેસ્ક્યુ તો કરાયું, બે વ્યક્તિ મળ્યા પણ ખરા પરંતુ મૃત હાલતમાં. બે વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી છે.

    

ચોમાસાની શરૂઆતમાં જ બગડી મહારાષ્ટ્રની હાલત 

ચોમાસાની આતુરતાથી રાહ તો આપણે જોતા હોઈએ છીએ. વરસાદ પડે તેની મજા પણ આપણને આવતી હોય છે. પરંતુ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને લોકોના મોત પણ થતાં હોય છે. સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની થતીં હોય છે. ત્યાંના લોકો કહે છે કે એક વાર જો વરસાદ શરૂ થઈ ગયો તો અનેક દિવસો સુધી ત્યાં અવિરતપણે વરસાદ વરસતો રહે છે. ત્યારે મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ તેમજ દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર મહારાષ્ટ્રથી હજી સુધીમાં એવી બે ઘટના સામે આવી છે જેમાં લોકો મોતને વ્હાલા થઈ ગયા છે.

  


હજી તો ચોમાસાની સિઝન બાકી છે... 

મહત્વનું છે કે મુંબઈમાં રહેતા લોકો કહેતા હોય છે કે એક વખત જો મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ ગઈ તો પછી અનેક દિવસો સુધી વરસાદ બંધ નથી થતો. ત્યારે હજી તો વરસાદી સિઝનની શરૂઆત જ છે. શરૂઆતમાં જ જો વરસાદ આટલી તબાહી મચાવી શક્તો હોય તો આગામી દિવસોમાં વરસાદને કારણે અનેક દુર્ઘટના સર્જાઈ શકે છે. તબાહીના અનેક દ્રશ્યો સામે આવી શકે છે જે જીવલેણ હોઈ શકે છે.   



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.