મહારાષ્ટ્રમાં શરૂ થયેલા વરસાદે મચાવી તબાહી, બે જગ્યઓ પર બિલ્ડીંગ ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ દિલ દહેલાઈ દે તેવા વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-26 11:23:32

તમે વિચાર કરો ઢોલ નગાડા વાગતા હોય, લોકો નાચી રહ્યા હોય અને તેની પાછળ બિલ્ડીંગની બાલ્કની ધડામ કરીને પડે તો? અનેક લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય. ત્યારે આવી જ ઘટના મુંબઈના પાર્લે વિસ્તારમાં બની છે. ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી જ એક બીજી ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગઈ અને કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 21 કલાકની ભારે મહેનત બાદ લોકોનું રેસ્ક્યુ તો કરાયું, બે વ્યક્તિ મળ્યા પણ ખરા પરંતુ મૃત હાલતમાં. બે વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી છે.

    

ચોમાસાની શરૂઆતમાં જ બગડી મહારાષ્ટ્રની હાલત 

ચોમાસાની આતુરતાથી રાહ તો આપણે જોતા હોઈએ છીએ. વરસાદ પડે તેની મજા પણ આપણને આવતી હોય છે. પરંતુ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને લોકોના મોત પણ થતાં હોય છે. સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની થતીં હોય છે. ત્યાંના લોકો કહે છે કે એક વાર જો વરસાદ શરૂ થઈ ગયો તો અનેક દિવસો સુધી ત્યાં અવિરતપણે વરસાદ વરસતો રહે છે. ત્યારે મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ તેમજ દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર મહારાષ્ટ્રથી હજી સુધીમાં એવી બે ઘટના સામે આવી છે જેમાં લોકો મોતને વ્હાલા થઈ ગયા છે.

  


હજી તો ચોમાસાની સિઝન બાકી છે... 

મહત્વનું છે કે મુંબઈમાં રહેતા લોકો કહેતા હોય છે કે એક વખત જો મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ ગઈ તો પછી અનેક દિવસો સુધી વરસાદ બંધ નથી થતો. ત્યારે હજી તો વરસાદી સિઝનની શરૂઆત જ છે. શરૂઆતમાં જ જો વરસાદ આટલી તબાહી મચાવી શક્તો હોય તો આગામી દિવસોમાં વરસાદને કારણે અનેક દુર્ઘટના સર્જાઈ શકે છે. તબાહીના અનેક દ્રશ્યો સામે આવી શકે છે જે જીવલેણ હોઈ શકે છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.