મહારાષ્ટ્રમાં શરૂ થયેલા વરસાદે મચાવી તબાહી, બે જગ્યઓ પર બિલ્ડીંગ ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ દિલ દહેલાઈ દે તેવા વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-26 11:23:32

તમે વિચાર કરો ઢોલ નગાડા વાગતા હોય, લોકો નાચી રહ્યા હોય અને તેની પાછળ બિલ્ડીંગની બાલ્કની ધડામ કરીને પડે તો? અનેક લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય. ત્યારે આવી જ ઘટના મુંબઈના પાર્લે વિસ્તારમાં બની છે. ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી જ એક બીજી ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગઈ અને કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 21 કલાકની ભારે મહેનત બાદ લોકોનું રેસ્ક્યુ તો કરાયું, બે વ્યક્તિ મળ્યા પણ ખરા પરંતુ મૃત હાલતમાં. બે વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી છે.

    

ચોમાસાની શરૂઆતમાં જ બગડી મહારાષ્ટ્રની હાલત 

ચોમાસાની આતુરતાથી રાહ તો આપણે જોતા હોઈએ છીએ. વરસાદ પડે તેની મજા પણ આપણને આવતી હોય છે. પરંતુ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને લોકોના મોત પણ થતાં હોય છે. સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની થતીં હોય છે. ત્યાંના લોકો કહે છે કે એક વાર જો વરસાદ શરૂ થઈ ગયો તો અનેક દિવસો સુધી ત્યાં અવિરતપણે વરસાદ વરસતો રહે છે. ત્યારે મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ તેમજ દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર મહારાષ્ટ્રથી હજી સુધીમાં એવી બે ઘટના સામે આવી છે જેમાં લોકો મોતને વ્હાલા થઈ ગયા છે.

  


હજી તો ચોમાસાની સિઝન બાકી છે... 

મહત્વનું છે કે મુંબઈમાં રહેતા લોકો કહેતા હોય છે કે એક વખત જો મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ ગઈ તો પછી અનેક દિવસો સુધી વરસાદ બંધ નથી થતો. ત્યારે હજી તો વરસાદી સિઝનની શરૂઆત જ છે. શરૂઆતમાં જ જો વરસાદ આટલી તબાહી મચાવી શક્તો હોય તો આગામી દિવસોમાં વરસાદને કારણે અનેક દુર્ઘટના સર્જાઈ શકે છે. તબાહીના અનેક દ્રશ્યો સામે આવી શકે છે જે જીવલેણ હોઈ શકે છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.