દિલ્લીઃ શ્રદ્ધાની હત્યાના દિવસે ખર્ચ મામલે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો


  • Published By :
  • Published Date : 2022-11-16 22:27:41

દિલ્લીમાં શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ખબર સામે આવી રહી છે કે 18 મે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી ત્યારે બંને વચ્ચે ઘર-સામાનના ખર્ચા મામલે ઝઘડો થયો હતો. રોજ ખર્ચો કોણ આપશે તે મામલે બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો અને અંતે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. 

શ્રદ્ધાના ખાતામાંથી આફતાબે ઉઠાવ્યા હતા રૂપિયા

પોલીસના સૂત્રો મારફતે સમાચાર સામે આવી રહ્યા છે કે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસ તરફથી માહિતી મળી  છે કે આ જ પૈસાથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું અને અન્ય વસ્તુઓ ખરીદી હતી. પોલીસને આફતાબના રસોડામાંથી પણ લોહીના ડાઘ મળ્યા હતા. પોલીસે ઘટનાનું રિક્રિયેશન કર્યું એટલે કે કેવી રીતે આફતાબે ઘટનાને અંજામ આપ્યો હતો તે જોયું ત્યારે ફોરેન્સિક તપાસ બાદ રસોડામાં લોહીના ડાઘા મળ્યા હતા. 


આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે પોલીસ 

આવતીકાલે આફતાબને દિલ્લી સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં દિલ્લી  પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. શ્રદ્ધાના શરીરના 13 ટુકડા મળ્યા હોવાના કારણે ડીએનએ ટેસ્ટ માટે તેમના પિતાની પોલીસને જરૂર પડશે આથી પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાને દિલ્લી બોલાવી શકે છે. 


આફતાબ અને શ્રદ્ધા બંને દિલ્લીમાં લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. શ્રદ્ધા પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લીવઈનમાં રહેવા આવી હતી. ઘરના ઝઘડામાં 18 મેના રોજ 28 વર્ષના આફતાબે 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરને ઠેકાણે લગાડવા માટે તેના 37 ટુકડા કર્યા હતા. આ ટુકડા રાખવા માટે આફતાબે ફ્રીઝ પણ લીધુ હતું. રાત્રે બે વાગ્યે તે જંગલમાં શ્રદ્ધાના શરીરના ટુકડા નાખવા માટે જતો હતો.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે