દિલ્લીઃ શ્રદ્ધાની હત્યાના દિવસે ખર્ચ મામલે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો


  • Published By :
  • Published Date : 2022-11-16 22:27:41

દિલ્લીમાં શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ખબર સામે આવી રહી છે કે 18 મે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી ત્યારે બંને વચ્ચે ઘર-સામાનના ખર્ચા મામલે ઝઘડો થયો હતો. રોજ ખર્ચો કોણ આપશે તે મામલે બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો અને અંતે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. 

શ્રદ્ધાના ખાતામાંથી આફતાબે ઉઠાવ્યા હતા રૂપિયા

પોલીસના સૂત્રો મારફતે સમાચાર સામે આવી રહ્યા છે કે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસ તરફથી માહિતી મળી  છે કે આ જ પૈસાથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું અને અન્ય વસ્તુઓ ખરીદી હતી. પોલીસને આફતાબના રસોડામાંથી પણ લોહીના ડાઘ મળ્યા હતા. પોલીસે ઘટનાનું રિક્રિયેશન કર્યું એટલે કે કેવી રીતે આફતાબે ઘટનાને અંજામ આપ્યો હતો તે જોયું ત્યારે ફોરેન્સિક તપાસ બાદ રસોડામાં લોહીના ડાઘા મળ્યા હતા. 


આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે પોલીસ 

આવતીકાલે આફતાબને દિલ્લી સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં દિલ્લી  પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. શ્રદ્ધાના શરીરના 13 ટુકડા મળ્યા હોવાના કારણે ડીએનએ ટેસ્ટ માટે તેમના પિતાની પોલીસને જરૂર પડશે આથી પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાને દિલ્લી બોલાવી શકે છે. 


આફતાબ અને શ્રદ્ધા બંને દિલ્લીમાં લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. શ્રદ્ધા પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લીવઈનમાં રહેવા આવી હતી. ઘરના ઝઘડામાં 18 મેના રોજ 28 વર્ષના આફતાબે 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરને ઠેકાણે લગાડવા માટે તેના 37 ટુકડા કર્યા હતા. આ ટુકડા રાખવા માટે આફતાબે ફ્રીઝ પણ લીધુ હતું. રાત્રે બે વાગ્યે તે જંગલમાં શ્રદ્ધાના શરીરના ટુકડા નાખવા માટે જતો હતો.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.