દિલ્લીઃ શ્રદ્ધાની હત્યાના દિવસે ખર્ચ મામલે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો


  • Published By :
  • Published Date : 2022-11-16 22:27:41

દિલ્લીમાં શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ખબર સામે આવી રહી છે કે 18 મે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી ત્યારે બંને વચ્ચે ઘર-સામાનના ખર્ચા મામલે ઝઘડો થયો હતો. રોજ ખર્ચો કોણ આપશે તે મામલે બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો અને અંતે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. 

શ્રદ્ધાના ખાતામાંથી આફતાબે ઉઠાવ્યા હતા રૂપિયા

પોલીસના સૂત્રો મારફતે સમાચાર સામે આવી રહ્યા છે કે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસ તરફથી માહિતી મળી  છે કે આ જ પૈસાથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું અને અન્ય વસ્તુઓ ખરીદી હતી. પોલીસને આફતાબના રસોડામાંથી પણ લોહીના ડાઘ મળ્યા હતા. પોલીસે ઘટનાનું રિક્રિયેશન કર્યું એટલે કે કેવી રીતે આફતાબે ઘટનાને અંજામ આપ્યો હતો તે જોયું ત્યારે ફોરેન્સિક તપાસ બાદ રસોડામાં લોહીના ડાઘા મળ્યા હતા. 


આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે પોલીસ 

આવતીકાલે આફતાબને દિલ્લી સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં દિલ્લી  પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. શ્રદ્ધાના શરીરના 13 ટુકડા મળ્યા હોવાના કારણે ડીએનએ ટેસ્ટ માટે તેમના પિતાની પોલીસને જરૂર પડશે આથી પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાને દિલ્લી બોલાવી શકે છે. 


આફતાબ અને શ્રદ્ધા બંને દિલ્લીમાં લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. શ્રદ્ધા પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લીવઈનમાં રહેવા આવી હતી. ઘરના ઝઘડામાં 18 મેના રોજ 28 વર્ષના આફતાબે 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરને ઠેકાણે લગાડવા માટે તેના 37 ટુકડા કર્યા હતા. આ ટુકડા રાખવા માટે આફતાબે ફ્રીઝ પણ લીધુ હતું. રાત્રે બે વાગ્યે તે જંગલમાં શ્રદ્ધાના શરીરના ટુકડા નાખવા માટે જતો હતો.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.