૧૭ કલાક બાદ સુનિતા વિલિયમ્સ હશે ધરતી પર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 16:23:39

ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . તેમની ધરતી પર પાછા ફરવાની ૧૭ કલાક લાંબી યાત્રાનો ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે પ્રારંભ થઇ ચુક્યો છે . તેમની સાથે અવકાશયાત્રી બુચ વિલમોર પણ પાછા ફરશે. સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને પાછા લાવવા ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન નામનું યાન મોકલવામાં આવ્યું છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ છેલ્લા ૯ મહિનાથી ISS એટલેકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે . તેમની ધરતી પર પાછા ફરવાની યાત્રાનો આરંભ હવે થઇ ચુક્યો છે . આ માટેનું ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું અવકાશયાન ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ચૂક્યું છે . ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦:૩૫ વાગ્યે તેઓ ડ્રેગનમાં બેસી ચુક્યા છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ભારતીય સમય પ્રમાણે બુધવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દરિયાકાંઠે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પેસએક્સનું ડ્રેગન જહાજ લેન્ડ થશે . બેઉ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન ૨૦૨૪થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા .તેઓ બોઇંગના સ્ટારલાઈનરની મદદથી ISS પહોંચ્યા હતા .  તેમને પાછા લાવવાના અગાઉ મિશન ફેલ થયા હતા . તેઓ જૂન ૨૦૨૪માં માત્ર આઠ દિવસ માટે ISS ગયા હતા . પરંતુ આ પછી તેમની અવકાશ યાત્રા ૯ મહિના જેટલી લાંબી ખેંચાઈ ગઈ. 

Sunita Williams Homecoming Live Updates: Stranded Astronaut's Return  Journey Begins

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૮૬ દિવસ  વિતાવેલા છે . આ ISS માં રહીને તેમણે પૃથ્વીની ૪૫૦૦ ભ્રમણ કક્ષા પુરી કરી છે . જેવા જ તેઓ પૃથ્વી પર પાછા ફરશે કે તરત જ તેમનો ૪૫ દિવસ લાંબો નાસાનો પોસ્ટ રિહેબિલિટેશન નામનો કાર્યક્રમ શરુ થશે . આ કાર્યક્રમ અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ યાત્રા દરમ્યાન જે પણ શારીરિક ક્ષતિ પહોંચી હશે તેનાથી દૂર થશે. વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તો તે ધરતીની સપાટીથી ૪૦૦ કિમી ઉપરની નીચલી ભ્રમણકક્ષામાં ફરે છે.  તેનું નિર્માણ પાંચ સ્પેસ એજન્સીઓ NASA કે જે અમેરિકાની છે , રોસકોસમોસ રશિયા , જાક્ષા જાપાન , ઇએસએ યુરૉપ , સીએસએ કેનેડા દ્વારા થયું છે . તેને ૨૦ નવેમ્બર , ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું . અવકાશયાત્રીઓ ISSમાં ઝીરો ગ્રેવીટીમાં પ્રયોગો પણ કરતા રહે છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા હતા  . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .