૧૭ કલાક બાદ સુનિતા વિલિયમ્સ હશે ધરતી પર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 16:23:39

ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . તેમની ધરતી પર પાછા ફરવાની ૧૭ કલાક લાંબી યાત્રાનો ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે પ્રારંભ થઇ ચુક્યો છે . તેમની સાથે અવકાશયાત્રી બુચ વિલમોર પણ પાછા ફરશે. સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને પાછા લાવવા ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન નામનું યાન મોકલવામાં આવ્યું છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ છેલ્લા ૯ મહિનાથી ISS એટલેકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે . તેમની ધરતી પર પાછા ફરવાની યાત્રાનો આરંભ હવે થઇ ચુક્યો છે . આ માટેનું ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું અવકાશયાન ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ચૂક્યું છે . ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦:૩૫ વાગ્યે તેઓ ડ્રેગનમાં બેસી ચુક્યા છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ભારતીય સમય પ્રમાણે બુધવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દરિયાકાંઠે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પેસએક્સનું ડ્રેગન જહાજ લેન્ડ થશે . બેઉ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન ૨૦૨૪થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા .તેઓ બોઇંગના સ્ટારલાઈનરની મદદથી ISS પહોંચ્યા હતા .  તેમને પાછા લાવવાના અગાઉ મિશન ફેલ થયા હતા . તેઓ જૂન ૨૦૨૪માં માત્ર આઠ દિવસ માટે ISS ગયા હતા . પરંતુ આ પછી તેમની અવકાશ યાત્રા ૯ મહિના જેટલી લાંબી ખેંચાઈ ગઈ. 

Sunita Williams Homecoming Live Updates: Stranded Astronaut's Return  Journey Begins

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૮૬ દિવસ  વિતાવેલા છે . આ ISS માં રહીને તેમણે પૃથ્વીની ૪૫૦૦ ભ્રમણ કક્ષા પુરી કરી છે . જેવા જ તેઓ પૃથ્વી પર પાછા ફરશે કે તરત જ તેમનો ૪૫ દિવસ લાંબો નાસાનો પોસ્ટ રિહેબિલિટેશન નામનો કાર્યક્રમ શરુ થશે . આ કાર્યક્રમ અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ યાત્રા દરમ્યાન જે પણ શારીરિક ક્ષતિ પહોંચી હશે તેનાથી દૂર થશે. વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તો તે ધરતીની સપાટીથી ૪૦૦ કિમી ઉપરની નીચલી ભ્રમણકક્ષામાં ફરે છે.  તેનું નિર્માણ પાંચ સ્પેસ એજન્સીઓ NASA કે જે અમેરિકાની છે , રોસકોસમોસ રશિયા , જાક્ષા જાપાન , ઇએસએ યુરૉપ , સીએસએ કેનેડા દ્વારા થયું છે . તેને ૨૦ નવેમ્બર , ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું . અવકાશયાત્રીઓ ISSમાં ઝીરો ગ્રેવીટીમાં પ્રયોગો પણ કરતા રહે છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા હતા  . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.