૧૭ કલાક બાદ સુનિતા વિલિયમ્સ હશે ધરતી પર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 16:23:39

ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . તેમની ધરતી પર પાછા ફરવાની ૧૭ કલાક લાંબી યાત્રાનો ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે પ્રારંભ થઇ ચુક્યો છે . તેમની સાથે અવકાશયાત્રી બુચ વિલમોર પણ પાછા ફરશે. સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને પાછા લાવવા ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન નામનું યાન મોકલવામાં આવ્યું છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ છેલ્લા ૯ મહિનાથી ISS એટલેકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે . તેમની ધરતી પર પાછા ફરવાની યાત્રાનો આરંભ હવે થઇ ચુક્યો છે . આ માટેનું ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું અવકાશયાન ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ચૂક્યું છે . ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦:૩૫ વાગ્યે તેઓ ડ્રેગનમાં બેસી ચુક્યા છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ભારતીય સમય પ્રમાણે બુધવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દરિયાકાંઠે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પેસએક્સનું ડ્રેગન જહાજ લેન્ડ થશે . બેઉ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન ૨૦૨૪થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા .તેઓ બોઇંગના સ્ટારલાઈનરની મદદથી ISS પહોંચ્યા હતા .  તેમને પાછા લાવવાના અગાઉ મિશન ફેલ થયા હતા . તેઓ જૂન ૨૦૨૪માં માત્ર આઠ દિવસ માટે ISS ગયા હતા . પરંતુ આ પછી તેમની અવકાશ યાત્રા ૯ મહિના જેટલી લાંબી ખેંચાઈ ગઈ. 

Sunita Williams Homecoming Live Updates: Stranded Astronaut's Return  Journey Begins

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૮૬ દિવસ  વિતાવેલા છે . આ ISS માં રહીને તેમણે પૃથ્વીની ૪૫૦૦ ભ્રમણ કક્ષા પુરી કરી છે . જેવા જ તેઓ પૃથ્વી પર પાછા ફરશે કે તરત જ તેમનો ૪૫ દિવસ લાંબો નાસાનો પોસ્ટ રિહેબિલિટેશન નામનો કાર્યક્રમ શરુ થશે . આ કાર્યક્રમ અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ યાત્રા દરમ્યાન જે પણ શારીરિક ક્ષતિ પહોંચી હશે તેનાથી દૂર થશે. વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તો તે ધરતીની સપાટીથી ૪૦૦ કિમી ઉપરની નીચલી ભ્રમણકક્ષામાં ફરે છે.  તેનું નિર્માણ પાંચ સ્પેસ એજન્સીઓ NASA કે જે અમેરિકાની છે , રોસકોસમોસ રશિયા , જાક્ષા જાપાન , ઇએસએ યુરૉપ , સીએસએ કેનેડા દ્વારા થયું છે . તેને ૨૦ નવેમ્બર , ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું . અવકાશયાત્રીઓ ISSમાં ઝીરો ગ્રેવીટીમાં પ્રયોગો પણ કરતા રહે છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા હતા  . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .



ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.