૧૭ કલાક બાદ સુનિતા વિલિયમ્સ હશે ધરતી પર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 16:23:39

ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . તેમની ધરતી પર પાછા ફરવાની ૧૭ કલાક લાંબી યાત્રાનો ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે પ્રારંભ થઇ ચુક્યો છે . તેમની સાથે અવકાશયાત્રી બુચ વિલમોર પણ પાછા ફરશે. સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને પાછા લાવવા ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન નામનું યાન મોકલવામાં આવ્યું છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ છેલ્લા ૯ મહિનાથી ISS એટલેકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે . તેમની ધરતી પર પાછા ફરવાની યાત્રાનો આરંભ હવે થઇ ચુક્યો છે . આ માટેનું ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું અવકાશયાન ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ચૂક્યું છે . ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૧૦:૩૫ વાગ્યે તેઓ ડ્રેગનમાં બેસી ચુક્યા છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ભારતીય સમય પ્રમાણે બુધવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના દરિયાકાંઠે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પેસએક્સનું ડ્રેગન જહાજ લેન્ડ થશે . બેઉ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂન ૨૦૨૪થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા .તેઓ બોઇંગના સ્ટારલાઈનરની મદદથી ISS પહોંચ્યા હતા .  તેમને પાછા લાવવાના અગાઉ મિશન ફેલ થયા હતા . તેઓ જૂન ૨૦૨૪માં માત્ર આઠ દિવસ માટે ISS ગયા હતા . પરંતુ આ પછી તેમની અવકાશ યાત્રા ૯ મહિના જેટલી લાંબી ખેંચાઈ ગઈ. 

Sunita Williams Homecoming Live Updates: Stranded Astronaut's Return  Journey Begins

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૮૬ દિવસ  વિતાવેલા છે . આ ISS માં રહીને તેમણે પૃથ્વીની ૪૫૦૦ ભ્રમણ કક્ષા પુરી કરી છે . જેવા જ તેઓ પૃથ્વી પર પાછા ફરશે કે તરત જ તેમનો ૪૫ દિવસ લાંબો નાસાનો પોસ્ટ રિહેબિલિટેશન નામનો કાર્યક્રમ શરુ થશે . આ કાર્યક્રમ અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ યાત્રા દરમ્યાન જે પણ શારીરિક ક્ષતિ પહોંચી હશે તેનાથી દૂર થશે. વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તો તે ધરતીની સપાટીથી ૪૦૦ કિમી ઉપરની નીચલી ભ્રમણકક્ષામાં ફરે છે.  તેનું નિર્માણ પાંચ સ્પેસ એજન્સીઓ NASA કે જે અમેરિકાની છે , રોસકોસમોસ રશિયા , જાક્ષા જાપાન , ઇએસએ યુરૉપ , સીએસએ કેનેડા દ્વારા થયું છે . તેને ૨૦ નવેમ્બર , ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું . અવકાશયાત્રીઓ ISSમાં ઝીરો ગ્રેવીટીમાં પ્રયોગો પણ કરતા રહે છે . સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા હતા  . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .