દુનિયાના અનેક દેશોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, કેસ વધતા વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-20 08:38:46

કોરોનાને લઈ વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો કોરોના બેકાબુ બન્યો છે પરંતુ બીજા દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. યૂરોપ, જાપાન, સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. જેને કારણે ફરી એક વખત કોરોનાને કારણે હાહાકાર મચી શકે છે.


ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર

વિશ્વભરમાં કોરોનાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં કોરોના ઘટી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. 


વિશ્વના અનેક દેશોમાં વધતો કોરોનાનો ખતરો 

યુરોપ, એશિયા સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો 18 ડિસેમ્બર સુધીમાં આંકડો 5.1 લાખ પહોંચી ગયો હતો. જાપાનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ પ્રમાણે એક અઠવાડિયામાં જાપાનમાં મિલિયન જેટલા કેસ દર્જ થયા છે. આ સિવાય બ્રાજીલ, જર્મનીમાં પણ કેસમાં વધારો થયો છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.