દુનિયાના અનેક દેશોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, કેસ વધતા વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-20 08:38:46

કોરોનાને લઈ વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો કોરોના બેકાબુ બન્યો છે પરંતુ બીજા દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. યૂરોપ, જાપાન, સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. જેને કારણે ફરી એક વખત કોરોનાને કારણે હાહાકાર મચી શકે છે.


ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર

વિશ્વભરમાં કોરોનાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં કોરોના ઘટી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. 


વિશ્વના અનેક દેશોમાં વધતો કોરોનાનો ખતરો 

યુરોપ, એશિયા સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો 18 ડિસેમ્બર સુધીમાં આંકડો 5.1 લાખ પહોંચી ગયો હતો. જાપાનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ પ્રમાણે એક અઠવાડિયામાં જાપાનમાં મિલિયન જેટલા કેસ દર્જ થયા છે. આ સિવાય બ્રાજીલ, જર્મનીમાં પણ કેસમાં વધારો થયો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .