દુનિયાના અનેક દેશોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, કેસ વધતા વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-20 08:38:46

કોરોનાને લઈ વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો કોરોના બેકાબુ બન્યો છે પરંતુ બીજા દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. યૂરોપ, જાપાન, સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. જેને કારણે ફરી એક વખત કોરોનાને કારણે હાહાકાર મચી શકે છે.


ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર

વિશ્વભરમાં કોરોનાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં કોરોના ઘટી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. 


વિશ્વના અનેક દેશોમાં વધતો કોરોનાનો ખતરો 

યુરોપ, એશિયા સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો 18 ડિસેમ્બર સુધીમાં આંકડો 5.1 લાખ પહોંચી ગયો હતો. જાપાનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ પ્રમાણે એક અઠવાડિયામાં જાપાનમાં મિલિયન જેટલા કેસ દર્જ થયા છે. આ સિવાય બ્રાજીલ, જર્મનીમાં પણ કેસમાં વધારો થયો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.