દેશના અનેક રાજ્યોમાં શરૂ થયો ઠંડીનો બીજો રાઉન્ડ, કોલ્ડ વેવનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-15 15:17:36

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા અનેક બીજા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓમાં બરફની વર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ જેવી જગ્યાઓ પર પણ બરફ પડ્યો હતો.

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અનેક રાજ્યો શીતલહેરની ચપેટમાં આવી ગયા છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. 

અનેક જગ્યા પર થઈ હિમવર્ષા 

ઠંડીનું પ્રમાણ વધતા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. ધુમ્મસભર્યું વાતાવરણને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આવી જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશમાં રસ્તા પર બરફ છવાઈ ગયો હતો અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.    


દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં વધ્યો ઠંડીનો ચમકારો

જમ્મુ-કાશ્મીરમાં આમ પણ તાપમાનનો પારો હમેંશા ઓછો જ હોય છે. પરંતુ આ વખતે ત્યાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ત્યાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત બરફનું તોફાન પણ આવ્યું હતું. તે સિવાય દિલ્હીમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. બિહારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો સેકેન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.