દેશના અનેક રાજ્યોમાં શરૂ થયો ઠંડીનો બીજો રાઉન્ડ, કોલ્ડ વેવનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-15 15:17:36

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા અનેક બીજા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓમાં બરફની વર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ જેવી જગ્યાઓ પર પણ બરફ પડ્યો હતો.

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અનેક રાજ્યો શીતલહેરની ચપેટમાં આવી ગયા છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. 

અનેક જગ્યા પર થઈ હિમવર્ષા 

ઠંડીનું પ્રમાણ વધતા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. ધુમ્મસભર્યું વાતાવરણને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આવી જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશમાં રસ્તા પર બરફ છવાઈ ગયો હતો અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.    


દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં વધ્યો ઠંડીનો ચમકારો

જમ્મુ-કાશ્મીરમાં આમ પણ તાપમાનનો પારો હમેંશા ઓછો જ હોય છે. પરંતુ આ વખતે ત્યાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ત્યાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત બરફનું તોફાન પણ આવ્યું હતું. તે સિવાય દિલ્હીમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. બિહારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો સેકેન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.