દેશના અનેક રાજ્યોમાં શરૂ થયો ઠંડીનો બીજો રાઉન્ડ, કોલ્ડ વેવનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-15 15:17:36

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા અનેક બીજા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓમાં બરફની વર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ જેવી જગ્યાઓ પર પણ બરફ પડ્યો હતો.

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અનેક રાજ્યો શીતલહેરની ચપેટમાં આવી ગયા છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. 

અનેક જગ્યા પર થઈ હિમવર્ષા 

ઠંડીનું પ્રમાણ વધતા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. ધુમ્મસભર્યું વાતાવરણને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આવી જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશમાં રસ્તા પર બરફ છવાઈ ગયો હતો અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.    


દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં વધ્યો ઠંડીનો ચમકારો

જમ્મુ-કાશ્મીરમાં આમ પણ તાપમાનનો પારો હમેંશા ઓછો જ હોય છે. પરંતુ આ વખતે ત્યાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ત્યાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત બરફનું તોફાન પણ આવ્યું હતું. તે સિવાય દિલ્હીમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. બિહારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો સેકેન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.