દેશના અનેક રાજ્યોમાં શરૂ થયો ઠંડીનો બીજો રાઉન્ડ, કોલ્ડ વેવનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-15 15:17:36

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા અનેક બીજા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓમાં બરફની વર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ જેવી જગ્યાઓ પર પણ બરફ પડ્યો હતો.

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અનેક રાજ્યો શીતલહેરની ચપેટમાં આવી ગયા છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. 

અનેક જગ્યા પર થઈ હિમવર્ષા 

ઠંડીનું પ્રમાણ વધતા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. ધુમ્મસભર્યું વાતાવરણને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આવી જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશમાં રસ્તા પર બરફ છવાઈ ગયો હતો અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.    


દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં વધ્યો ઠંડીનો ચમકારો

જમ્મુ-કાશ્મીરમાં આમ પણ તાપમાનનો પારો હમેંશા ઓછો જ હોય છે. પરંતુ આ વખતે ત્યાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ત્યાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત બરફનું તોફાન પણ આવ્યું હતું. તે સિવાય દિલ્હીમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. બિહારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો સેકેન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.