જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઘૂષણખોરી કરી રહેલા આતંકવાદીઓનો બોલાવ્યો સપાટો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 12:54:04

ફરી એક વખત જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ ઠાર મરાયા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ કરી રહ્યા હતા તે પહેલા જ જવાનોએ તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ વખતે કરાયેલી કાર્યવાહીમાં ચાર જેટલા આતંકવાદીઓ મારી પડાયા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એક સપ્તાહની અંદર 9 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

     

ચાર આતંકવાદીને મારી પડાયા   

સુરક્ષા બળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયા હોવાની ઘટના ફરી એક વખત બની છે. આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે સુરક્ષાબળોએ ચાર આંતકવાદીઓને મારી પાડ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરક્ષાબળોને સફળતા મળી હતી. તે વખતે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  



થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી

16 જૂને જે એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયે સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરક્ષા બળો દ્વારા વધુ ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.