જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઘૂષણખોરી કરી રહેલા આતંકવાદીઓનો બોલાવ્યો સપાટો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 12:54:04

ફરી એક વખત જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ ઠાર મરાયા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ કરી રહ્યા હતા તે પહેલા જ જવાનોએ તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ વખતે કરાયેલી કાર્યવાહીમાં ચાર જેટલા આતંકવાદીઓ મારી પડાયા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એક સપ્તાહની અંદર 9 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

     

ચાર આતંકવાદીને મારી પડાયા   

સુરક્ષા બળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયા હોવાની ઘટના ફરી એક વખત બની છે. આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે સુરક્ષાબળોએ ચાર આંતકવાદીઓને મારી પાડ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરક્ષાબળોને સફળતા મળી હતી. તે વખતે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  



થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી

16 જૂને જે એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયે સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરક્ષા બળો દ્વારા વધુ ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .