જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઘૂષણખોરી કરી રહેલા આતંકવાદીઓનો બોલાવ્યો સપાટો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 12:54:04

ફરી એક વખત જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ ઠાર મરાયા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ કરી રહ્યા હતા તે પહેલા જ જવાનોએ તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ વખતે કરાયેલી કાર્યવાહીમાં ચાર જેટલા આતંકવાદીઓ મારી પડાયા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એક સપ્તાહની અંદર 9 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

     

ચાર આતંકવાદીને મારી પડાયા   

સુરક્ષા બળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયા હોવાની ઘટના ફરી એક વખત બની છે. આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે સુરક્ષાબળોએ ચાર આંતકવાદીઓને મારી પાડ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરક્ષાબળોને સફળતા મળી હતી. તે વખતે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  



થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી

16 જૂને જે એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયે સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરક્ષા બળો દ્વારા વધુ ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.