જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઘૂષણખોરી કરી રહેલા આતંકવાદીઓનો બોલાવ્યો સપાટો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-23 12:54:04

ફરી એક વખત જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ ઠાર મરાયા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ કરી રહ્યા હતા તે પહેલા જ જવાનોએ તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. આ વખતે કરાયેલી કાર્યવાહીમાં ચાર જેટલા આતંકવાદીઓ મારી પડાયા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એક સપ્તાહની અંદર 9 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

     

ચાર આતંકવાદીને મારી પડાયા   

સુરક્ષા બળો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયા હોવાની ઘટના ફરી એક વખત બની છે. આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે સુરક્ષાબળોએ ચાર આંતકવાદીઓને મારી પાડ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરક્ષાબળોને સફળતા મળી હતી. તે વખતે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  



થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી

16 જૂને જે એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયે સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સુરક્ષા બળો દ્વારા વધુ ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.